Get The App

આજનો માણસ સ્વાર્થ માટે દુર્યોધન કે રાવણને પણ નિમંત્રે

Updated: Jun 17th, 2025

GS TEAM


Google News
Google News
આજનો માણસ સ્વાર્થ માટે દુર્યોધન કે રાવણને પણ નિમંત્રે 1 - image


- એક જ દે ચિનગારી-શશિન્

- માણસ ધર્મ કરતાં જીતને વધુ મહત્ત્વ આપે છે. જીતનો માર્ગ સ્વચ્છ હોય કે ગંદો એની પરવા તે રાખતો નથી

સૂ રજ ઉગે છે, કારણ કે ઉગવાની તેની પ્રતિજ્ઞા છે. ઝરણું વહે છે કારણ કે વહેવાની એની પ્રતિજ્ઞા છે.

વાયુ વાય છે કારણ કે જગતને ઠંડક આપવાની તેની પ્રતિજ્ઞા છે આકાશ વાદળાંને આશ્રય આપે છે કારણ કે જગતને પાણી આપવાની તેની પ્રતિજ્ઞા છે ધરતી અબજો વર્ષોથી માણસો અને પશુઓનો ભાર સહન કરે છે કારણ કે લોકકલ્યાણની એની પ્રતિજ્ઞા છે.

જિંદગી એટલે જ સુપ્રતિજ્ઞાઓનો અવસર. આપણે પ્રતિજ્ઞા કરીને આ રૂપાળી ધરતી પર અવતર્યા છીએ, કારણ કે માણસાઈને ઉજાળવાની આપણી પ્રતિજ્ઞા છે, લિખિત નહીં. વણલેખિત.

જીવન એટલે જ માણસાઈના પ્રયોગો. આપણે તેને માત્ર વૈભવ માણવાની સોનેરી તક સમજી બેઠા છીએ. શ્રેષ્ઠ જીવન માટે આવશ્યક છે શ્રદ્ધા અને સંયમ. સંસ્કૃતના એક સુભાષિતમાં કહેવામાં આવ્યું છે કે દેવે તીર્થ દ્વિજે, મંત્રે

દૈવજ્ઞો ભિષજે ગુરૂ

યાર્દશી ભાવના ભરતી

સિદ્ધિર્ભવતિ તાર્દશી.

દેવ, તીર્થ, બ્રાહ્મણ મંત્ર,

જ્યાતિષ, વૈદ્ય અને ગુરૂ

જેની જેવી શ્રદ્ધા તેવું ફળ

તેને પ્રાપ્ત થાય છે.

આજની આપણી જીવનયાત્રા જ શ્રદ્ધાવિહીન બની ગઈ છે. અહીં અકબર બાદશાહ અને બિરબલ વચ્ચેનો એક પ્રસંગ રસપ્રદ નીવડશે. જ્યારે બિરબલે કહ્યું કે જાતમાં શ્રદ્ધા એ જ પરમાત્મા ત્યારે બાદશાહ અકબરને આ વાતનો વિશ્વાસ ન બેઠો. પ્રશ્ન એ હતો કે યકીન બડા કે પીર. બિરબલે પીર કરતાં યકીનનંે મહત્ત્વ વધારે છે એમ કહ્યું ત્યારે અકબરે એ વાત ન સ્વીકારી. બિરબલે કહ્યું કે યોગ્ય સમયે મારી વાત સિદ્ધ કરી બતાવીશ.

ત્યાર બાદ બિરબલે અકબર પાસે એક લાખ રૂપિયા ઉછીના માગ્યા. અકબરે તે રૂપિયા આપ્યા, એટલે બિરબલે ભારે ખર્ચ કરી એક દેવમંદિર ચણાવ્યું. અને તેની પાસેની ભોંયમાં જૂનાં પગરખાંની પોટલી વીંટાળીને ભોંયમાં ભંડારી દીધી.

ત્યાર બાદ ઢંઢેરો પીટાવ્યો કે એક ચમત્કારી દેવસ્થાને રૂપિયા ચઢાવનાર સહુ કોઈની મનોકામના પૂર્ણ થાય છે.

લોકોએ આ ઢંઢેરો સાંભળી દોડાદોડ શરૂ કરી. રૂપિયાનો ઢગલો થવા માંડયો. અકબરના કાને પણ આ વાત પહોંચી. તેઓ પણ રૂપિયા અને ફૂલ લઈ દેવસ્થાને પહોંચ્યા અને પ્રતિજ્ઞા કરી કે જો હું મેવાડના મહારાણા પ્રતાપને પરાજિત કરીશ અને મારે શરણે લાવીશ તો બહુ જ મોંઘી કિનખાબ લાવી દેવસ્થાને ચઢાવીશ.

એટલામાં ત્યાં બિરબલ આવી પહોંચ્યો. બાદશાહે ચમત્કારી દેવસ્થાનની પ્રશંસા કરી. એટલે બિરબલે ખોદકામ કરી પેલી પગરખાંની પોટલી કાઢીને અકબરને કહ્યું કે જો આપ યકીન ધરાવતા ન હોત તો આ સ્થળે હિનખાબ ચઢાવવાની બાધા રાખત નહીં. ત્યારથી અકબરે માત્ર શ્રદ્ધાવાદી રહેવાને બદલે દ્રઢનિશ્ચયી બનવાનો નિર્ણય કર્યો.

માણસના જીવનમાં પ્રતિજ્ઞાનું મહત્ત્વ હોઈ શકે, પણ એતો અર્થ એ નથી કે આપણે બાધા-બંધણીનો આશરો લઈને અંધશ્રદ્ધાવાદી બનીએ. આપણને આપણા પોતાનામાં, આપણી શક્તિમાં શ્રદ્ધા હોવી જોઈએ. કવિ દિનકરે 

કહ્યું છે તેમ

માનવ જબ જોર

લગાતા હૈ,

પત્થર પાની

બન જાતા હૈ,

તાનસેન અને બૈજૂ બાવરાનો પ્રસંગ પ્રચલિત છે ખરેખર તો મૃત્યુ આપણને મરીને ખૂદ રડે એવી ઉદાત્ત ભાવના સભર જીવવાની પ્રતિજ્ઞા લેવી એ પરમાત્માના વહાલસોયા પુત્ર તરીકે આપણું કર્તવ્ય છે.

માણસના જીવનમાં પ્રતિજ્ઞા કેમ જરૂરી છે ? આવો પ્રશ્ન આપણા મનમાં જન્મવો જરૂરી છે. પ્રતિજ્ઞા કર્યા વગર પણ આપણે સંપૂર્ણ નિષ્ઠાંથી સત્યનો પાલવ પકડીને જીવી શકીએ.

પણ માણસની મુશ્કેલી એ છે કે એણે 'રામાયણ'નો પાઠ પણ કરવો છે અને 'મહાભારત' સાથે પણ સંબંધ રાખવો છે. શ્રીકૃષ્ણને યાદ રાખવા છે પણ દુર્યોધનને સદંતર જાકારો આપવો નથી. સ્વાર્થ માટે માણસ દુર્યોધન કે રાવણને પણ નિમંત્રણ પાઠવશે. માણસ જિંદગીમાં ધર્મ કરતાં જીતને વધુ મહત્ત્વ આપે છે અને જે માર્ગે જીત શક્ય બને તે માર્ગ સ્વચ્છ હોય કે ગંદો એની માણસ પરવા રાખતો નથી. જેનું મન સ્વચ્છ અને શુદ્ધ હોય તે વિવેક શક્તિને વરેલો હોય છે. તે અનુચિત હશે તેનો પળમાંય ત્યાગ કરવાનો મોકો હાથથી જવા નહીં દે.

કાકા કાલેલકરે એક સરસ મજાની વાત કરી છે. તદનુસાર તેમના મતે જેમ કોઈ વેપારીને નવો ધંધો કરવો હોય અને પાસે વધુ પૈસા ન હોય તો ઘરેણું વેચીને પણ મૂડી ઉભી કરે છે તેમ આપણે પણ સમજવું જોઈએ કે ઘરેણાં બનાવીશું આવતી કાલે વેપારમાં ખોટ જવાને ટાણે ખપમાં આવશે. આપણામાં રહેલી ધર્મબુદ્ધિને જીવન શક્તિનો આધાર બનાવવી જોઈએ.

પ્રતિજ્ઞા સત્ય પ્રેરિત, સદ્દવર્તન પ્રેરિત અને માનવતા પ્રેરિત હોય તો જ તેનું મહત્ત્વ. તો જ તે કલ્યાણકારી ગૂંડો પણ પોતાના શત્રુને ખતમ કરવાની પ્રતિજ્ઞા લે તો તેનો અર્થ શો ? શું રાખવું એના કરતાં શું જતું કરવું એનું પ્રતિજ્ઞામાં મહત્ત્વ છે. જીવનની સાચી પરિભાષા એક જ હોઈ શકે. જીવન એટલે માણસાઈના પ્રયોગો, સ્વાર્થની ભવ્ય ઈમારત ચણવાની તક નહીં.

Tags :