Get The App

બલી ડાંગર અને તેના સાગરિતોને બે અઠવાડિયામાં સરેન્ડર થવા આદેશ

Updated: Jun 7th, 2022

GS TEAM


Google News
Google News
બલી ડાંગર અને તેના સાગરિતોને બે અઠવાડિયામાં સરેન્ડર થવા આદેશ 1 - image

રાજકોટ નજીકના પુષ્પાપાર્કના જમીન પ્રકરણમાં

આરોપીઓના જામીન મંજુર કરવાના ગોંડલ કોર્ટના હુકમને પ્લોટધારકે હાઈકોર્ટમાં ૫ડકાર્યો હતો

રાજકોટરાજકોટની ભાગોળે પુષ્પાપાર્કના ચર્ચાસ્પદ જમીન કેસમાં નામચીન આરોપી બલી ડાંગર અને તેના સાગરીતોના જામીનનો હુકમ રદ કરી હાઈકોર્ટે બે અઠવાડિયામાં પોલીસ સમક્ષ સરેન્ડર થવા આદેશ આપ્યો છે.

આ જમીન પ્રકરણ અંગે ૨૦૧૪ની સાલમાં લોધિકા પોલીસ મથકમાં બલી ડાંગર આણી ટોળકી સામે ફરિયાદ નોંધાઈ હતી. જે મુજબ આરોપીઓએ ખુલ્લા પ્લોટો પર ગેરકાયદે રીતે કબજો જમાવી, ત્યાં ફાર્મહાઉસ બનાવી અને પ્લોટ ધારકોને ત્યાં પ્રવેશતા અટકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ૩૫થી વધુ પ્લોટધારકોએ લોધિકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ગુનામાં બલી ડાંગર અને તેના સાગરીતોએ ગોંડલ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે ૨૦૧૫ની સાલમાં મંજૂર રાખવામાં આવી હતી. ગોંડલ કોર્ટના આ હુકમને પ્લોટધારક વસંતભાઈ અજમેરાએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

હાઈકોર્ટે આરોપીઓના જામીન રદ કરતા હુકમમાં એવી નોંધ કરી હતી કે લોધિકા પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા રિપોર્ટમાં જણાવેલ હકીકતો કે જેમાં બધા આરોપીઓ હિસ્ટ્રીશીટરો છે, ઓર્ગેનાઈઝ્ડ ગેંગ ચલાવે છે અને જામીન મળ્યા બાદ પણ પોતાની સ્વતંત્રતાનો દૂરઉપયોગ કર્યો છે. ચાર્જ ફ્રેમ વખતે પણ ટ્રાયલ કોર્ટ સમક્ષ હાજર થયા નથી. આ બધી બાબતોની ગંભીર નોંધ લઈ હાઈકોર્ટે આરોપીઓના જામીનનો હુકમ રદ કર્યો હતો. જેમાં બલી ઉર્ફે બલદેવ વીરભાનુ ડાંગર, મયુર ઉર્ફે મયલો બાબુલાલ પરમાર, અર્જુન રામભાઈ જલુ અને રામદેવ ડાંગરનો સમાવેશ થાય છે.

Tags :