Get The App

વિટામિન્સ શાકાહારમાંથી મેળવવા આગ્રહ રાખો..

સંવેદના - મેનકા ગાંધી

વિટામિન સપ્લીમેન્ટથી નથી આરોગ્ય સુધરતું કે નથી તો રોગ દૂર થતો. તે માત્ર ઉણપની સારવાર કરે છે

Updated: Jan 5th, 2020

GS TEAM

Google News
Google News
વિટામિન્સ શાકાહારમાંથી મેળવવા આગ્રહ રાખો.. 1 - image


જીલેટીન કેપ્સ્યુલના જગ્યાએ વિકલ્પ તરીકે વેજીટેબલ સેલ્યુલોઝ વાપરી શકાય છે: પ્લાંટના વિકલ્પ સિવાય પણ આ વિટામિન સિન્થેટીક વિટામિન્સ પણ વાપરી શકાય છે....

કોઇ તમને એમ કહે કે તમામ વિટામિનો માત્ર માંસ અને ડેરી પ્રોડક્ટ એક્સટ્રેક્ટ કરીને મેળવાય છે તોે તે સાચું ના માનશો. દરેક વિટામિનનો વિકલ્પ પ્લાંટમાંથી મળી આવે છે..

કોઇ પણ જીવને વિટામીન્સ અને જરુરી પોષક તત્વોની જરુર હોય છે. જે તેમને તેમના રોજીંદા ખોરાકમાંથી મળી રહે છે. જો તમે તંદુરસ્ત હોવ તો વધારાના વિટામીનના ડોઝનો કોઇ પોષણ યુક્ત લાભ નથી થતો. પરંતુ જો તમારા શરીરમાં ચોક્ક્સ પ્રકારના વિટામીનની ઉણપ હોય તો તમે લીધેલા પોષક તત્વોથી તમારા સેલ્સ અને ટીસ્યુનો યોગ્ય વિકાસ થાય છે. જો તમારા શરીરમાં કોઇ પોષક તત્વની મોટી ઉણપ હોય તો તે ઉણપથી થતા રોગનો તે ભોગ બને છે. વિટામીનની ઉણપથી થતા કેટલાક રોગોમાં બેરી બેરી,પેલાગ્રા,સ્કર્વેને રીકેટ્સનો સમાવેશ થાય છે.

૧૯૧૦માં વિટામીન બી-વન(થીયેમાઇન)નું સંશોધન જાપાનના વિજ્ઞાાની ઉમાતારો સુઝુકીએ કર્યું હતું.તેે  રાઇસ બ્રાન ફૂડમાથી મળતું હોવાનું જણાવ્યું હતું. ૧૯૧૩માં વિટામીન-એ (રેટીનોલ) કોડલીવર ઓઇલમાંથી મળતું હોવાનું  જણાવાયું હતું. ૧૯૨૦ થી ૧૯૪૮ દરમ્યાન વિજ્ઞાાનીઓએ તમામ વિટામીનોને છૂટા પાડી દીધા હતા. છેેલ્લે જે છૂટું પડાયું તે વિટામીન બી-૧૨(કોબાલામીન). જેનો સોર્સ લીવર, એગ તેમજ અન્ય એનિમલ પ્રોડક્ટ હતી.

૧૯૩૦ના દાયકામાં કોમર્શીયલ ઇસ્ટમાંથી એક્સટ્રેક્ટ કરીને મેળવેલ વિટામીન બી કોમ્પલેક્સ અને સેમી સિન્થેટીક વિટામીન સી જેવા પોષક તત્વોની ટેબ્લેટ વેચાતી થઇ હતી. ત્યાર બાદ વિટામીન્સ અને મલ્ટી વિટામીન્સનો વપરાશ ઘેર ઘેર થઇ ગયો હતો.  હાલમાં ૧૩ વિટામીન્સ શોધી કઢાયા છે અને તેનું ચોક્ક્સ શું કામ છે તે પણ જાણી શકાયું છે. બી ગૃપના વિટામીનો એન્ટીઓક્સીડન્ટ તરીકે વપરાય છે જે એન્ઝાઇમ્સને કામ કરતા કરે છે.

વિટામીન્સનું વર્ગીકરણ પણ કરાયું છે . જેમકે એ-બી (જેમાં બી-૧ થિયામાઇન,બી-૨ રીબોફ્લેવીન, બી-૩ નિયાસીન, બી-૫, બી-૬ (પાયરોડોક્સીન), બી-૭ (બાયોટીન), બી-૯, બી-૧૨ (કોબાલેમીન), સી,ડી,ઇ અને કે નો સમાવેશ થાય છે. પોષક તત્વ એ  આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. બી ગૃપના તત્વો અન્ય કેટલાક નામોથી પણ ઓળખાય છે જે દવાના પેકેટ પર લખેલા હોય છે. જેમકે થિયામીન,રીબોફ્લેવીન, નિઆસીન, પેન્ટોથેનીક એસિડ,બાયોટીન, વિટામીન બી-૬, વિટામીન બી-૧૨ અને ફોલેટ.

મોટા ભાગના ભારતીયોને એ જાણીને આશ્ચર્ય થશે કે ઘણા વિટામીન પ્રાણીમાંથી કાઢવામાં આવે છે માટે તે વેજીટેરીયન કહી શકાય નહીં. પ્રોડક્ટ પર લખેલી વિગતો હંમેશા સાચી હોતી નથી.  જ્યારે કાયદો ઉત્પાદકોને પ્રોડક્ટના પેકીંગ પર તત્વો લખવાની સૂચના આપે ત્યારે તે તત્વ ક્યાંથી લેવાયું તેનો સોર્સ લખવાનું ફરજીયાત નથી હોતું. ધણાં વિટામીન સપ્લીમેન્ટ શાકાહારી નથી હોતા.

આવા વિટામીન લેવા કે નહીં  તે અંગત ચોઇસનો વિષય છે પરંતુ તે ક્યાંથી આવે છે (સોર્સ)તે જાણવું પણ જરુરી છે. વિટામીનની ટેબ્લેટ કે કેપ્સ્યુલની ઉત્પાદન પ્રોસેસમાં વપરાતા એડીટીવ્ઝ  શરીર પચાવી શકે એવા હોય છે. મોટા ભાગની કેપ્સ્યુલ બકરા, ગાય કે ડુક્કરની ચરબીમાંથી બનાવેલી હોય છે. વિટામીન સપ્લીમેન્ટ પર કોટીંગ તરીકે વપરાતા અન્ય ફિલર્સ તેમજ લ્યુબ્રિકન્ટ તત્વોમાં મેગ્નેશીયમ સ્ટીરેટ અને કેપ્રેલીક એસિડનો સમાવેશ થાય છે.    

મેગ્નેશીયમ સ્ટીરેટ એ સ્ટીયરીક એસિડમાંથી મેળવાય છે. તે ફેટી એસિડ છેે અને તે ડુક્કર,ચીકન,ગાય, ફીશ,દૂધ, બટર વગેરેમાંથી મળે છે. જ્યારે ક્રેપ્રેલીક એસિડ બકરી, ગાય અને ઘેટાના દૂધમાંથી મળે છે.કેટલીક ટેબ્લેટને આકર્ષક બનાવવા માટે કલરીંગ બનાવાય છે. આવા કલર્સ એનીમલ બેઝ વાળા હોય છે. સામાન્ય રીતે વપરાતો લાલ કલર કાર્માઇન ફૂડ ડાઇમાંથી મેળવાય છે.

જે બીટલ્સ જેવા સ્કેલ્સ જીવાણુના મૃત શરીરમાંથી મેળવાય છે. વિટામીન-ડી સપ્લીમેન્ટ બનાવવા પ્રાણીમાંથી  વપરાતા તત્વનું નામ લેનોલીન છે. જે રુંવાટીવાળા પ્રાણીમાંથી મેળવાય છે. ( ડી-૩ ફીશ ઓઇલમાંથી મેળવાય છે તે જોખમી બની શકે છે કેમકે તેમાં મરક્યુરી છુપાયેલો હોય છે) તેના વિકલ્પ તરીકે વેગન વિટામીન -ડી વાપરી શકાય કે લીલમાંથી મળી આવે છે. તે તડકામાં ઉભા રહેવાથી પણ મેળવી શકાય છે.

એેવીજ રીતે વિટામીન એ અને ડીના  સોર્સ તરીકે કોડલીવર ઓઇલ વપરાય છે. તે કોડ ફીશના લીવરમાંથી ખેંચવામાં આવ્યું હોય છે. વિટામીન બી-૧૨ (કોબ્લામાઇન) જે પ્રાણીઓના અંગો તેમજ મટન, ઇંડા વગેરેમાંથી મળે છે. એવુંજ વિટામીન બી-૨, બી-૩, બી-૫,બી-૬, બી-૭ માટે હોય છે.

ઓમેગા-થ્રી સપ્લીમેન્ટ સામાન્ય રીતે ફીશ, ફીશ ઓઇલ,એગ, મટન વગેરે પર આધારીત હોય છે.મહત્વના પોષક તત્વો શોષાઇ જાય તે માટે વપરાતું તત્વ ડયુઓડેનમ ( પ્રાણીના સ્ટમક-પેટ પછી આવતા નાના આંતરડાનો પ્રથમ ભાગ) છે. જેમાં ગાય તેમજ ડુક્કરના આંતરડા વપરાય છે. પાચન તંત્રના પોષક તત્વ તરીકે વપરાતા એન્ઝાઇમને લીપેઝ તરીકે ઓળખાય છે. જે ઘેટાના બચ્ચાની જીભ નીચેથી મેળવાય છે. ડુક્કરના પેટની ઉપરના ભાગમાંથી મળતી ચામડીમાંથી પેપ્સીન ખેંચાય છે. 

કેટલાક વિટામીન સપ્લીમેન્ટમાં હાડકાનો ભૂકો કેલ્શીયમ તરીકે વપરાય છે. કેલ્શીયમ સપ્લીમેન્ટ ટેબ્લેટમાં જે સોયાબીન કે પામ ઓઇલમાંથી એક્સટ્રેક્ટ કરી શકાય પણ સામાન્ય રીતે તે પ્રાણીની ચરબીમાંથી મેળવાય છે. તમામ વિટામીન સપ્લીમેન્ટમાં કોલીકેલ્સીફેરોલ વપરાય છે.જે ઘેટામાંથી મેળવાય છે. કોઇ તમને એમ કહે કે તમામ વિટામીનો માત્ર માંસ અને ડેરી પ્રોડક્ટ એક્સટ્રેક્ટ કરીને મેળવાય છે તોે તે સાચું ના માનશો. દરેક વિટામીનનો વિકલ્પ પ્લાંટમાંથી મળી આવે છે.

જીલેટીન કેપ્સ્યુલની જગ્યાએ વિકલ્પ તરીકે વેજીટેબલ સેલ્યુલોઝ વાપરી શકાય છે. ફીલર અને લ્યુબ્રીકન્ટ તરીકે વપરાતા સ્ટીયરેટ્સના વિકલ્પ તરીકે પામ ઓઇલ વાપરી શકાય. કેપ્રલીક એસિડ પામ ઓઇલ અને નાળીયેરમાંથી મળી રહે છે. વિટામીન-ડીના વિકલ્પ તરીકે સૂર્યપ્રકાશ તેમજ લીલનો ઉપયોગ થઇ શકે છે.

સાયનોકોબ્લામીન સોયાબીનમાંથી મળે છે જે વિટામીન બી-૧૨ તરીકે વાપરી શકાય છે. કીવી ફ્રૂટ  સીડ ઓઇલ, બ્લેક રાસ્પબરી વગેરે ઓમેગા-૩ના સોર્સ તરીકે વાપરી શકાય છે. કેરોટીનને (ગાજરનો એક પ્રકાર) વિટામીન -એ તરીકે વાપરી શકાય છે. પાચન ક્રિયામાં ઉપયોગી એવા એન્ઝાઇમ કપાસીયાના બીયા કે કઠોળમાંથી મેળવી શકાય છે.

કેલ્શીયમ માટે હાડકાનો ભૂકો વપરાય છે તેની જગ્યાએ વિકલ્પ તરીકે કેલ્શીયમ કાર્બોનેટ, સોયાબીન, બ્રોકોલી, ભાજી, બીટ વગરેમાંથી મેળવી શકાય છે.શાકાહારી ચીજોમાંથી આટલા બધા વિટામીનો મળી શકે એમ હોવા છતાં કંપનીઓ પ્રાણીઓનો ઉપયોગ એટલા માટે કરે છે કે તે આસાનીથી ઉપલબ્ધ છે. તેમજ તે સસ્તા પણ પડે છે.

પ્લાંટના વિકલ્પ સિવાય પણ આ વિટામિન સિન્થેટીક વિટામીન્સ પણ વાપરી શકાય છે.પ્રાણી કે પ્લાંટમાંથી મેળવેલ વિટામીન અને સિન્થેટીક વિટામીન વચ્ચે કેમીકલની રીતે કોઇ ફર્ક નથી હોતો. સિન્થેટીક પ્રોડક્શન વધુ ઉપયોગી બનવા લાગ્યું છે કેમકે પ્રાણીના અંગો કરતાં તે કિંમતની દ્રષ્ટીએ પણ સસ્તું  પડે છે.

વિટામીન સપ્લીમેન્ટના વિકલ્પ તરીકે વધુ સંશોધન કરવાની જરુર છે. વિટામીનના સપ્લીમેન્ટ મેળવવા માટે હિંસા નો માર્ગ ના અપનાવવો જોઇએ. પ્લાંટ આધારીત વિટામીન્સ માટેની માંગણી ઉભી થાય તોજ કંપનીઓ તે દિશામાં વળે એમ છે. અનેક કંપનીઓ મલ્ટીવિટામીન બનાવે છે. પ્રજા તરીકે તમે તેમને લખી શકો છે કે પ્લાંટ આધારીત પ્રોડક્ટ બનાઓ.

અહીં મહત્વનું એ પણ છે કે વિટામીન સપ્લીમેન્ટથી નથી તો આરોગ્ય સુધરતું કે નથી તો રોગ દુર થતો. તે માત્ર ઉણપની સારવાર કરે છે. શક્ય હોય ત્યાં સુધી શાક ભાજી કે ફળોમાંથી વિટામીન્સ લેવાનો પ્રયાસ કરવો જોઇએ. વિટામીન્સને ટેબલેટ્સમાંથી લેવાના બદલે ખોરાકમાથી સીધુંજ મળે તે વધુ હિતાવહ છે.

Tags :