Get The App

બેંક યુનિયનો સાથેની વાટાઘાટો પડી ભાંગતા બે દિવસની હડતાલ યથાવત

- પગાર વધારાના પ્રશ્ને 9 યુનિયનોનું સામુહિક એલાન

- આગામી 31મી અને 1લી બાદ રવિવાર આવવાથી ત્રણ દિવસ બેંકો બંધ રહેશે: 30મીની બેઠક નિર્ણાયક બની શકે !

Updated: Jan 28th, 2020

GS TEAM

Google News
Google News
બેંક યુનિયનો સાથેની વાટાઘાટો પડી ભાંગતા બે દિવસની હડતાલ યથાવત 1 - image


ભાવનગર, તા. 28 જાન્યુઆરી 2020, મંગળવાર

પગાર વધારા સાથેની વિવિધ માંગણીઓ અંગેની વાટાઘાટો પડી ભાંગા દેશભરની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ અને અધિકારીઓના નવ યુનિયનો દ્વારા આગામી તા.૩૧ જાન્યુઆરી અને ૧લી ફેબુ્રઆરી એમ બે દિવસ માટેની બેંક હડતાલનું દેશવ્યાપી એલાન કરવામાં આવ્યું છે. આ બે દિવસની હડતાલના પગલે બેંકો ૨જી ફેબુ્રઆરીએ રવિવાર હોવાથી ત્રણ દિવસ બંધ રહેશે.

હડતાલ નિવારવા દિલ્હી ખાતે ચીફ લેબર કમિશ્નર રાજન વર્માએ પ્રયાસો કર્યા હતા. પરંતુ બેંક સંચાલકોએ કોઇ નક્કર દરખાસ્ત યુનિયનો સમક્ષ ન કરતાં આ વાટાઘાટો ચીફ લેબર કમિશ્નરની મધ્યસ્થી છતાં પડી ભાંગી હતી. આ વાટાઘાટોમાં કર્મચારી-અધિકારીઓના નવ સંગઠનના બનેલા યુનાઇટેડ ફોરમનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આ વાટાઘાટો અને હડતાલ અંગે બેંકોમાં પગાર તથા નોકરીની અનન્ય શરતો દર પાંચ વર્ષે બેંક સંચાલકો અને યુનિયનો વચ્ચે દ્વિ-પક્ષી વાટાઘાટો દ્વારા રીવાઇઝ થાય છે છેલ્લે ૨૦૧૨માં પાંચ વર્ષ માટે પગાર ધોરણો નક્કી થયા હતાં. જેની મુદત નવેમ્બર-૨૦૧૭માં પુરી થઇ છે.

સરકારે બેંક સંચાલકોને ૨૦૧૬માં સ્પષ્ટ જણાવ્યું હતું કે, મુદત પુરી થાય તે પહેલા વાટાઘાટો પુરી કરી નવા પગાર ધોરણ નક્કી કરી લેવા. પરંતુ બેંક સંચાલકોએ મે-૨૦૧૮ સુધી નિર્ણય લેવાયો જ ન હતો. વાટાઘાટો શક્ય યબની ન હતી. મે-૨૦૧૮માં કારમી મોંઘવારીમાં પીસાતા કર્મચારીઓની મશ્કરી કરતાં હોય તેમ પાંચ વર્ષે માત્ર ૨ ટકા પગાર વધારો આપવા તૈયારી બતાવી હતી. છેલ્લે ૨૦૧૨માં જે કરારો થયા તેમાં પણ ૧૫ ટકા છેલ્લા પાંચ વર્ષમાં મોંઘવારીની સ્થિતિ જોતાં યુનિયનોએ ૨૦ ટકા વધારો માંગ્યો છે.

પરંતુ વર્ષે ૪ ટકા લેખે પાંચ વર્ષે ૨૦ ટકા જેટલોે વાજબી વધારો પણ ન આપવાનના બેંક સંચાલકોના જીદ્દી અમાનવીય વલણના પરિણામે બેંક કામદારો હડતાલનો માર્ગ અપનાવેલ અને આજની વાટાઘાાટો પણ પડી ભાંગતા તા.૩૧ અને ૧લીના બે દિવસના બંધનો કાર્યક્રમ યથાવત રખાયો છે. જોકે આગામી ૩૦મીએ ઇન્ડીયન બેંક એસો.એ યુનિયન સાથે બેઠક ગોઠવી છે. જે બેઠક પણ નિર્ણાયક બની શકે છે. અન્યથા આ નવ યુનિયનોના સંગઠને બે દિવસની હડતાલથી ઉકેલ ન આવે તો ૧૧મી માર્ચથી ત્રણ દિવસની અને ૧લી એપ્રિલથી બે મુદતની હડતાલ પાડવાનો નિર્ણય કર્યો છે.

Tags :