મૃત્યુનું રહસ્ય
'મૃત્યુ એ કુદરતનો જીવનને સતત કરવામાં આવતો પ્રશ્ન છે અને એ જીવનને એ યાદ કરાવવા આવે છે કે તેણે હજુ પોતાના સત્ય સ્વરૃપને જાણ્યું નથી.'
'શરીરશાસ્ત્ર... ઈશારો કરે છે કે વૃધ્ધત્વ અને મૃત્યુ એ અનિવાર્ય નથી અને વ્યવહારુ તબીબી અભિગમ પણ આપણને એ જ નિર્ણય પરત્વે લઈ જાય છે.'
હાલમાં અમેરિકામાં જે ચાર મુખ્ય સંહારકો માનવને મૃત્યુના મુખમાં હોમી રહ્યા છે તે પૈકીનો સૌથી હઠીલો સંહારક છે કેન્સર જોકે આંકડાની દ્રષ્ટિએ હૃદય રોગ મુખ્ય સંહારકનું સ્થાન લે છે. ડાયાબીટીસ અને અકસ્માત અનુક્રમે ત્રીજે અને ચોથે નંબરે આવે છે. સીલ્વરસ્ટાઈન માને છે કે કેન્સરને મટાડવાની છેવટની કડી પ્રાપ્ત કરવાનું હાથવેંતમાં છે અને એને માટેના પ્રયોગો ચાલુ જ છે. આના સંદર્ભમાં તે સેનેટર ટેડ કેનેડીના યુવાન દીકરાનો દાખલો ટાંકે છે જે હાડકાંના કેન્સરની અસાધ્ય બિમારીથી પીડાતો હતો.
એને ઈસાક જર્સી નામના ડોકટરે શોધેલી પદ્ધતિ પ્રમાણે સારવાર આપવામાં આવી હતી. સારવાર એ પ્રકારની હતી કે દર્દી એનાથી જ લગભગ મૃત:પાય થઈ ગયો હતો. પરંતુ છેલ્લી ક્ષણે નાટકીય રીતે એ જ સારવારે એ છોકરાને નિશ્ચિત માની લેવામાં આવેલા મૃત્યુના પંજામાંથી છોડાવ્યો હતો. સીલ્વરસ્ટાઈન તબીબી વિજ્ઞાાનના આવા અનેક નૂતન આવિષ્કારો ખાતરી પૂર્વક રજૂ કરે છે, જે કેન્સર તેમજ બીજા સહારક રોગો સામે અસરકારક પૂરવાર થઈ શક્યા છે.
કેન્સર, હૃદયરોગ વિ. શારીરિક કારણો માણસ જે કારણસર મૃત્યુ પામે છે તે સાચા કારણનાં બાહ્ય લક્ષણ માત્ર છે. પરંતુ નવાઈની વાત એ છે કે આ સત્ય ઘણા બુધ્ધિશાળી લોકોને ગળે ઉતરતું નથી. ફક્ત શારીરિક કક્ષાએ આ બાહ્ય કારણોને નિર્મૂળ કરવામાં આવે તો પણ બીજી કક્ષાએ એ પાછાં અસરકારક થઈ શકે છે.
પશ્ચિમના જગતમાં તબીબી વિજ્ઞાાન મૃત્યુ માટે ફક્ત બાહ્ય કારણોને જ જવાબદાર ગણાવે છે. અને આ માન્યતા જુગજૂની પેલી માન્યતા કે બાહ્ય રસાયણ દ્વારા, (અમૃત પીવાથી અથવા તો જાદૂઈ પાણી પીવાથી) શારીરિક અમરત્વ પ્રાપ્ત કરી શકાય છે એની જ બીજી બાજુ છે. એક કોમ્પ્યુટર સ્પેશ્યાલિસ્ટ કોમ્પ્યુટર સામે ચેસની રમતમાં હારી ગયા એ હકીકત રજૂ કરીને એક લેખક એવું પ્રતિપાદિત કરી રહ્યાં છે કે વૈજ્ઞાાનિક શોધખોળો માનવની બુદ્ધિની કાર્યશક્તિ કરતાં ચઢિયાતાં છે. અને તેથી જ વિજ્ઞાાન માનવશરીરની નવેસરથી રચના કરી એને અમર બનાવી દેવા પણ શક્તિમાન છે !
આ દલીલને એના સાચા અર્થમાં મૂલવતાં આપણને એ બહુ સારા ભાવિની ખાતરી આપી શકે એમ નથી. કારણ કે ભવિષ્યમાં માનવને અમર બનાવવાને બદલે આપણે ફક્ત અમર કોમ્પ્યુટરો જ બનાવી શકીશું એવું એ દલીલ પુરવાર કરે છે !
બીજી બાજુ અમુક માનવશાસ્ત્રીઓ એમ માનવા પ્રેરાયા છે કે જીવન પ્રત્યેનો સંપૂર્ણ સંતોષ માનવને અમરત્વ તરફ દોરી જાય છે. અને આ સંપૂર્ણ સંતોષ એટલે બધી જ ઈચ્છાઓની પરિતૃપ્તિ, પરંતુ ગૂઢવાદી જણાવે છે કે ઈચ્છાઓની બાબતમાં સંતોષ જેવી કોઈ વસ્તુ જ હોતી નથી.
એક ઈચ્છા બીજી ઈચ્છાને જાગ્રત કરે છે અને એના મૂળ સ્વભાવથી જ ઈચ્છા માત્ર કદાપિ પૂરેપૂરી સંતોષી શકાય એમ હોતી નથી. તેમ છતાં દલીલ ખાતર આપણે એ માની લઈએ કે ઈચ્છાને સંતોષી શકાય છે અને પછી ઈલીયા મેચનીકોવના એક અધ્યયન પૂર્ણ તારણ અંગે વિચારીએ એ જણાવે છે 'જો માણસો એમની સઘળી ઈચ્છાઓ સંતોષી શકાય તેટલું લાંબુ જીવન જીવે તો પછી તેઓ મૃત્યુને જીવનના જ એક નૈસર્ગિક અંગ તરીકે સ્વીકારતાં થઈ જશે.'
આનું રહસ્ય એ જ કે માનવનો અમરત્વ પ્રાપ્ત કરવા પાછળનો ઉદ્દેશ વધુ મહાન ને ઉદાત્ત હોવો જોઈએ.
વિજ્ઞાાન જે દાવો અત્યારે કરે છે એના સંદર્ભમાં લાઈફ ડિવાઈનના એક પ્રકરણની ફૂટનોંધમાં શ્રી અરવિંદે જે લખ્યું છે. તે સૂચક છે.
''ધારો કે શારીરિક વિજ્ઞાાન અથવા તો ગૂઢવિદ્યા, એવી વ્યવસ્થા ને એવા સાધનો શોધી કાઢે, કે જેનાથી શરીરને કાયમને માટે ટકાવી રાખી શકાય તો પમ એ શરીર જો આત્માના વિકાસની અભિવ્યક્તિ માટેનું યોગ્ય કરણ બની રહેવા અનુકુળ ન જણાય તો આત્મા એને ત્યજી દેવાનો કંઈક રસ્તો શોધી કાઢશે અને પોતે નવીન સ્વરૃપ ધારણ કરી લેશે. મૃત્યુનું ભૌતિક કે શારીરિક કારણ એ એનું સાચુંકે એકમાત્ર કારણ નથી. નૂતન સ્વરૃપના વિકાસ માટેની આધ્યાત્મિક જરૃરિયાત એ જ મૃત્યુનું સાચું કારણ છે''
મૃત્યુના બાહ્ય કારણો એના આંતરિક કારણોના ચિહ્ન માત્ર છે. અને આ આંતરિક કારણો જીવનના મૂળ હેતુ સાથે તેમજ માનવના ભાવિ સાથે સંકળાયેલાં હોય છે. શ્રી અરવિંદ કહે છે ''શાસ્વત પૂર્ણતા આપણને એના પોતાના સ્વરૃપમાં ઢાળી રહી છે'' અને જ્યારે આ પૂર્ણત્વ પૂરેપૂરી રીતે પ્રત્યક્ષ થશે ત્યારે જ મૃત્યુ માનવ પર નિરંકુશ રીતે સત્તા ચલાવતું બંધ થઈ જશે. ઉત્ક્રાંતિની પ્રક્રિયા એ જડતત્વમાં તિરોભૂત થયેલી અને એનાથી સ્વાતંત્ર્ય પ્રાપ્તી માટે મથતી ચેતનાની જ પ્રક્રિયા છે. અને આમ સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવામાં એ ચેતના તબક્કાવાર સફળ પણ થઈ રહી છે. પરિણામે જડતત્વમાં જીવનનો સંચાર થયો, તેમજ પ્રાણ તત્ત્વમાં, જીવનમાં મનનો આવિર્ભાવ થયો.
(પ્રાણ તત્ત્વ અને મને એ બંને પોતે પણ અનેક અવસ્થાઓમાંથી પસાર થયા છે) આ વિકાસયાત્રામાં પ્રગટ થતી દરેક ઉર્ધ્વ શક્તિ જ્યારે પૂર્ણ આવિર્ભાવને પામે છે ત્યારે એ એની અગાઉ આવિર્ભૂત થયેલી શક્તિ ઉપર પ્રભાવ પાડી એને પોતાની સેવક બનાવી દઈ એની પાસેથી કામ લે છે. આપણા ભૌતિક શરીરને એ મુજબ પ્રાણ અને મનની ઈચ્છાઓને આધીન રહેવું પડે છે.
આ પ્રાણ અને મન શરીરના વિકાસ પછીથી વિકસેલા ઉર્ધ્વ તત્ત્વો છે. શરીર પૂર્ણ આવિર્ભાવ (સફળતા)ને પામ્યું નથી. મૃત્યુ એ એની નિષ્ફળતા છે. હજુ સુધી જેનો િઆર્ભાવ થયો નથી એવી મહત્તમ શક્તિ (જેને શ્રી અરવિંદ અતિમનસ તરીકે ઓળખાવે છે)ના આવિર્ભાવ દ્વારા જ આપણા સ્વરૃપના વિરોધી ભાગો વચ્ચે સંપૂર્ણ સંવાદિતા સ્થાપી શકાશે અને આ સંવાદિતા વડે જ શરીર પદાર્થનું વિશુધ્ધ ચેતનામાં રૃપાંતર સાધી શકાય. અને આમ થયા પછીજ સાચું અમરત્વ પ્રાપ્ત કરી શકાશે. એક પ્રશ્નના જવાબમાં શ્રી અરવિંદે જણાવ્યું છે ''અમરત્વ એ અતિમનસ રૃપાંતરનાં શક્ય પરિણામો પૈકીનું એક પરિણામ છે. પરંતુ એ એનું આવશ્યક પરિણામ ન હોઈ શકે.
અને અમરત્વનો અર્થ કંઈ એવો નથી થતો કે જીવન અત્યારે જેવું છે તેવું ને તેવું અચોક્કસ સમય સુધી લંબાવ્યે જવું. જો કે ઘણા એમજ ધારે છે કે આવું બનશે, તેઓ જેવાં છે તેવાં પોતાની કામનાઓ સહિત જીવંત રહેશે અને અવિરત પણે એ કામનાઓને સંતોષ્યા કરશે. પરંતુ આ પ્રકારનું અમરત્વ એ ઈચ્છવા જોગ વસ્તુ નથી અને લોકો આ પ્રકારના અમર ત્વથી પણ જલ્દી ત્રાસી જશે.''
માનવની ચેતનામાં કોઈ અચોક્કસ સ્તર ઉપર આ અમરત્વની ગુપ્ત ભાવના અને આ ભાવનાની છેવટની પરિપૂર્ણતામાંનો એનો દ્રઢ વિશ્વાસ કદાચ છુપાઈને રહેલાં હોવાં જોઈએ. અને અજ્ઞાાનાવસ્થામાં આ જ શ્રધ્ધા અને વિશ્વાસ મૃત્યુ પરત્વેની તીવ્ર નફરત અને જન્મજાત બંડની લાગણીનું રૃપ લઈ માનવમાં ઉભરાઈ આવે છે.
એકદમ જુની પુરાણકથાઓમાંની એક ઇૈગગની ર્ક જીૅરૈહટ મૃત્યુનું રહસ્ય અસરકારક રીતે સમજાવેછે અને એક મહત્ત્વનો સંદેશ પણ માનવજાતિને આપે છે.
સ્ત્રીનું માથું, શરીર સિહનું, પગ કૂતરાના અને પૂંછડા તરીકે સર્પોને ધરાવતી વિચિત્ર દેહાકૃતિવાળી આ જીૅરૈહટ એક વખત સૂમસામ રસ્તાની બાજુની ટેકરી ઉપર બેઠી હતી.
ત્યાંથી પસાર થતાં લોકો સમક્ષ એ એક કોયડો રજુ કરતી અને જે એનો ઉકેલ આપવામાં નિષ્ફળ જતાં એમનો તે સંહાર કરી નાખતી. એ કોટડો હતો 'એવું કયું પ્રાણી છે જે સવારે ચાર પગે, દિવસ દરમ્યાનબે પગે અને સાંજના ત્રણ પગે ચાલે છે.'
ઘણા માણસોએ જાન ગુમાવ્યા પછી ઓડીયસ (Hero) ત્યાંથી પસાર થયો. કોયડો સાંભળતાં જ તેણે જવાબ આપી દીધો 'હું માનવ એ પ્રાણી છું.' 'માણસ પોતાના જીવનના ઉષાકાળમાં ચાર પગે (ઘૂંટણિયે) ચાલે છે, યુવાનીદરમ્યાન બે પગે અને જીવનની સંધ્યાના સમયે, વૃધ્ધાવસ્થામાં લાકડી રૃપી ત્રીજા પગનો સહારો લઈ ત્રણ પગે ચાલે છે' અને જેવો ઓડીયસે સાચો ઉકેલ રજુ કરી દીધો કે તુર્ત જ Sphinx મૃત્યુ પામી.
આ પ્રતીક સ્પષ્ટ છે Sphinx મૃત્યુનું પ્રતિક છે. એની રચના પરતી જ સ્પષ્ટ થાય છે કે તે અવાસ્તવિકતા છે. એટલે કે મૃત્યુ અવાસ્તવિકતા છે. પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે જવાબ પોતેજ પોતાને જાણતો નથી. (માણસ પોતાની જાતને પામ્યો નથી) અને જે પોતાને (જવાબને) જાણતો નથી તેને Sphinx - અવાસ્તવિકતા-મૃત્યુ ભરખી જાય છે. જો જવાબ આપવામાં આવે છે તો Sphinx મૃત્યુ પામે છે. એટલે જે દિવસે માણસ પોતાને જાણતો થઈ જશે તે જ સમયે મૃત્યુનું મૃત્યુ થશે, એ એક વાસ્તવિકતા રૃપે મટી જશે.
શ્રી અરવિંદના શબ્દોમાં-
''Death is the Question Nature puts continually to Life and her reminder to it that it has not yet found itself.''
'મૃત્યુ એ કુદરતનો જીવનને સતત કરવામાં આવતો પ્રશ્ન છે અને એ જીવનને એ યાદ કરાવવા આવે છે કે તેણે હજુ પોતાના સત્ય સ્વરૃપને જાણ્યું નથી.'
હવે મૃત્યુ ઉપરના વિજયના આધ્યાત્મિક પાસા અંગે-
- મનોજ દાસ
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar