Get The App

આત્મા-મન-શરીરના જોડાણ પર આધારિત ઇંટીગ્રેટિવ મેડિસિન સચોટ વૈકલ્પિક ચિકિત્સા

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
આત્મા-મન-શરીરના જોડાણ પર આધારિત ઇંટીગ્રેટિવ મેડિસિન સચોટ વૈકલ્પિક ચિકિત્સા 1 - image


- ગોચર-અગોચર - દેવેશ મહેતા

- પ્રેમ કરવો અને પ્રેમ પામવો એ ઇશ્વરના આશીર્વાદ છે અને પરમ ધન્યતા છે એવી પ્રતીતિ કરનાર સ્વસ્થ રહે છે

‘We are all here for a single purpose : to grow in wisdom and to learn to love better - - આપણે બધા અહીં એક જ ઉદ્દેશ્ય માટે છીએ-જ્ઞાનમાં વૃદ્ધિ કરવી અને વધારે સારી રીતે પ્રેમ કરતાં શીખવું.

 - Dr. Rachel Naomi Remen (Kitchen Table Wisdom : Stories that Heal)

અમેરિકન વૈકલ્પિક ચિકિત્સક ડૉ. રચેલ નેઓમી રેમેન એક પીડિયાટ્રિશિયન છે જેમણે એકીકૃત-સંપૂર્ણ ચિકિત્સા (integrative medicine) ના ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. તે સાન ફ્રાન્સિસ્કોની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં ઓશર સેન્ટર ઓફ ઇન્ટીગ્રેટિવ મેડિસિનમાં પ્રોફેસર છે. માઇકલ લર્નર સાથે તે કોમનવીલ કેન્સર હેલ્પ પ્રોગ્રામના સંસ્થાપક છે. ડૉ. રેચલ 'ઇન્સ્ટિટયૂટ ફોર ધ સ્ટડી ઓફ હેલ્થ એન્ડ ઇલનેસ'ના સંસ્થાપક પણ છે. તે આખા યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકાની મેડિકલ સ્કૂલોમાં ઉપયોગમાં લેવાતા 'ધ હીલર્સ આર્ટ (The Healer's Art) નામના એક મેડિકલ વિદ્યાર્થી પાઠયક્રમ (medical student curriculum)ના સંસ્થાપક પણ છે. ડૉ. રેચલ નેઓમીના સૌથી પ્રસિદ્ધ પુસ્તકોમાં કિચન ટેબલ વિઝડમ ઃ સ્ટોરિઝ ધેટ હીલ' અને 'માય ગ્રાન્ડફાધર્સ બ્લેસિંગ' છે જે ધ ન્યૂયોર્ક ટાઇમ્સ બેસ્ટ સેલરમાં સ્થાન પામેલી છે. કિચન ટેબલ વિઝડમ : સ્ટોરિઝ ધેટ હીલની તો ૭૦૦,૦૦૦થી પણ વધારે કોપીઓનું વેચાણ થયેલું છે.

ડૉ. રેચલ રેમેનની હ્યુમેનિસ્ટિક મેડિસિન તરીકે ઓળખાતી વૈકલ્પિક ચિકિત્સા એ 'હોલિસ્ટિક હીલિંગ' જ છે જે માત્ર ભૌતિક શરીરની ચિકિત્સા કરતું નથી પણ મેટાફિઝિકલ સ્તર પર મન અને આત્માની ચિકિત્સા કરે છે. એનર્જી મેડિસિન, કોન્ટેક્ટ હીલિંગ અને બિહેવિયરલ મેડિસિન તરીકે ઓળખાતી વૈકલ્પિક ચિકિત્સાઓ આ જ પ્રકારની અન્ય ઉપચાર પદ્ધતિઓ છે. જે માઇન્ડ-બોડી રિલેશન પર કામ કરે છે. એમાં મનથી પણ આગળના આત્માના સ્તર પરથી ચિકિત્સા કરાય છે.

ડૉ. રેચલ નેઓમી (નાઓમી) રેમેન કહે છે કે તેમના ત્રણ ગુરુઓ છે જેમણે તેમનામાં આવો અભિગમ વિકસાવવા પ્રેરણા પૂરી પાડી. એમાં પહેલાં છે સંત લ્યૂક જેમણે તેમને બતાવ્યું કે તેની વૈજ્ઞાનિક શક્તિ ઉપરાંત ચિકિત્સા તેના મૂળમાં આધ્યાત્મિક માર્ગ છે જે કરૂણા, અહાનિકારકતા અને સેવા પર આધારિત છે.

એમના બીજા ગુરૂ મેમોનેડેસ છે. જેમણે તેમના માટે ચિકિત્સાને એક વિશેષ પ્રકારના પ્રેમના રૂપમાં પરિભાષિત કરી. આ પ્રેમ બીજાના જીવન માટે મિત્રતા રાખવાનો છે. તે શીખવે છે - મને બધા પ્રાણીઓ પ્રત્યે પ્રેમથી પ્રેરિત કરો જેથી હું બધા પીડિતોમાં મિત્ર માનવને જોઈ શકું. એમના ત્રીજા ગુરુ છે તેમના દાદા રબ્બી મેયર જિસ્કિંડ જેમણે તેમને જીવનને સરળતાથી, સમગ્રતાથી અને પ્રામાણિકતાથી જીવવાનું શીખવ્યું. આવા આધ્યાત્મિક ગુણોથી જ વ્યક્તિ દુનિયામાં દૈદીપ્યમાન બની શકે છે.

ડૉ. રેચલ રેમેન કહે છે કે મનુષ્યનુ જીવન અર્થપૂર્ણ હોવું જોઇએ. વ્યક્તિએ નવા નવા અર્થ સર્જતા રહેવું જોઇએ. જીવનની ક્રિયાઓ ઉમદા હેતુ સિદ્ધ કરવા થવી જોઇએ. રસોઈ કરનાર ગૃહિણી રસોઇથી કુટુંબની તંદુરસ્તી સારી રહે એ ભાવના હોય છે. એટલે જ એ અનેક બાબતોનું ધ્યાન રાખે છે. એટલે જ એ સારી વસ્તુ મેળવવા ગ્રોસરીની લાઈનમાં ઊભી રહે છે, શ્રેષ્ઠ ગુણવત્તાવાળી વસ્તુઓ ખરીદે છે, રસોડામાં ઊભી રહે છે અને પ્રેમભાવથી પ્રેરાઈને રસોઈ બનાવે છે. તે ગમે તેમ (જેમ તેમ-આડેધડ, કરવા ખાતર કરે તેમ) રસોઈ કરી નાંખતી નથી પણ બધાને ગમે તેમ (પસંદ આવે-ભાવે તે રીતે) રસોઈ કરે છે. કેટલીક વાર આપણને જમવાની વસ્તુ કરતાં જમતાં જમતાં કહેવાયેલા કોઇ પ્રેરક પ્રસંગ કે બોધદાયક વાર્તાની વધુ જરૂર 

હોય છે.

કેન્સરના દર્દીઓ સાથે મેં ઘણા વર્ષો સુધી કામ કર્યું એ દરમિયાન મેં જોયું કે દર્દીના જીવનમાં ઉચ્ચ હતો તેણે એનામાં વધારે જીવવાની ઇચ્છા ટકાવી રાખી અને કેન્સરની અસરથી મુક્ત થયા બાદ લાંબુ જીવ્યા હતા. જીવનનો ખરો અર્થ છે ડહાપણ વધારવું અને પ્રેમ પ્રસરાવવો.

‘Inner peace is more a question of cultivating perspective, meaning and Wisdom even as life touches you with its pain -  આંતરિક શાંતિનો સંબંધ પરિપ્રેક્ષ્ય, અર્થ અને જ્ઞાન (ડહાપણ) વિકસિત કરવા અંગે છે, ભલે ને જીવન તમને પીડાથી ગ્રસ્ત કેમ ન કરી રહ્યું હોય.'

દરેક વ્યક્તિની વ્યક્તિગત વિશેષતા જાણી તેને આદર આપવો. અમે કોમનવીલ રટ્રીટમાં કેન્સરના દર્દીને ૬ અઠવાડિયા સુધી હોલિસ્ટિક હીલિંગ આપ્યું. એ દર્દી સાથે ચર્ચા, વિચારણા, સંવાદ, પ્રશ્નોત્તરી, પૂછપરછ વગેરે આત્મીયતાપૂર્વક કર્યા. એનાથી એમને લાગ્યું કે એમનું જીવન મૂલ્યવાન છે. એમનું દુઃખ સમાન રીતે વહેંચાયું. તેમને સહાનુભૂતિ, સહયોગ અને પ્રેમ મળવાથી દુઃખની માત્રા ઘટી ગઈ. પ્રેમનું સામીપ્ય દર્જ નિવારવામાં ખૂબ ઉપયોગી બને છે. પ્રેમ જબરદસ્ત હીલિંગ કરે છે. કોઇ આપણી દરકાર કરે છે, આપણા કામ પસંદ કરે છે, આપણા સુખ-દુઃખમાં સહભાગી બને છે એ અનુભૂતિ આપણી જીવવાની ઇચ્છાને વધારે બળવાન બનાવે છે. પ્રેમ કરવો અને પ્રેમ પામવો એ ઇશ્વરના આશીર્વાદ છે અને પરમ ધન્યતા છે એવી પ્રતીતિ કરનાર સ્વસ્થ રહે છે. જીવન પરત્વેનું ડહાપણ (Wisdom) પ્રેમ, પ્રસન્નતા, પરિતોષ, પ્રતીક્ષા અને પ્રશાંતિમાં રહેલું છે. પ્રેમસભર શાંતિ અને સર્વાર્થસાધક મૌન સંબંધોને સુગ્રથિત રાખવાની અને ઉપચાર કરવાની શક્તિ ધરાવે છે. બીજી વ્યક્તિ સાથે સારી રીતે સંબંધિત થવાનો સર્વાધિક શક્તિશાળી અને સચોટ રસ્તો એને શાંતિથી સાંભળવાનો છે. બીજાને સાંભળો, એના તરફ પૂરું ધ્યાન આપો.

આપણે આત્માને ધારણ કરીએ છીએ એવું નથી, પણ આપણે આત્મ જ છીએ (It is not that we have a soul, but that we are a soul.)  આપણો આત્મા શરીરના દરેક કોષમાં વ્યાપેલો છે. આત્મા, મન અને શરીરનું જોડાણ થાય ત્યારે શરીર આપમેળે સ્વસ્થ થવા લાગે છે. આપણું મન, એની ભાવનાઓ અને માન્યતાઓ આપણને બંધનમાં નાંખે છે કે મુક્ત કરે છે, બીમાર બનાવે છે કે સ્વસ્થ રાખે છે. 'ઋક્રલૃ ષ્ં ઋક્રલૃળ્બૂક્રક્રક્રધ્ ઙ્ગેંક્રથ્ક્રધ્ ખ્ક્ર્રઋક્રક્રદ્બ(ક્રૂક્રદ્બથદ વ 'બ્હૃક્રક્રઋક્રદ્બં બ્ઝ્ર જીક્રધ્જીક્રક્રથ્થ દ્યઅષ્ટત્નૂઅલૃદ્બલૃ ઙ્મક્રક્રદ્બ્રૂદ્બદ્યદ્ધ વ ૂબ્હૃહૃક્રદ્ય દ્યઋક્રૂક્રદ્બ ઋક્રઅૂક્રદ્બ' ટક્રળ્શઋક્રદ્બદ્યદ્યદ્ધ જીક્રલૃક્રદ્યલૃઋક્રદ્ધ વવદ ખરેખર ચિત્ત એ જ સંસાર છે એ બાબત માનવીએ પ્રયત્નપૂર્વક શોધી કાઢવી જોઇએ. માનવીનું જેવું મન હોય છે તેવો જ તે હોય છે એ ગૃહ્ય કહેવાય એવું સનાતન સત્ય છે.

આ રીતે આત્મા-મન-શરીરના સમન્વયવાળી એકીકૃત ચિકિત્સા (Integrative Medicine) સાચો-સચોટ રોગોપચાર કહી શકે છે.

Tags :