બાળકના 5 માં વર્ષથી બાલવાટિકામાં અને 6 વર્ષથી ધો. 1 માં પ્રવેશ મળશે
- શૈક્ષણિક વર્ષ 23-24 થી સરકારી-ગ્રાન્ટેડ શાળામાં અમલ થશે
- બાલવાટીકામાં ભણાવાનો અભ્યાસક્રમ જીસીઇઆરટી અલગથી તૈયાર કરશે અને તેજ અમલી બનશે
રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સુચવ્યા મુજબ શાળાકીય માળખુ ૫+૩+૩+૪ મુજબનું રહેશે જેમાં પાંચ વર્ષની વયજુથ માટે પૂર્વ પ્રાથમિક રહેશે જેમાં પૂર્વ પ્રાથમિકના ૩ વર્ષ તે પૈકી બાળકની ઉમરના ૩+ વર્ષથી પાયાના તબક્કામાં શરૂઆતના બે વર્ષ આંગણવાડી, પૂર્વ પ્રાથમિકના રહેશે ત્યાર પછીનું એક વર્ષ ૫+ થી ૬ વર્ષની ઉંમર) ધો.૧ પહેલાનું વર્ષ બાલવાટીકા તરીકે ઓળખાશે. બાદ ધો.૧-૨, પણ પૂર્વ પ્રાથમિકમાં ગણાશે જ્યારે ધો.૩ થી ૫ પ્રારંભિક શિક્ષણમાં ધો.૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં અને ધો.૯ થી ૧૨ માધ્યમિક શિક્ષણ રહેશે. ધો.૧ પહેલાનું વર્ષ બાલવાટીકા તરીકે ઓળખાશે. જેના અમલીકરણ માટે ધો.૧ થી શરૂ થતી તમામ પ્રા.શાળાઓમાં શૈક્ષણિક વર્ષ ૨૩-૨૪ થી બાલવાટીકાના વર્ગો શરૂ કરવામાં આવશે. જો કે, સ્વનિર્ભર શાળાઓમાં પણ સરકાર નિયત કરે તે વર્ષથી બાલવાટીકાના વર્ગો ફરજીયાત શરૂ કરવાના રહેશે. આમ ૧ જુનથી પાંચ વર્ષ પૂર્ણ કરનાર બાળકને બાલવાટીકામાં પ્રવેશ આપવા ઠરાવાયું છે તો છ વર્ષ પૂર્ણ કરનારને ધો.૧માં પ્રવેશ અપાશે. વિદ્યાર્થી-શિક્ષક રેશીયો ધ્યાને લેતી વેળા બાલવાટીકાના વર્ગોની પણ ગણના થશે અને તેના આધારે સેટઅપ નક્કી કરવામાં આવશે. જ્યારે બાલવાટીકામાં શિક્ષક નિમવાની જરૂરીયાત ઉભી થાય તો શિક્ષકની ઓછામાં ઓછી પીટીસી કે ડિપ્લોમા ઇન એલીમેન્ટરી એજ્યુકેશનની લાયકાત માન્ય રહેશે. તો બાલવાટીકાના બાળકોને ભણાવવા માટેનો અભ્યાસક્રમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સુચવ્યા મુજબ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિસદ દ્વારા અલગથી તૈયાર કરી બહાર પાડવામાં આવશે જે અભ્યાસક્રમ દરેક સંસ્થાઓમાં ભણાવાશે. તેમ જણાવ્યું છે. શિક્ષણના આ ફેરફારથી કેટલીક મુશ્કેલીઓનો કેટલીક સુવિધાઓનું પણ નિર્માણ થશે.