Get The App

સ્વામિનારાયણ મંદિરે જરૂરતમંદો માટે નિઃશુલ્ક ભોજન અને ટિફિન સેવા

- લોકડાઉનના કારણે સર્જાયેલી સ્થિતિમાં

- આજથી ૧૩ એપ્રિલ સુધી સવાર-સાંજ ભોજનની વ્યવસ્થા શરૂ કરાશે

Updated: Apr 5th, 2020

GS TEAM

Google News
Google News
સ્વામિનારાયણ મંદિરે જરૂરતમંદો માટે નિઃશુલ્ક ભોજન અને ટિફિન સેવા 1 - image



સુરેન્દ્રનગર, તા.૪ એપ્રિલ, 2020

હાલ કોરોના વાયસરને કારણે સરકારના આદેશ મુજબ સમગ્ર દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે જેના કારણે ધંધો - રોજગાર બંધ રહેવાથી નાના તેમજ ગરીબ પરિવારોને ભારે હાલાકી પડી રહી છે.

જવાહર ચોક ખાતે આવેલ મુળી તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા પ.પૂ.આચાર્ય મહારાજ શ્રી કોશલેન્દ્રપ્રસાદજીની આજ્ઞાાથી મંદિરના કોઠારી સ્વામી કૃષ્ણવલ્લભદાસજીના માર્ગદર્શન હેઠળ આજે તા.૫ એપ્રિલથી આગામી તા.૧૩ એપ્રિલ સુધી બપોરે તેમજ સાંજે દરેક લોકોને નિશુલ્ક ભોજન તેમજ જરૃરીયાતવાળા લોકોને ટીફીનની સેવા શરૃ કરવામાં આવી છે. આથી કોઈપણ જરૃરીયાતમંદ લોકોએ ભગવાનનો પ્રસાદ માની ટીફીન લઈ જવા એક યાદીમાં જણાવાયું છે. તેમજ આ સેવા બપોરે ૧૧ થી ૧ર અને સાંજે ૬-૩૦ થી ૭-૩૦ સુધી આપવામાં આવશે અને દરેક લોકોએ આયુવેદિક હોસ્પિટલ તરફના ગેટથી આવવાનું રહેશે

Tags :