Get The App

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 960 કેસ, 19ના મોત, 1061 દર્દીઓ સ્વસ્થ થયાં

Updated: Jul 18th, 2020

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 960 કેસ, 19ના મોત, 1061 દર્દીઓ સ્વસ્થ થયાં 1 - image

અમદાવાદ, તા 18 જુલાઈ 2020, શુક્રવાર

ગુજરાતમાં કોરોનાની સંક્રમણ યથાવત્ છે. દરરોજ નોંધાતા પોઝિટિવ કેસનો આંકડો દરરોજ નવા રેકોર્ડ બનાવે છે. આજે કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 900ને પાર રહ્યો. જ્યારે 1 હજારથી વધારે દર્દીઓ સ્વસ્થ થયાં છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા કેસોની આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 960 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 19 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 2,127 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 47,476 થઈ છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1061 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

આજે નોંધાયેલા કુલ 960 કેસમાંથી અમદાવાદમાં 199, સુરતમાં 268, વડોદરામાં 78, રાજકોટ 57 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 34,004 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો  2,127 થયો છે.

જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની વિગત

અમદાવાદ199
સુરત268
વડોદરા78
ગાંધીનગર28
ભાવનગર36
બનાસકાંઠા21
આણંદ7
રાજકોટ57
અરવલ્લી4
મહેસાણા24
પંચમહાલ8
બોટાદ7
મહીસાગર7
ખેડા15
પાટણ15
જામનગર10
ભરૂચ13
સાબરકાંઠા12
ગીર સોમનાથ11
દાહોદ10
છોટા ઉદેપુર6
કચ્છ10
નર્મદા6
વલસાડ19
નવસારી17
જૂનાગઢ40
સુરેન્દ્રનગર15
મોરબી4
તાપી2
ડાંગ1
અમરેલી10
કુલ960
Tags :