Get The App

ધો.9ના વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધ કસોટીનો કાર્યક્રમ જાહેર

Updated: Nov 22nd, 2021

GS TEAM

Google News
Google News
ધો.9ના વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધ કસોટીનો કાર્યક્રમ જાહેર 1 - image

- ઓએમઆર અને માઇનસ પદ્ધતિ સાથે

- આગામી 6 ડિસેમ્બરથી ઓનલાઇન ફોર્મ ભરાશે : ધો.9 માં શહેર-જિલ્લાના 40 હજાર વિદ્યાર્થી

ભાવનગર : ધો.૯ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા દર વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા પ્રખરતા શોધ કસોટી યોજાય છે. ચાલુ વર્ષે આ કસોટીના ફોર્મ આગામી તા.૬-૧૨ થી ઓનલાઇન ભરી શકાશે જે અંગેનો કાર્યક્રમ બોર્ડ દ્વારા જાહેર કરાયો છે.

ભાવનગર શહેર-જિલ્લાની સરકારી, અનુદાનિત, ખાનગી માધ્યમિક શાળાઓના ધો.૯ના ૩૯૯૯૬ વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા આગામી તા.૭-૨ના રોજ પ્રખરતા શોધ કસોટી જાહેર કરાઇ છે. આ કસોટી સ્વૈચ્છીક રીતે વિદ્યાર્થી આપી શકે છે જેના ઓનલાઇન ફોર્મ તા.૬-૧૨ થી ૨૬-૧૨ દરમિયાન ભરી શકાશે. શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા અંગેની વિગતો જાહેર કરતા જણાયું છે કે, આ પરીક્ષામાં ઓ.એમ.આર. સીટમાં બારકોર્ડનો ઉપયોગ કરાશે. તો પ્રશ્નપત્ર-૧માં ગુજરાતી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન ૩૦-૩૦ પ્રશ્નો અને સામાન્ય જ્ઞાનના ૧૦ પ્રશ્નો રહેશે. જ્યારે પ્રશ્નપત્ર-૨માં ગણિત, વિજ્ઞાનના ૪૦-૪૦ પ્રશ્ન અને માનસિક ક્ષમતાના ૨૦ પ્રશ્નો રહેશે. આમ બન્ને પ્રશ્નપત્ર ૧૦૦-૧૦૦ માર્કસના પુછાશે. પ્રત્યેક સાચા પ્રશ્નનો ૧ ગુણ છે તો પ્રત્યેક ખોટા પ્રત્યુત્તર માટે ૧/૩ ગુણ કપાશે, પ્રશ્નપત્રનું કન્ટેઇન ધો.૯ની કક્ષા પ્રમાણે રહેશે તો પરીક્ષાનો સમય સવારે ૧૧ થી ૧ અને બપોરે ૨ થી ૪નો નિયત કરાયો છે. ૨૦૦ ગુણમાંથી પર્સન્ટાઇલ પ્રમાણે પ્રથમ ૧૦૦૦ વિદ્યાર્થીને બોર્ડ દ્વારા પ્રત્યેક વિદ્યાર્થી દીઠ રૂા.૧૦૦૦ પ્રોત્સાહક ઇનામ આપવાનું આયોજન જાહેર કર્યું છે. આમ આ પ્રખરતા શોધ કસોટીમાં ભાવનગર જિલ્લામાંથી કેટલા ફોર્મ ભરાશે તે જોવું રહ્યું.