Get The App

બાબરા પંથકમાં કપાસની સુક્ષ્મ જીવાતોથી શરીરે અસહ્ય ખંજવાળ

- જીનિંગ ઉદ્યોગ અને માર્કેટીંગ યાર્ડ વિસ્તાર અસરગ્રસ્ત

- દરરોજ 200થી વધુ શ્રમિકો, એજન્ટો, વેપારીઓ, ખેડૂતો વગેરેને શરીરે લાલ ચકમા અને ફોડલા ઉપસી આવતા હોવાથી હાલત દયનીય

Updated: Mar 3rd, 2020

GS TEAM

Google News
Google News
બાબરા પંથકમાં કપાસની સુક્ષ્મ જીવાતોથી શરીરે અસહ્ય ખંજવાળ 1 - image


બાબરા, તા.03 માર્ચ 2020, મંગળવાર

બાબરા માર્કેટયાર્ડ અને  જીનીંગ ઉદ્યોગોમાં કપાસ ની અદ્રશ્ય સુક્ષ્મ જીવતો થકી ખેડૂતો, શ્રમિકો, વેપારી, ઉદ્યોગકારો સહિત કપાસ અને કપાસિયા સહિતના ટ્રાન્સપોટેશન સાથે જોડાયેલો વર્ગ અજબ પ્રકાર ની ખંજવળની બીમારીથી પીડિત બન્યો છે.ખંજવળનું પ્રમાણ દિવસ દાડે વધવાની સાથે આ બાબત આખર વીણાટના સીગ્રેડ કપાસના જથ્થામાંથી પ્રસરી રહી હોવાનું ચર્ચામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ બાબરા માર્કેટયાર્ડમાં કામ કરતા શ્રમિકો છેલ્લા ૧૫ દિવસ થી શરીરમાં ચકમા ફોડલા ચાઠા ફોડકી સાથે ખંજવળની બીમારીથી સામાન્ય પરેશાન હતા. પરંતુ છેલ્લા બે દિવસમાં આ રોગે મોઢું ફાડયું હોઈ તેમ બાબરા માર્કેટ યાર્ડમાં કામ કરી રહેલા ૭૦ થી વધુ શ્રમિકો અને મહદ અંશે ખુલ્લી હરરાજી માં ખરીદી માટે આવતા કમીશન એજન્ટો સહિત પોતાની જણસી વેચવા આવનારા ખેડૂતો પણ આવા ખંજવળ રોગથી પીડિત બન્યા છે. સાથો સાથ બાબરા માર્કેટ યાર્ડમાં કપાસની ખરીદી બાદ મોટા ભાગનો જથ્થો સ્થાનિક જીનીંગ ઉદ્યોગમાં જતો હોવાથી આવા યુનિટોમાં કામ કરનારા ૧૦૦ જેટલા મજૂરો પણ ખંજવળની ઝપેટ માં આવતા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

બાબરા માર્કેટયાર્ડ વર્તુળના ઓક્ષનરો અરૂણભાઈ અને અશ્વિનભાઈના જણાવ્યા મુજબ છેલ્લા ચાર વર્ષ થી ફેબુ્રઆરી શરૂવાત અને માર્ચ મહિનાના અંત સુધીમાં આવતા મોટાભાગના સી ગ્રેડ કપાસ (આખરવીણાત) માં સુક્ષ્મ અદ્રશ્ય જીવાતોથી ભારે નુકશાન થાય છે. કપાસ હરરાજી સમય અને બાદ માં કપાસ ગંજ નજીક પગ પાળા પસારથયા બાદ પણ આવી જીવતોની અસર થાય છે અહી માર્કેટયાર્ડ માં રોજ ૫૦૦૦ થી ૭૦૦૦ મણ સુધી આવા સી ગ્રેડના કપાસ ની આવક થાય છે. જેમાં ખંજવળની અસર માનવ તાસીર મુજબ દેખાઈ છે 

માર્કેટયાર્ડ સેકેટરી અજયભાઈ પંડયાના જણાવ્યા મુજબ યાર્ડ ખાતે ખંજવળ નિયંત્રણ માટે તબીબી સલાહ મુજબ મેડીસન દવા ઉપલબ્ધ રાખવામાં આવે છે. પરંતુ રોજીંદી કામગીરી કરનારા શ્રમિક કે વેપારી વર્ગ કાયમી દવા ખાવાથી અન્ય નુકશાની થવા સંભવ હોવાનું માની દવા લેવાનું ટાળી રહ્યા છે. તો અમુક વેપારી હરરાજીના સમયે બાહ્ય લોશન શરીર ઉપર લગાડતા હોવાનું કબુલ કરે છે. જયારે શ્રમિકો પોતાનું કામ પૂર્ણ કરી ઠંડા પાણીના સ્નાન કરવાને વધુ મહત્વ આપતા હોવાનું જણાવી રહ્યા છે.

તાલુકા ખેડીવાડી અધિકારી સચિન પટેલના જણાવ્યા મુજબ ૨૦૦૬થી મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર વિસ્તારમાં કપાસમાં ગુલાબી ઈયળના ઉપદ્રવ બાદ કપાસ વાવેતર પાકના આખર સમયે કોટન જીંડવામાં આવી ઈયળના ઈંડા સહિત સુક્ષ્મ જીવતોના કારણે આવા બનાવો સામે આવી રહ્યા છે અને તેના કૃષિ કાર્ય સમયે તેમજ સિધા સંપર્કમાં આવવાથી આવી જીવતો માનવ શરીરમાં ઓછા વધુ અંશે જુદી જુદી રીતે નુકશાન પહોચાડે છે. તેનાથી બચવા પ્રાથમિક રીતે તબીબી સલાહ મુજબ એલર્જી માટેની મેડીસન સહિત શરીર પુરતી રીતે ઢંકાઈ તેવા વો સહિત મોઢા ઉપર મુખવટો બાંધી આવી કામગીરી કરવી હિતાવહ છે.

Tags :