ભાવનગર-વેરાવળ દૈનિક ટ્રેન વધુ 4 સ્ટેશન ઉપર હોલ્ટ કરશે
- આજથી સ્ટોપેજના નિર્ણયની અમલવારી
- વડાલ, શાપુર,લુશાળા અને બડોદર સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય નિશ્ચિત કરાયો
ભાવનગરડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમશયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર ભાવનગર થી વેરાવલ જવાવાળી ટ્રેન નંબર ૦૯૫૬૬ ભાવનગર-વેરાવળ દૈનિક ટ્રેનનો વડાલ રેલ્વે સ્ટેશન પર રોજનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૯.૦૫/૯.૦૬ વાગ્યે, શાપુર રેલ્વે સ્ટેશન પર રોજનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૯.૩૩/૯.૩૪ વાગ્યે, લુશાલા રેલ્વે સ્ટેશન પર રોજનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૯.૪૭/૯.૪૮ વાગ્યે અને બડોદર રેલ્વે સ્ટેશન પર રોજનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૯.૫૪/૯.૫૫ વાગ્યે રહેશે. તેવી જ રીતે, વળતી દિશામાં, વેરાવલ થી ભાવનગર જવાવાળી ટ્રેન નંબર ૦૯૫૬૭ વેરાવળ- ભાવનગર દૈનિક ટ્રેનનો બડોદર રેલ્વે સ્ટેશન પર રોજનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૧૫.૪૧/૧૫.૪૨ વાગ્યે, લુશાલા રેલ્વે સ્ટેશન પર રોજનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૧૫.૫૦/૧૫.૫૧ વાગ્યે, શાપુર રેલ્વે સ્ટેશન પર રોજનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૧૬.૦૧/૧૬.૦૨ વાગ્યે અને વડાલ રેલ્વે સ્ટેશન પર રોજનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૧૬.૨૯/૧૬.૩૦ વાગ્યે રહેશે.તેમ તેમણે જણાવ્યુ હતું.