ભાવનગર-અંબાજી, ભાવનગર-મુંબઈ એસ.ટી. બસ સેવા શરૂ કરવા રજૂઆત
- ભાવેણાવાસીઓની લાંબા સમયની માગણીને ધ્યાનમાં રાખી
- મુસાફરોને રાહત રહેશે અને બન્ને બસને પૂરતો ટ્રાફિક મળશે
ભાવનગર : ભાવેણાવાસીઓની લાંબા સમયની માગણીને ધ્યાનમાં રાખીને ભાવનગર-અંબાજી અને ભાવનગર-મુંબઈ એસ.ટી. બસ સેવા શરૂ કરવા રજૂઆત કરાઈ છે.
ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબહેન પંડયાએ ગઈ તા.૨૧-૨ના રોજ વિધાનસભામાં ભાવનગર-અંબાજી (લક્ઝરી સ્લીપર કોચ બસ-સાદી સ્લીપર કોચ બસ) રાત્રે ૮ વાગ્યે ભાવનગરથી ઉપડે અને બીજા દિવસે રાત્રે ૮ વાગ્યે અંબાજીથી પરત આવે તે રીતે અને ભાવનગર-મુંબઈ (લક્ઝરી સ્લીપર કોચ બસ-સાદી સ્લીપર કોચ બસ) બપોરે ૩ વાગ્યે ભાવનગરથી ઉપડે અને બીજા દિવસે બપોરે ૪ વાગ્યે મુંબઈથી ભાવનગર પરત આવે તે રીતે ભાવનગર ડેપો ખાતેથી શરૂ કરવા માગ કરી હતી.
બન્ને બસને પૂરતો ટ્રાફિક મળી રહેશે તથા મુસાફરોને ખૂબ જ રાહત રહેશે. તેવી રજૂઆત પણ તેમણે આજે વાહન વ્યવહાર મંત્રીને પાઠવેલા પત્રમાં કરી હતી.