સંવેદના - મેનકા ગાંધી
રણના વહાણ એવા ઊંટની કતલ શા માટે ?
ઊંટોની મોટા પાયે દાણચોરી થવા પાછળનું મુખ્ય કારણ કચ્છ સરહદને જોખમમાં મૂકવી
રણમાં ઊંટ સિવાય કંઇ ચાલી શકે એમ નથી: પાકિસ્તાનના લાભની વાત છે:ઊંટનું માંસ ખાવા લાયક નથી છતાં સફાયો થઇ રહ્યો છે
ઊંટોની દાણચોરી અટકાવવા કોઈ પગલાં નથી લેવાતા: રોજના ૫૦ ઊંટો ઉઠાવી જવાય છે: BSF ઊંટોને
૧૬ વર્ષ વાપરીને હરાજી કરે છે
ભારત-પાકિસ્તાન વચ્ચેની ૧૯૬૫નું પ્રથમ યુધ્ધ થયું ત્યારે પાકિસ્તાનના લશ્કરે કચ્છના રણમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ભારત સરકારે અર્ધ લશ્કરી દળ એવું બોર્ડર સિક્યોરીટી ફોર્સ (બીએસએફ) ઉભો કરવાનો નિર્ણય કર્યો હતો. તેની પાછળનો મૂળ આશય એ હતો કે શાંતિના સમય દરમ્યાન પણ સરહદ પર થતી ગુનાખોરી પર નજર રાખી શકાય તેમજ ઘૂસણખોરી પણ અટકાવી શકાય. બીએસએફ પરનું વહિવટી નિયંત્રણ કેન્દ્રના ગૃહ મંત્રાલય પાસે રહે છે. કહે છે કે વિશ્વનો સૌથી મોટો બીએસએફ ફોર્સ ભારત પાસે છે.
ગુજરાતની કચ્છ સરહદ ખાડીઓ તેમજ ટેકરાઓથી ભરેલી છે. જમ્મુ-કાશ્મીરની સરહદ પર્વતીય વિસ્તારવાળી છે. જ્યારે પૂર્વમાં બંગાળ તેમજ આસામમાં બ્રહ્મપુત્રાના કારણે પાણીવાળી સરહદ છે. દરેક સરહદોમાં અવર-જવર કરવા માટે તેના રસ્તાને અનુરૃપ સાધનોની જરૃર હોય છે. પૂર્વમાં બોટ, કાશ્મીરમાં ઘોડા તો રાજસ્થાનમાં ઊંટની વાહન તરીકે જરૃર પડે છે.
રાજસ્થાનનું ઉદાહરણ આપીએ તો શાહગઢ વિસ્તારમાં માઈલો સુધી ૩૦ ફુટ ઉંચા રેતીના ડુંગરા હોય છે. તેના પર માત્ર ઊંટ પર સવાર થઇને જ જઇ શકાય છે. ઉનાળામાં આ વિસ્તારમાં ૫૦ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલી ગરમી હોય છે ત્યાં રસ્તામાં નાના ઝાડવા તેમજ પીવા માટેના પાણીના સાંકડા કુવા જોવા મળે છે. મોટા ભાગના વિસ્તારમાં થોરીયા તેમજ રેતીના ડુંગરા સીવાય કશું હોતું નથી.
આ સરહદ પર બીએસએફના ઊંટો નજરે પડે છે. રાજસ્થાન તેમજ ગુજરાતની મળીને ૧૦૪૦ કિ.મી.ની સરહદ પર બીએસએફ ઊંટ પર બેસીને ચોકી કરે છે. આ સરહદના મુખ્ય કેન્દ્રોમાં જેસલમેર, બાડમેર, બિકાનેર અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. આ સરહદથી શસ્ત્રો તેમજ ડ્રગ્સ ઘૂસાડવાનો પ્રયાસ બંને બાજુએથી કરવામાં આવે છે. એક ઊંટ દિવસના ૪થી ૫ કિલોમીટર ચાલી શકે છે.
બીએસએફ કે કોઈ સરકારી એજન્સી ઊંટનો ઉછેર નથી કરતી. ગામડામાં ભરાતા પશુમેળામાંથી તે ૫-૮ વર્ષના ઊંટ ખરીદી લે છે. ૨૧ દિવસ સુધી તેને અલગ રખાય છે. પછી તેને રોગમુક્ત રાખવા રસી આપવામાં આવે છે. ત્યારબાદ તેમને ટ્રેનીંગ કેમ્પમાં જોધપુર મોકલવામાં આવે છે. ઊંટ ઉંચુ હોવા છતાં તેના સવારને તે માઇલો સુધીની મુસાફરી કરાવે છે. ઊંટ રેતી પર તેમજ ઘાસ પર ઝડપથી દોડી શકે છે. તેમનામાં સૂંઘવાની શક્તિની સાથે દિશા પારખવાની જોરદાર ક્ષમતા હોઈ તે ડસ્ટ સ્ટોર્મ (રેતીના તોફાન) દરમ્યાન પણ દિશા શોધી શકે છે તેમજ નાઇટ પેટ્રોલીંગ પણ કરી શકે છે.
બીએસએફ તેમજ દેશની સુરક્ષા માટે ઊંટ મહત્ત્વનું બની ગયું છે. ઊંટનો ઉપયોગ માત્ર પેટ્રોલીંગ માટે નથી થતો પણ મેલ, ગેસ, સિલીન્ડર, મેડીસીન વગેરેનો પૂરવઠો સપ્લાય કરવા માટે પણ થાય છે. સરહદ પરના લશ્કરી કેમ્પોમાં તે ખોરાક પહોંચાડે છે. રણના કોઈપણ ખૂણે તે પોતાની ડયુટી બજાવે છે. જ્યાં કોઈ વાહન ના જઈ શકે ત્યાં ઊંટ જઇ શકે છે.
વાહનો ફસાઈ જાય તો તેને રેતીમાંથી બહાર કાઢવા માટે પણ ઊંટનો ઉપયોગ થાય છે. કચ્છ અને સિંધ વચ્ચેની ૭૦૦ કિ.મી. વિસ્તારની સરહદ પર ગુનાખોરીની પ્રવૃત્તિ મોટા પાયે ચાલે છે. બીએસએફ 'કેમલ સફારી' પણ યોજે છે અને સ્થાનિક લોકોને બોર્ડર પર લઇ જઇને ગુના કેવી રીતે થાય છે તે બતાવે છે. આ સિસ્ટમને ગામડાના સ્થાનિક લોકોનો જોરદાર ટેકો મળે છે.
દાણચોરો અને ઘૂસણ ખોરો અવાર-નવાર પકડાય છે અને તેમને ઊંટ પર બાંધીને પકડી લવાય છે. જ્યારે ૨૦૦૧માં ગુજરાતમાં ધરતીકંપ આવ્યો ત્યારે ત્યાં સૌ પ્રથમ માણસો ઊંટ લઇને પહોંચ્યા હતા. બીએસએફ ઊંટનો ઉપયોગ ૧૬ વર્ષ માટે કરે છે પછી તેને હરાજીથી વેચી મારે છે.
અહીં ખતરાની ઘંટડી બીએસએફ તેમજ ગૃહમંત્રાલય માટે વાગે છે. કેમકે છેલ્લા દશ વર્ષમાં ઊંટની મોટા પાયે દાણચોરી થાય છે. ઘણાં ઓછા ઊંટ વેચાવા માટે આવે છે. બીએસએફના કેમલ ડિવિઝનના વડા કહે છે કે ઊંટની ખરીદી બહુ મોંઘી બની રહી છે. મેલ ઊંટની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી રહી છે; તંદુરસ્ત ઊંટો બહુ ઓછા બચ્યા છે. બીએસએફને ૧૨૭૬ ઊંટની જરૃર છે જ્યારે તેમની પાસે માત્ર ૫૩૧ ઊંટો છે.
રાજસ્થાનની સરકારે ઊંટને તેમની સરહદની બહાર લઇ જવા પર પ્રતિબંધ લાદ્યો છે. તેમ છતાં ૧૬ ઊંટો ભરેલી ટ્રકની રોજ દાણચોરી થાય છે. બાગયતની મુસ્લિમ ગેંગ દાણચોરીના આ ધંધામાં સંડોવાયેલી છે. રાજસ્થાન અને હરિયાણાની પોલીસ આ ધંધામાં સંડોવાયેલી હોવાનો આક્ષેપ થાય છે.
હાંસીની એક ચોકીના ઇનચાર્જને હું ઓળખું છું. જેમણે હરિયાણાથી ઉત્તર પ્રદેશમાં સેંકડો ઊંટ ઘૂસાડયા છે. ન્યાયતંત્રના કેટલાક લોકો સાથે પણ તે સંપર્કમાં હોય છે. જ્યારે ઊંટ પકડાય છે ત્યારે બીજા જ દિવસે આ ગરીબ કિસાનોના લાભાર્થે તેમને છોડી મુકાય છે.આવા ગરીબ કિસાનોને દર મહિને સેંકડો ઊંટ ખરીદવાના પૈસા કોણ આપે છે ? આ ઊંટની કિંમત એક લાખ રૃપિયા જેટલી હોય છે તે અદ્રશ્ય થતાં તેની કિંમતમાં વધારો થઇ રહ્યો છે. આવા કામ માટે ભંડોળ કોણ આપે છે ? સેંકડો ઊંટોને બાંગ્લાદેશ મોકલવામાં આવે છે.
બાગયત, મેરઠ અને હૈદ્રાબાદમાં સેંકડો ઊંટોની કતલ થાય છે. દિલ્હીની નજીક આવેલા એક મેવાત નામનો પ્રદેશ એન્ટી-નેશનલ તેમજ ગુનાખોર પ્રવૃત્તિ માટે જાણીતો છે ત્યાં ડઝનબંધ ઊંટોની હત્યા થાય છે. એકવાર અમે ત્યાં ૨૦૦ ઊંટોની કતલ ત્યાં થતી જોઈ હતી, તેમના મૃત શરીર ત્યાં વેર વીખેર પડયા હતા.
શું તેમની માંસ ખાવા કતલ થઇ હતી ? શા માટે ૨૦૦ ઊંટોના મૃત શરીર ત્યાં પડયા હતા. શા માટે તેમને દિલ્હી નજીક લાવીને કતલ કરીને નાળામાં ફેંકી દેવામાં આવે છે ? શું એક કોમ્યુનીટીને ઊંટના માસમાં સ્વાદ છેલ્લા દશ વર્ષમાં આવવા લાગ્યો છે. ઊંટનું માંસ વાસ મારે છે, સૂકું હોય છે, સખત પણ હોય છે. ખાવું પણ મુશ્કેલ હોય છે એમ પચવું પણ મુશ્કેલ હોય છે તેને રાંધતા પણ ઘણો સમય લાગે છે. એટલે ઊંટનું માસ ખાવા યોગ્ય નથી હોતું !! તેમ છતાં ઊંટની દાણચોરી એટલી મોટા પાયે થઇ કે સદી બદલાઈ તે અગાઉ ૧૦ લાખ ઊંટો હતા તેની સંખ્યા આજે ૪૦,૦૦૦ પર આવી ગઈ છે.
ઇન્ટરનેશનલ એજન્સીઓએ જાહેર કર્યું છે કે ભારતના ઊંટ હવે લુપ્ત થતી જાતિઓમાં આવી જશે.
આ ઉપરાંત એક તર્ક એવો પણ છે કે ઊંટની સંખ્યાનો વ્યૂહાત્મક રીતે સફાયો થઇ રહ્યો છે જેથી સરહદ પરથી ઘૂસણખોરો આસાનીથી ઘૂસી શકે ?! વિચારો કે બીએસએફ તેની સેનામાં ઊંટ ના લાવી શકે તો શું થાય ? આગામી પાંચ વર્ષમાં ઊંટો દેખાતા બંધ થઇ જશે.
હાલમાં જે રીતે દાણચોરી ચાલે છે તે ઉપરથી ગણત્રી કરો કે રોજના ૫૦ ઊંટો કપાય તો એક વર્ષમાં ઊંટોની સંખ્યા કેટલી ઘટે ? માત્ર મારી એકલાની જ સંસ્થાએ આ વર્ષે ૧૦૦૦ ઊંટો પકડયા છે. આ પૈકીના મોટા ભાગના ઊંટોને હરીયાણા-દિલ્હીના ન્યાયતંત્રે છોડીને ફરી દાણચોરોના હાથમાં સરકાવી દીધા છે. મને લાગે છે કે ભારતના બીએસએફને નબળી પાડવાની આ એક વ્યૂહાત્મક ચાલ છે.
૧૯૬૫ની ૯મી એપ્રિલે પાકિસ્તાને કચ્છની સરદાર પોસ્ટ, છાર બેટ અને બેરીયા બેટ પર હુમલો કર્યો હતો. આપણે અંધારામાં હતા અને હુમલા માટે તૈયાર નહોતા. શું આપણી સરહદને નબળી પાડવાનો આપણા પાડોશીનો કોઈ પ્લાન નથી ને ? શું આપણે આ સમસ્યાને માત્ર પ્રાણીઓ પરના અત્યાચારની દ્રષ્ટિએ જોઇએ છીએ ? રાજસ્થાન અને હરિયાણાની સરકાર ઊંટોના રક્ષણ માટે કોઈ પગલાં લે છે ખરી ? અંતે આપણે શું કરીએ છીએ ?