કોન્વોકેશનમાં અપાયેલ 68 વિદ્યાર્થીઓની ડિગ્રીની સાલ ભૂલ ભરેલી મળી આવી
ભાવનગર, તા. 26 ડિસેમ્બર 2019, ગુરૂવાર
કોન્વોકેશનમાં આપવામાં આવેલ ડિગ્રીઓમાં ૬૮ જેટલા વિધાર્થીઓની ડિગ્રીમાં સાલમાં ભૂલ હોવા બાબતે કોર્ટસભ્ય દ્વારા કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત સંદર્ભે તાત્કાલિક યુનિ. દ્વારા ક્ષતિ ધરાવતી 68 ડિગ્રીઓને પ્રિન્ટ કરવા મોકલી આપવામાં આવી છે. સાત દિવસમાં ડિગ્રીઓ સુધારીને આપવામાં આવશે તેમજ જે વિધાર્થીઓને માહિતી નથી તેવા વિધાર્થીઓને યુનિ. દ્વારા જાણ કરવાની પણ બહેધરી આપવામાં આવી છે તેમજ હાલ જે વિધાર્થીઓને તાત્કાલિક ડિગ્રીની આવશ્યકતા છે તેમને પ્રોવિઝનલ ડિગ્રી અથવા બીજી વ્યવસ્થા વિનામુલ્યે કરી આપવાની ખાતરી આપવામાં આવી છે અને જવાબદાર સામે પગલાં લેવાની ખાતરી પણ આપવામાં આવી છે.
મહારાજા ક્ષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવસટી દ્વારા હાલમાં જ કોન્વોકેશન કાર્યર્ક્મનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ડિગ્રી તેમજ ડિપ્લોમાના વિધાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.જેમાંથી ઘણાબધા માસ્ટરના વિધાર્થીઓની ડિગ્રીઆ ભૂલભરેલી આવી હતી. જે વિધાર્થીઓએ માસ્ટર સેમ.4 એ માર્ચ-એપ્રિલ-મે 2019ની પરીક્ષાઓ પાસ કર્યા છે જ્યારે તે ડિગ્રીએ 2018માં પાસ કરવાની પ્રિંટિગ ભૂલ ઘણા બધા વિધાર્થીઓની ડિગ્રીમાં થઈ છે. ડિગ્રીમાં થતી ભૂલને સામાન્ય ન ગણવી જોઈએ કારણકે તે ડિગ્રીએ માનનીય રાજયપાલશ્રીના સહી તથા તેમના દ્વારા પારિત કરવામાં આવતી હોય છે.
ડિગ્રીમાં યુનિવસટીની દ્વારા ભૂલ રહી છે તેવા તમામ ડિગ્રી ધારકો માટે ઓનલાઈન પોર્ટલ બનાવી તેમાં જરૂરી માહિતી મગાવી નવી ડિગ્રી છપાઈ ગયા બાદ જૂની ડિગ્રી પાછી લઈ નવી ડિગ્રી આપવામાં આવે જેથી વિધાર્થીઓને હેરાનગતિ ઓછી રહે જો વિધાર્થીઓને રૂબરૂ જ બોલાવવાની અને ઓનલાઈન પ્રોસેસ ન થઈ શકવાનું જણાતું હોય તો તમામ વિધાર્થીઓ ડિગ્રી દેવા આવે તે દિવસની જે ગામ,શહેર,રાજ્ય કે દેશ માંથી વિધાર્થી સ્પેશલ આ જ ડિગ્રી માટે આવતા હોય તેમને થતો ખર્ચ તથા તે જે જગ્યા પર નોકરી કરતાં હોય તેના તે દિવસનું ભથ્થું/પગાર પણ યુનિ. આ ભૂલ કરનાર કંપની કે અધિકારી પાસેથી વસૂલીને આપવી જોઈએ.
હાલ સરકાર દ્વારા ઘણી ભરતી પ્રકિયા શરૂ છે જેમાની એક માધ્યમિક/ઉચ્ચતરમાધ્યમિક શિક્ષકોની ભરતી પણ છે જેમાં ઘણા વિધાર્થીઓને વેરિફિકેશન પ્રકિયા શરૂ છે તથા વિધાર્થીઓ આ ડિગ્રીની રાહ જોઈને જ બેસા હતા તેવા તમામ વિધાર્થીઓને તાત્કાલિક પ્રોવિઝનલ ડિગ્રી કે આ ડિગ્રી સાથે યુનિ.ની ભૂલ હોવાનો સુધારણા લેટર જેમાંથી જે પણ બની શકે તે વિનામુલ્યે વિધાર્થીઓને યુનિ. દ્વારા વ્યવસ્થા કરવા સૂચન છે.
યુનિ.ને ઘ્યાન પર આવેલા તમામ ડિગ્રી ધારક વિધાર્થીઓને યુનિ. દ્વારા સામે થી જાણ કરતો તથા ડિગ્રી માટે પ્રોસેસ કરવા તથા આવી ભૂલ માટે અપોલોજીઝ (માફી માગતો) મેસેજ મોકવો જોઈએ તથા આ ભૂલ ભરેલી ડિગ્રી સુધારીને જો પોસ્ટ દ્વારા મોકલવાની થઈ તો સ્પીડપોસ્ટના કોર્ડ તથા તેની ટેકિંગ કરવાની લિન્ક સાથેનો મેસેજ પણ વિધાર્થીઓને મોકવો જોઈએ જેથી વિધાર્થી પોતાની ડિગ્રી ક્યાં પોહચી તેની સ્થિતિ જાણી શકે. આ ટેકિંગ કરવાની લિન્ક સાથેનો મેસેજએ પોસ્ટ દ્વારા ડિગ્રી મેળવવા માંગતા તમામ વિધાર્થીને પણ લાગુ પાડી શકાય.
જેમ વિધાર્થીઓ દ્વારા પોસ્ટ દ્વારા ડિગ્રી મેળવવાનું જણાવેલ છે તે વિધાર્થીઓની ડિગ્રીમાં ભૂલ કે ક્ષતિ નથી ને તે પણ ચેક કરીને જ મોકવી જેથી વિધાર્થીઓને પછીથી હેરાનગતિ ન રહે તથા આ ભૂલ માટે જે કોઈ અધિકારી જવાબદાર હોય તેમના પર તાત્કાલિક પગલાં લેવા તથા આવી ભૂલ ભવિષ્યમાં ન બને તેની પૂર્ણ તકેદારી રાખવા કોર્ટસભ્યશ્રી બ્રિજરાજસિંહ ગોહિલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.