સ્વામિનારાયણ મંદિર કુંડળધામમાં અક્ષરધામનું ભવ્ય દ્રશ્ય સર્જાયું
- 170 ગામોમાંથી આવેલી મૂર્તિઓનું સ્વાગત કરાયું
- સ્વામિનારાયણ ભગવાનની 7,070 મૂતઓના એક સાથે દર્શન થતા ભાવિકોએ ધન્યતા અનુભવી
કુંડળધામ ખાતે આયોજિત આ ધર્મોત્સવમાં ૧૭૦ ગામોના હરિભકતોના ઘરેથી આવેલ ઘનશ્યામ મહારાજ એટલે કે સ્વામિનારાયણ ભગવાનની ૭,૦૭૦ મૂતના એક સાથે દર્શનનો નઝારો જોવા મળ્યો હતો. તમામ મૂતઓનું સામુહિક આગમન થતા ભવ્ય સ્વાગત કરાયું હતું. દેશભરમાંથી આવેલી મૂતઓનું ?જ્ઞાાનજીવનદાસજી સ્વામી તેમજ ઉપસ્થિત સૌ સંતો તેમજ ભક્તો દ્વારા સામૂહિક પૂજન કરવામાં આવ્યું હતું. મૂતઓ ૨૭ વર્તુળોમાં ગોઠવવામાં આવી હતી. દરેક મૂતના શણગાર વૈવિધ્યસભર હતા. આ પ્રસંગે ગુરૂજી તેમજ સંતો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. બાદ ભક્તોને સ્વામીએ આશીર્વાદ પાઠવ્યા હતા. એક સાથે સ્વામિનારાયણ ભગવાનની ૭,૦૭૦ મૂતઓનાં દર્શનનો આવો કાર્યક્રમ પ્રથમ વખત યોજાયો હોવાથી બહુ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. અને આ ભવ્ય - દિવ્ય દ્રશ્ય નિહાળી અક્ષરધામની ઝાંખી થતા ભક્તોએ ધન્યતા અનુભવી હતી આ વેળા જયનાદના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠયું હતું.