રાજકોટમાં દીક્ષા મહોત્સવ ઉજવાયો, સંસાર ત્યાગી સંયમનાં માર્ગે પ્રયાણ
- ગોંડલ સંપ્રદાયનાં આંગણે 'દીક્ષાર્થી અમર રહો'નાં નાદ સાથે
- કુ.રોશની દીક્ષા બાદ રાજવીજી મહાસતીજી બન્યા, રાજકોટમાં તા.18મીએ અપાશે વડી દીક્ષા
રાજકોટ
રાજકોટમાં આજે 'જૈનમ જયતી શાસનમ' અને 'દીક્ષાર્થી અમર રહો' નાં નાદ વચ્ચે કુ.રોશનીબહેન અનિલભાઈ આશરાએ સંસારનો ત્યાગ કરી સંયમનાં માર્ગે પ્રયાણ કર્યુ હતુ. રાજકોટમાં ં જૈન સાધુ ભગવંતો - સાધ્વીજી અને જૈન સમાજનાં આગેવાનદની વિશાળ હાજરી વચ્ચે ગોંડલ સંપ્રદાયનાં આંગણે દીક્ષા મહોત્સવ ઉજવાયો હતો.
આજે સવારે દીક્ષાર્થીની ભવ્ય શોભાયાત્રા હર્ષોલ્લાસ સાથે નીકળી હતી તે હેમુ ગઢવી હોલ ખાતે પહોંચી હતી. સ્થાનકવાસી જૈન મોટા સંઘ, વિરાણી પોૈષધશાળાનાં ઉપક્રમે ડુંગર દરબાર ગોંડલ સંપ્રદાયનાં આંગણે આ દીક્ષા મહોત્સવનો પ્રારંભ થયો હતોે. સંપ્રદાયનાં ધીરજમુની મહારાજે કુ. રોશની આશરાને દીક્ષા અંગીકાર કરાવ્યો ત્યારે દીક્ષાર્થી અમર રહોનાં જયઘોષથી હોલ ગુંજી ઉઠયો હતો. દીક્ષા અંગિકાર કર્યા બાદ દિક્ષાર્થીનું નવુ નામકરણ રાજવીજી મહાસતીજી ઘોષિત કરવામાં આવ્યુ હતુ.
રાજકોટનાં આશરા પરિવારમાં આ છઠી દીક્ષાનો પ્રસંગ હતો. ૩૩ વર્ષિય રોશનીબહેને દીક્ષા લીધા પહેલા આપેલા આપેલા પ્રવચનમાં કહયું હતું કે દુનિયામાં દર મિનિટે સાત હજાર લોકો જન્મ લે છે અને ત્રણ હજાર મૃત્યુ પામે છે ત્યારે જીવનની કિંમત વધુ છે. જીવન જીવવ માટે છે વ્યર્થ રીતે ગુમાવવા માટે નહિ. આ દીક્ષા પ્રસંગે સૌરાષ્ટ્ર ઉપરાંત મુંબઈ , સુરત, અમદાવાદ, આંણંદથી જેન સંઘનાં આગેવાનો અને પરિવારનાં સભ્યો મોટી સંખ્યામાં હાજર રહયા હતા. વડી દીક્ષા આગામી શનિવારે તા. ૧૮ મીએ સવારે ૯ વાગ્યે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ, રાજકોટ ખાતે યોજાશે.