Get The App

આજી-1માં 4 ફૂટ નવું નીર, કમોસમી સૌની યોજના બંધ

- એક દિવસમાં શહેરને 65 દિવસ ચાલે એટલું પાણી વરસ્યું!

- રાજકોટના આજી ડેમમાં સપાટી 24, ન્યારીમાં 18.50 ફૂટે પહોંચી

Updated: Jul 6th, 2020

GS TEAM

Google News
Google News
આજી-1માં 4 ફૂટ  નવું નીર, કમોસમી સૌની યોજના  બંધ 1 - image


હવે ભારે વરસાદથી છલકાવાની શક્યતા

રાજકોટ, તા. 6 જુલાઈ, 2020, સોમવાર 

રાજકોટને પીવાનું પાણી પૂરું પાડતા સૌથી જુના આજી-૧ જળાશયમાં આજે મેઘરાજાની મહેરથી ૪ ફૂટ અર્થાત્ આ ડેમમાંથી ૪૦ દિવસ ચાલે એટલું ૨૦૦ એમ.સી.એફટી. પાણી ઠલવાયું હતું. તો બીજી તરફ ભરચોમાસે મનપાની માંગણી કે  યોગ્ય સમય વગર સૌની યોજનાથી આ ડેમમાં પાણી પંપ કરીને ઠલવાતું હતું તે અંતે આજે બંધ કરાયું છે. 

મેઘરાજાએ રાજકોટની ૧૩૦ ચો.કિ.મી.ની ધરતી પર કે જ્યાં મનપાનું હાલ પાણી વિતરણનુ નેટવર્ક છે એટલી જમીન પર આજે છ ઈંચ વરસાદથી આશરે ૨૦૦૦ કરોડ લિટર પાણી વરસાવ્યું છે અર્થાત્ આ પાણી જો કોઈ એક સ્થળે સંગ્રહાયુ હોય તો રાજકોટના તમામ નળમાં તેનાથી ૬૫ દિવસ સુધી પાણી આપી શકાય! ૅજો કે આ પાણી મોટાભાગે વોકળા,નદીમાં થઈને વહી ગયું છે.

પરંતુ, ઉપરવાસના વરસાદના કારણે આજી-૧ ડેમની સપાટી ૪ ફૂટ ઉંચે આવીને હાલ ૨૪ ફૂટે પહોંચી છે. ડેમની સપાટી ૨૯ ફૂટની છે અને છલકાવા આડે પાંચ ફૂટ બાકી છે ત્યારે ડેમ હાલ આશરે ૬૫ ટકા ભરાયો છે. આ જ રીતે રાજકોટ મનપાના ન્યારી-૧  ડેમમાં પણ દોઢ ફૂટની સપાટી વધતા ૨૫ ફૂટ ઉંડા આ ડેમની સપાટી ૧૮.૫૦ ફૂટે પહોંચી છે અને જળસંગ્રહ આશરે ૫૨ ટકા થયેલ છે. આમ, ખાસ કરીને આજી ડેમ હવે ભારે-અતિભારે વરસાદ આવે તો ઓવરફ્લો થવાની અને તેના પગલે રાજકોટમાં ખુશીની લહેર દોડી જવાની સાથે જ આ ડેમના નીચાણમાં સેંકડો મકાનો આવેલા હોય મનપાએ પણ દોડવું પડે તેમ છે

Tags :