કુટુંબ પેન્શનના લાભો મેળવવા વસુલાત પાત્ર રકમની યાદી જાહેર
- ચાલુ નોકરીએ અવસાન પામેલ કર્મચારીનાં વારસદારોને
- 1100 જેટલા રાજ્યનાં અને 40 જેટલા ભાવનગરનાં મરણ ગયેલ કર્મચારીની યાદી પેન્શન નિયામકે જારી કરી
આ અંગે મળતી વિગતો મુજબ પુખ્ત વિચારણાને અંતે ભારત સરકાર દ્વારા તા. ૫-૫-૨૦૦૯ના ઓફિસ મેમોરેન્ડમથી નવી વર્ધિત પેન્શન યોજના અંતર્ગત અશક્તતા પેન્શન અને ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં કુટુંબ પેન્શન મુજબના લાભો આપવામાં આવે છે તે ધોરણે રાજ્ય સરકારના નવી વર્ધિત પેન્શન યોજના હેઠળ સમાવિષ્ટ અધિકારી - કર્મચારીઓને તા. ૧-૪-૨૦૦૫ની અસરથી ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ના નિયમ-૫૨ થી ૬૪ મુજબ અશક્તતા પેન્શન અને ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ના નિયમ-૧૪૯થી ૧૫૭ની જોગવાઈઓને સુંગત રહીને યોનજા, ૧૯૭૨ના નિયમ ૮૭થી ૯૪ અંતર્ગત કુટુંબ પેન્શન મુજબનાં લાભો આપવાનું ઠરાવવામાં આવ્યું હતું.
આમ ઠરાવ પ્રસિધ્ધ થયા બાદ રાજ્ય સરકારની નવી વર્ધિત પેન્શન યોજનામાં જોડાનાર અધિકારી-કર્મચારીએ નવી વર્ધિત પેન્શન યોજનામાં જોડાણ સમયે વિકલ્પ આપવાનો રહેશે. જેની સેવાપોથીમાંથી નોંધ લેવામાં આવશે.
આમ આ ઠરાવ મંજુર થયા બાદ તાજેતરમાં પેન્શન વિભાગ દ્વારા તાજેતરમાં આ કુટુંબ પેન્શન મેળવી શકનાર લાભાર્થીના નામની યાદી જાહેર કરી છે જે મુજબ ૧૧૦૦ જેટલા કર્મચારી અને ભાવનગરનાં ૪૦ કર્મચારીઓના નામ તથા પરત કરવાનાં સરકારી ફાળાની રકમ સાથેનું પત્રક જાહેર કરાયું હતું.