ભાવનગર થી અમદાવાદ સુધી સાપ્તાહિક ટ્રેન દોડશે
ભાવનગર, તા. 05 માર્ચ 2019, મંગળવાર
ભાવનગરથી અમદાવાદની સાપ્તાહિક ટ્રેનને દોડાવાનું રેલવેએ નિર્ણય કર્યો છે. આ ટ્રેન દર રવિવારે ભાવનગર ટર્મિનસથી ઉપડશે.; રેલવે દ્વારા અમદાવાદ-ઉધમપુર જન્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનને ભાવનગર સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે.
આ ટ્રેન દર રવિવારે વહેલી સવારે 4.50 કલાકે ભાવનગરથી ઉપડશે. અમદાવાદ જતી ટ્રેન સિહોર, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ અને વિરમગામ સ્ટેશન ખાતે ઉભી રહેશે અને ત્યાંથી ઉપડી સવારે ૯-૫૦ કલાકે અમદાવાદ પહોંચશે. જ્યારે બુધવારે ૭.૨૫ કલાકે જન્મભૂમિ એક્સપ્રેસ ટ્રેન અમદાવાદથી ઉપડી બપોરે ૨-૧૦ કલાકે ભાવનગર આવશે. રેલવે તંત્ર દ્વારા સાપ્તાહિક ટ્રેન દોડાવાના નિર્ણયથી ભાવનગરની જનતાને રવિવારે અમદાવાદ જવા એસ.ટી., ખાનગી વાહનો ઉપરાંત ટ્રેનની સવલત મળી રહેશે.