Get The App

રવિવારથી ઘોઘા-હજીરા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાનો પ્રારંભ, 4 ગણું અંતર ઘટશે

- સૌરાષ્ટ્રવાસીઓ માટે દિવાળીની ભેટ માત્ર દિવાળી પૂરતી ન રહે તે જોવું...

- પ્રતિ દિન 3 ટ્રીપ થશે, 9000 લીટર ઈંધણની બચત અને દરરોજ 24 એમટી કાર્બન ઉત્સર્જન ઓછું થવાનો દાવો

Updated: Nov 1st, 2020

GS TEAM


Google News
Google News
રવિવારથી ઘોઘા-હજીરા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાનો પ્રારંભ, 4 ગણું અંતર ઘટશે 1 - image


ભાવનગર, તા. 1 નવેમ્બર 2020, રવિવાર

ઘોઘાથી હજીરા વચ્ચે આગામી રવિવારથી રો-પેક્સ ફેરી સેવાનો પ્રારંભ કરવામાં આવશે. સૌરાષ્ટ્રવાસીઓ માટે દિવાળીની ભેટ સમાન રો-પેક્સ ફેરી સેવાનો પ્રધાનમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરાશે.

૮મી નવેમ્બરને રવિવારે સુરતના હજીરા બંદરેથી ભાવનગરના ઘોઘા બંદર માટે રો-પેક્સ ફેરી સેવા પ્રારંભ અને નવનિમત રો-રો ટમનલ પોર્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરાશે. રો-પેક્સ ફેરી શરૂ થતાં સુરતમાં વર્ષોથી વસવાટ કરતા લોકોને સારા-નરસા પ્રસંગોએ સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે ૧૦ થી ૧૨ કલાકની માર્ગ મુસાફરી કરવી પડતી હતી તે માત્ર ૪ કલાકની થઇ જશે. 

રો-પેક્સ સવસ દિવસમાં ત્રણ રાઉન્ડ ટ્રીપ કરશે. જે મુજબ વર્ષમાં અંદાજે ૫ લાખ મુસાફરો, ૮૦ હજાર પેસેન્જર વાહનો, ૫૦ હજાર ટુ-વ્હીલર અને ૩૦ હજાર ટ્રકની અવરજવર શક્ય બનશે. ઘોઘા-હજીરા વચ્ચેનું માર્ગ અંતર લગભગ ૩૭૦ કિ.મી. છે, જે ઘટીને સમુદ્ર રસ્તે ચાર ગણું ઘટીને માત્ર ૯૦ કિ.મી. જેટલું બનશે. રો-પેક્સ ફેરી સેવાથી પ્રતિ દિવસ અંદાજે ૯૦૦૦ લીટર ઈંધણની બચત થશે. જેના કારણે દરરોજ ૨૪ એમટી કાર્બન ઉત્સર્જ ઓછું થવાથી પર્યાવરણનું જાળવણી કરી શકાશે તેવો દાવો કરાયો છે. ધંધા-રોજગારીની નવી તકો પણ ઉભી થશે. રો-પેક્સને કારણે સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોએ પહોચવું સરળ બનતા પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. સૌરાષ્ટ્રના લઘુ ઉદ્યોગો દ્વારા તૈયાર કરાતો માર્ગ ઝડપી અને સસ્તા ભાવે સુરત અને ત્યાંથી મુંબઈ જેવા મોટા શહેરોમાં પહોચાડી શકાશે. જેથી સૌરાષ્ટ્રને રો-પેક્સ થકી એક મોટું બજાર મળશે.

૮મીથી શરૂ થનાર ઘોઘા-હજીરા રો-પેક્સ સેવાને કેન્દ્રીય શિપીંગ રાજ્યમંત્રીએ પ્રધાનમંત્રી તરફથી સૌરાષ્ટ્રવાસીઓ માટે દિવાળીની ભેટ ગણાવી હતી. પરંતુ આ સેવા માત્ર દિવાળી અને ચૂંટણી પૂરતી જ બની ન રહે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

30 ટ્રક, 100 કાર અને 500 પેસેન્જરની ક્ષમતા

વોયાજ સિમ્ફની દ્વારા ઘોઘા-હજીરા વચ્ચે રો-પેક્સ વ્હેસેલ ચલાવવામાં આવશે. તેમાં એક ટ્રીપમાં ૫૦ મેટ્રીક ટન વજન સહિતના ૩૦ ટ્રક, ૧૦૦ કાર, ૩૪ શિપ ક્રૂ અને ૫૦૦ પેસેન્જરનું પરિવહન થઈ શકશે. આ થપરાંત બે ફૂડ કોર્ટ, ૧૪ વ્યક્તિની કેપેસીટીવાળો કેમ્બે લોન્જ, બિઝનેસ ક્લાસમાં ૭૮, એક્ઝીક્યુટીવમાં ૩૧૬ અને ઈકોનોમીમાં ૯૨ વ્યક્તિ તેજમ સુરક્ષા માટે ૨૨ લાઈફ રાફ્ટ, મુસાફરોને ૨૫ મિનિટમાં બહાર કાઢવાની ક્ષમતા ધરાવતા બે મરિન ઈવેક્યુએશન ડિવાઈસ, એક ફાસ્ટ રેસ્ક્યુ બોટ પણ સામેલ રહેશે.

Tags :