રાજકોટ નજીક ત્રમ્બા સુધી સિંહો પહોંચ્યા, એક મારણ કરતા ફફડાટ
રાજકોટ, તા. 03 જાન્યુઆરી 2021, રવિવાર
રાજકોટ થી આશરે દસેક કિમિ દૂર આવેલા અને અનેક મોટી શૈક્ષણિક સંકુલો આવેલા છે એ ત્રમબા નજીક સિંહો પહોંચી ગયા છે અને એક ગાય નું મારણ કર્યું હતું. છેલ્લા એક મહિનાથી સરધાર અને ભાયાસરની વિડીમાં ત્રણ સિંહો ફરી રહ્યા છે.
ગઈ રાત્રે વડાળી ગામની સીમમાં એક ગાય નું મારણ કરતા લોકોમાં ફફડાટ ઉભો થયો છે. છેલ્લા એક મહિનામાં આશરે ત્રીસ જેટલા મારણ આ સિંહો ના ટોળાએ કર્યા છે. વન વિભાગ માત્ર વોચ રાખી ને સંતોષ માની રહ્યું છે.