મધનો બિઝનેસ : રાજ્યમાં વર્ષે 150 ટન મધનું ઉત્પાદન
- લહેરાતા ફુલોનાં સુગંધીદાર 3800 બગીચા - વાડીઓમાં મધમાખી ઉછેર
- ઉત્તર ગુજરાત, ડાંગ, કચ્છ અને ગીરનાં ગામડામાં વધતો જતો મધમાખી ઉછેરનો વ્યવસાય
- સૌરાષ્ટ્રમાં અમરેલી, જામનગર, ભાવનગર સહિતનાં જિલ્લામાં વધતો જતો મધમાખી પાલનનો વ્યવસાયઃ મહિને સવા લાખની કમાણી
- બગીચામાં મધમાખી પાલન માટે પેટી ઉપરાંત મધપુડામાંથી મધ છૂટું પાડવાના મશીન માટે મળતી સહાય
રાજકોટ
સૌરાષ્ટ્રનાં ગ્રામીણ વિસ્તારોમાં સ્વરોજગારી અર્થે મધમાખી ઉછેરની પ્રવૃતિ આગળ વધી રહી છે. જામનગર ઉપરાંત સુરેન્દ્રનગર, ભાવનગર અને મોરબી હળવદમાં પ્રગતિશીલ ખેડૂતો મધમાખી ઉછેરી મધ ઉત્પાદન ક્ષેત્રે આગળ વધી રહ્યાં છે. સૌરાષ્ટ્ર ગુજરાતમાં મધમાખી ઉછેરની પ્રવૃતિ ૩૮૦૦ થી વધુ બગીચા વાડીમાં ચાલે છે. જયાં વર્ષે ૧૫૦ ટન મધનું ઉત્પાદન થતુ હોવાનો અંદાજ છે. ભણી ગણીને નોકરીની રાહ જોવાન ેબદલે મધમાખી ઉછેર માટે મળતી સરકારી સહાયનો લાભ લઈને સ્વનિર્ભર બનવા ઈચ્છુક અનેક યુવાનો પણ હવે મધઉછેરની નફાકારક પ્રવૃતિનાં વ્યવસાય તરફ વળ્યા છે.
મધમાખી ઉછેરની પ્રવૃતિ બાગાયતી પાકોમાં રસ લેતા યુવાનો માટે ઘણી રોમાંચક છે. રાજયમાં જંગલ વિસ્તાર અને કૃષિ વિસ્તાર બન્ને મળીને આશરે ૧૫૦ ટન મધનું ઉત્પાદન થતાં હોવાનો અંદાજ છે. મધ ઉત્પાદન માટે રાજયનો બાગાયત વિભાગ એક મધમાખી ઉછેર બોકસ દીઠ ૫૦ ટકા લેખે રૂા. ૨૦૦૦ અને વધુમાં વધુ ૫૦ ઉછેર બોકસ સુધી આ સબસિડી ચૂકવે છે. બાગાયત વિભાગ સૌ પ્રથમ ૧૦ પેટીથી બિઝનેશનો પ્રારંભ કરાવે છે. એમાં સફળતા મળે તો ક્રમશઃ ૪૦ વધુ પેટી સુધી સહાય અપાય છે. આ ઉપરાંત મધપૂડામાંથી મધને છુટ્ટુ પાડવા માટેના રૂા ૨૦,૦૦૦ની કિંમતના હની એકસ્ટ્રેકટર મશીનમાં રૂા ૧૧,૦૦૦ની સબસિડી અપાય છે.
સરકારી સબસીડીનાં લાભ સાથે મધ ઉછેરની પ્રવૃતિ નફાકારક બની રહી છે. આ વ્યવસાય એવો છે કે એમાં યુવાન થોડું વધુ ધ્યાન આપે તો પ્રોડકશન, બ્રાન્ડિંગ, કવોલિટી મેઈન્ટેન, પ્યોરિટી મેઈન્ટેન કરીને વર્ષે આરામતી ૧૫ લાખ રૂપિયા સુધી કમાઈ શકે છે. એટલે કે તેને દર મહિને રૂા સવા લાખ કમાઈ લ્યે છે. હાલ રાજકોટ, ગોંડલ, મોવિયા, વડાલ સહિતના અસંખ્ય ગામોમાં મધમાખી - મધ ઉછેર કામગીરી ચાલી રહી છે. સૌરાષ્ટ્રમાં હળવદ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર જિલ્લામાં અને ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રવૃત્તિ વધુ ચાલે છે. જયારે ઉતર ગુજરાતમાં બનાસ કાંઠા, ડાંગ, કચ્છ જિલ્લામાં મધ ઉત્પાદન થાય છે, હવે આ પ્રવૃતિનો વ્યાપ ધીમે ધીમે ગામડે ગામડે પહોંચવા લાગ્યો છે!
રાજયમાં કેટલાય ઉત્પાદકો એવા છે કે તે ૫૦૦થી ૭૦૦ બોકસ રાખીને મધમાખી પાલન, મધ નિર્માણ કરે છે. જેમાં વલસાડના મનમોહન પટેલ ૭૦૦ બોકસ, સુરતના વિનોદભાઈ નકુમ ૫૦૦ બોકસ, બનાસકાંઠા પંકજ ગુજોર, પોરબંદરના દિનેશ શિયાણી ૫૦૦તી વધુ બોકસમાં હની કલ્ચર કરે છે આ મધ ઉત્પાદન ક્ષેત્રે સારા ચિહ્નો છે.
મધ ઉત્પાદન થયા પછી ઉત્પાદક ખજીજીૈં અને એગમાર્ક નોંધણી કરાવીને પોતાની જ બ્રાન્ડનેમથી મધ વેચી શકે છે. જેમાં પ્યોરિટી મેઈન્ટેઈન કરે તો લાખો રૂપિયાનું મધ લોકો ખરીદવા તૈયાર જ છે! સૌરાષ્ટ્રમાં કેટલાય લોકો મધનિર્માણ કરે છે અને વેંચે છે રાજકોટના હાર્દિક જોશીએ તો મધ ઉત્પાદનમાં મોટુ કાઠુ કાઢયું છે. તે ગુજરાત, ઉતરાખંડમાં મધમાખી પાલન અને મધ નિર્માણ કરે છે. અને તેનું ટર્ન ઓવર છેક ૬૦ લાખે પહોંચી ગયું છે! સૌરાષ્ટ્રમાં કેટલાક યુવા ઉત્પાદકો યુરોપિયન સ્ટાન્ડર્ડના માપદંડ મુજબ મધ નિર્માણ કરે છે. ઉત્પાદિત થયેલું લૂઝ મધ રૂા ૪૫૦થી ૫૦૦ના ભાવે વેંચાય છે. હવે તો ખાદી ભંડારો, મધુર ડેરી મધની સીધી ખરીદી પણ કરે છે. આ ઉપરાંત વન વિભાગ ખરીદ વેચાણમાં સાથે જ છે. મધમાખી ઉછેર કેન્દ્ર પર સીધુ જ વેચાણ થાય છે. એ ઉપરાંત આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ પણ ખરીદી કરે જ છે. જો કે ગુજરાતમાં માંગ કરતા મધનો પુરવઠો ઓછો છે! તેથી મધનો વેપારની તકો ઉજ્જવળ કારકિર્દી માટે ઘણી મહત્વની બની રહેશે.