Gujarat

જામનગર જિલ્લામાં કોરોનાના કારણે વધુ બે દર્દીઓએ દમ તોડયો: જિલ્લામાં મૃત્યુનો આંક 35નો થયો

By GS Team
25 Jul 20201 min read
This article was originally published on 25 Jul 2020
જામનગર જિલ્લામાં કોરોનાના કારણે વધુ બે દર્દીઓએ દમ તોડયો: જિલ્લામાં મૃત્યુનો આંક 35નો થયો

જામનગર, તા. 25 જુલાઈ 2020 શનિવાર 

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના નો વિકરાળ પંજો યથાવત રહ્યો છે, ત્યારે જામનગરના એક વયોવૃદ્ધ દર્દીએ જીજી હોસ્પિટલના બિછાને દમ તોડયો છે, ઉપરાંત જામજોધપુરના એક દર્દીનું રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.

જામનગરમાં ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં રહેતા અબ્દુલ ભાઈ સતારભાઈ મોગલ નામના 75 વર્ષના વયોવૃદ્ધને કોરોનાની બીમારીના કારણે સારવાર માટે જામનગરની જી.જી હોસ્પિટલના કોવિડ વોર્ડમા દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન આજે વહેલી સવારે તેઓનું મૃત્યુ નિપજયું છે. જામનગર શહેરમાં કોરોના ના કારણે 26મું મૃત્યુ થયું છે.

તેજ રીતે જામજોધપુરમા રહેતા 72 વર્ષના બુઝુર્ગ કોરોનાગ્રસ્ત બન્યા હતા અને તેઓને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે ગઈ કાલે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું છે. જામનગર જિલ્લામાં ફુલ મૃત્યુનો આંક 35નો થયો છે.