Get The App

ટોલ બચાવવું બન્યું સરળ: આ માટે ઉપયોગ કરો રાજમાર્ગયાત્રાના નવા ફીચરનો

Updated: Jun 27th, 2025

GS TEAM

Google News
Google News
ટોલ બચાવવું બન્યું સરળ: આ માટે ઉપયોગ કરો રાજમાર્ગયાત્રાના નવા ફીચરનો 1 - image


New Feature for Toll Charge: નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા હવે રાજમાર્ગયાત્રા એપમાં એક નવું ફીચર લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સને કયા રોડ પર ઓછો ટોલ લાગશે એ જાણી શકાશે. આ ટોલ જોયા બાદ વાહનચાલકે કયા રોડને પસંદ કરવો તે નક્કી કરી શકશે. આથી બે ડેસ્ટિનેશન વચ્ચેના ટોલ માટે આ ફીચર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તેમ જ આ ફીચર દ્વારા વાહનચાલકો માટે ટોલને લઈને વધુ પારદર્શકતા ઊભી કરવામાં આવી છે.

શું છે આ નવું ફીચર?

આ એપ્લિકેશનમાં હવે વાહનચાલકોને બે સ્થળ વચ્ચે જેટલા પણ રસ્તાઓ હશે તે દેખાડવામાં આવશે. તેમ જ તમામ રસ્તા પર કેટલાં ટોલ લાગશે તે નક્કી કરવામાં આવશે અને ત્યાર બાદ યુઝરને તમામ માહિતી આપવામાં આવશે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સિસ્ટમ સાથે આ એપ્લિકેશન કનેક્ટ હોવાથી ટોલની માહિતી અને રસ્તાની સ્થિતિ પણ રિયલ-ટાઇમમાં આપવામાં આવશે. આથી વાહનચાલક હવે અંતર અને સમયની સાથે પૈસાની દૃષ્ટિએ પણ નિર્ણય લઈ શકશે. ઇન્ડિયન હાઇવે મેનેજમેન્ટ કંપની લિમિટેડના ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમના ચીફ પ્રોડક્ટ ઓફિસર અમ્રિત સિંઘા આ અંગે કહે છે, ‘લખનઉથી દિલ્હી જવા માટે ત્રણ વિકલ્પ છે. પહેલો યમુના એક્સપ્રેસવે, બીજો ઘાઝિયાબાદ-અલિગઢ-કાનપુર-લખનઉં અને ત્રીજો મોરાદાબાદ-બરેલી-સિતાપુર-લખનઉં. આ એપ્લિકેશનમાં યુઝરને દરેક રસ્તા પર કેટલો ટોલ લાગશે તેની માહિતી આપવામાં આવશે.’

કેવી રીતે પસંદ કરશો રસ્તો?

યુઝર પાસે અંતર અને સમયના આધારે અગાઉ વિકલ્પ ઉપલબ્ધ હતા. હવે તેમના માટે ટોલના ખર્ચના આધારે પણ નવી પસંદગી ઉપલબ્ધ છે. કાર માટે યમુના એક્સપ્રેસવેને પસંદ કરતાં અંદાજે ₹1200 ટોલ થાય છે, જ્યારે ઘાઝિયાબાદ-અલિગઢ-કાનપુર માર્ગ માટે ₹950 અને મોરાદાબાદ-બરેલી-સિતાપુર માર્ગ માટે અંદાજે ₹870 થાય છે. આથી ટોલના આધારે શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ₹870 વાળો રસ્તો પસંદ થઈ શકે છે. જોકે વાહનચાલક પોતાની ઇચ્છા પ્રમાણે અન્ય વિકલ્પ પણ પસંદ કરી શકે છે.

ટોલ બચાવવું બન્યું સરળ: આ માટે ઉપયોગ કરો રાજમાર્ગયાત્રાના નવા ફીચરનો 2 - image

આ ફીચર કેમ મહત્ત્વનું છે?

આ ફીચરની મદદથી વાહનચાલક પોતાના ખર્ચ પર નિયંત્રણ રાખી શકે છે. ક્યારેક ફાસ્ટટેગમાં પૂરતા રૂપિયા ન હોય અથવા ફરીથી રિચાર્જ ન થઇ શકે ત્યારે આ માહિતી ઉપયોગી બની શકે છે. સાથે જ, ટોલ ખર્ચ અને માર્ગની સ્થિતિના આધારે શ્રેષ્ઠ માર્ગ પસંદ કરવો વધુ સચોટ રીતે નક્કી કરી શકાશે. જો સમય મહત્ત્વનો હોય તો વધુ ટોલ ભરવો યોગ્ય રહી શકે છે, અને જો સમય મળતો હોય તો ખર્ચ બચાવી શકાય છે.

આ પણ વાંચો: કપડાં ટ્રાય કરવાના ઝમેલાથી યુઝર્સને મળશે રાહત: ગૂગલે આ માટે લોન્ચ કરી 'ડોપલ' એપ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે હવે ઝડપથી આગળ વધી રહ્યો છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા હવે 67 કિલોમીટરનો બંદિકુઈ–જયપુર વાયા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પણ બહુ જલ્દી ખુલ્લો મૂકશે. આ વિષયમાં રાજસ્થાનના રિજનલ ઓફિસર પ્રદીપ અત્રી કહે છે, ‘બંદિકુઈ-જયપુર ફોર લેન ઍક્સેસ-કંટ્રોલ્ડ રોડ છે અને તેને ₹1,368 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. જુલાઈના મધ્ય સુધીમાં ટ્રાફિક ટ્રાયલ શરૂ થશે.’

Tags :