Get The App

ભાવનગર-વેરાવળ દૈનિક ટ્રેન વધુ 4 સ્ટેશન ઉપર હોલ્ટ કરશે

Updated: Jun 9th, 2024

GS TEAM


Google News
Google News
ભાવનગર-વેરાવળ દૈનિક ટ્રેન વધુ 4 સ્ટેશન ઉપર હોલ્ટ કરશે 1 - image


- આજથી સ્ટોપેજના નિર્ણયની અમલવારી

- વડાલ, શાપુર,લુશાળા અને બડોદર સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય નિશ્ચિત કરાયો

ભાવનગર : મુસાફરોની સુવિધા અને તેમની માંગને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસને ભાવનગર- વેરાવળ-ભાવનગર દૈનિક ટ્રેન (૦૯૫૬૬/૦૯૫૬૭)આવતીકાલ ૯મી જૂન થી વડાલ, શાપુર, લુશાળા અને બડોદર સ્ટેશન પર સ્ટોપેજ કરવાની મંજૂરી આપી છે.

ભાવનગરડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમશયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર ભાવનગર થી વેરાવલ જવાવાળી ટ્રેન નંબર ૦૯૫૬૬ ભાવનગર-વેરાવળ દૈનિક ટ્રેનનો વડાલ રેલ્વે સ્ટેશન પર રોજનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૯.૦૫/૯.૦૬ વાગ્યે, શાપુર રેલ્વે સ્ટેશન પર રોજનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૯.૩૩/૯.૩૪ વાગ્યે, લુશાલા રેલ્વે સ્ટેશન પર રોજનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૯.૪૭/૯.૪૮ વાગ્યે અને બડોદર રેલ્વે સ્ટેશન પર રોજનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૯.૫૪/૯.૫૫ વાગ્યે રહેશે. તેવી જ રીતે, વળતી દિશામાં, વેરાવલ થી ભાવનગર જવાવાળી ટ્રેન નંબર ૦૯૫૬૭ વેરાવળ- ભાવનગર દૈનિક ટ્રેનનો બડોદર રેલ્વે સ્ટેશન પર રોજનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૧૫.૪૧/૧૫.૪૨ વાગ્યે, લુશાલા રેલ્વે સ્ટેશન પર રોજનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૧૫.૫૦/૧૫.૫૧ વાગ્યે, શાપુર રેલ્વે સ્ટેશન પર રોજનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૧૬.૦૧/૧૬.૦૨ વાગ્યે અને વડાલ રેલ્વે સ્ટેશન પર રોજનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૧૬.૨૯/૧૬.૩૦ વાગ્યે રહેશે.તેમ તેમણે જણાવ્યુ હતું.

Tags :