જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાની પરીક્ષા અને મેરીટ બાદ સ્કુલ પસંદગી બાકી
- શાળાઓની યાદી અપલોડ કરાઇ નથી
- ભાવનગરમાં 18,976 માંથી 8,623 વિદ્યાથીએ સ્કોલરશીપ પરીક્ષા માર્ચ મહિનામાં આપી હતી
અગાઉ સ્વનિર્ભર શાળાઓમાં પ્રવેશ મેળવી ધો.૧૨ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ઠરાવ બહાર પડાયો હતો. જોકે વાલીઓના હિતમાં અને જ્ઞાનસાધના સ્કોલરશીપ યોજના અને જ્ઞાાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજના વચ્ચે સમાનતા સુનિશ્ચિત કરવા નવો ઠરાવ કરાયો છે. જે મુજબ ધો.૮ પૂર્ણ કરેલ ૨૫,૦૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે પસંદ કરી તેમને ધો.૯ થી ૧૨ સુધીના અભ્યાસ માટે સ્કોલરશીપ આપવા આવનાર છે. જે માટેની પરીક્ષા ગઇ તા.૧૧-૬ના રોજ લેવાઇ હતી. જેમાં નોંધાયેલ ૧૮૯૭૬માંથી ૮૬૨૩ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જેની મેરીટ યાદી જાહેર થયા બાદ શાળા પસંદગીની પ્રક્રિયા હાલ શરૂ હોવાનું જણાયું છે. જોકે શાળા પસંદગી માટે શાળાના છેલ્લા પાંચ વર્ષ પૈકી ત્રણ વર્ષનું ધો.૧૦નું પરિણામ ૮૦ ટકાથી વધુ હોવુ, ધો.૯ થી ૧૨નો સળંગ અભ્યાસક્રમ ચાલતો હોવો, એક જ ટ્રસ્ટ દ્વારા સંચાલન થતુ હોવુ તેમજ એક જ કેમ્પસમાં ધો.૯ થી ૧૨ ચાલતા હોવા જરૂરી છે. જે શાળાની પસંદગી દર વર્ષે અલગથી થશે. જ્યારે મળનારી સ્કોલરશીપ સ્વનિર્ભર શાળામાં પ્રવેશ મેળવનારને ધો.૯ થી ૧૦ માટે વાર્ષિક ૨૨,૦૦૦ તો ધો.૧૧ થી ૧૨ માટે વાર્ષિક ૨૫૦૦૦ મળશે. જ્યારે સરકારી કે અનુદાનિત શાળાઓમાં પ્રવેશ મેળવનારને ધો.૯ થી ૧૦ માટે ૬૦૦૦, ધો.૧૧ થી ૧૨ના વિદ્યાર્થીને ૭૦૦૦ વાર્ષિક મળવા પાત્ર થશે. જ્યારે દરેક કેટેગરીમાં ૫૦ ટકા લાભાર્થી કન્યાઓે રહેશે. જ્યારે ૮૦ ટકા હાજરી ધરાવતા વિદ્યાર્થીને સ્કોલરશીપ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. આ યોજના અમલી તો બનાવાઇ છે. પરંતુ હાલ હજુ સુધી મેરીટ પામેલા વિદ્યાર્થીઓને એડમીશન મળવા પાત્ર થયા નથી.