ભાવનગર જિલ્લા જેલમાં નેશનલ નેચરોપેથી ડેની ઉજવણી
ભાવનગર, તા. 23 નવેમ્બર 2018, શુક્રવાર
જગદીશ્વર ફાઉન્ડેશન તથા ભાવનગર ડીસ્ટ્રીક્ટ જેલના સંયુક્ત ઉપક્રમે તા. 18 નવેમ્બર 2018ના રોજ આયુષ્ય મંત્રાલય ભારત સરકાર તથા નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ નેચરોપેથીના નિયત પ્રોટોકોલ મુજબ વિધિવત રીતે નેશનલ નેચરોપેથી ડેની ઉજવણી કરવામાં આવી હતી.
જગદીશ્વર ફાઉન્ડેશનના પ્રમુખ ડો.સુનીલ મહેતા (પી.એચ.ડી.)નું નેચરોપેથી અવેરનેસ બાબતે વક્તવ્ય યોજાયુ જેમાં આરોગ્ય માટે, જીવન શૈલી પરીવર્તન તથા પાણી, સુર્યપ્રકાશ, આહાર, વિહાર, વિચાર તેમજ રોગ મુક્તિ આરોગ્ય પ્રાપ્તી માટે નિયમિત પ્રોટોકોલ મુજબ માર્ગદર્શન સાથે વક્તવ્ય અપાયુ.
આ પ્રસંગે જેલ અધિક્ષક જે.આર. તરાલ, જેલર આર.સી. ચૌધરી તથા જેલના સ્ટાફ સાથે આશરે 450થી વધારે બંદીવાન ભાઇઓએ ભાગ લીધો હતો. આ ઉજવણી નિમિત્તે આયુશ મંત્રાલય તરફથી આવેલ. વાંચન પુસ્તીકાઓ તથા સાહિત્ય, જેલની લાઇબ્રેરીમાં સુપ્રત કરવામાં આવ્યુ.