મચ્છર માણસ માટે ખતરનાક, કુદરત માટે ઉપયોગી
સંવેદના - મેનકા ગાંધી
મચ્છરે 2015માં 4,38,૦૦૦ના જીવ લીધા હતા; મચ્છરને ભગાડવા મુશ્કેલ
દેડકા, કરોળીયા, ગરોળી વગેરે માટે મચ્છર મહત્ત્વના: મચ્છર રોગચાળો ફેલાવે છે પણ સ્વચ્છતા એક માત્ર ઉપાય
મચ્છરને ખતમ કરાય તો કુદરતની ઇકોલોજી સિસ્ટમ સામે ખતરો ઉભો થાય: રસાયણિક ખાતરોએ માનવજીવન રોગીષ્ઠ બનાવ્યું છે
મારા જેવી અહિંસક પણ મચ્છરો બાબતે અપવાદ રાખે છે. હું તેમને મારતી નથી પણ દુડનાઇટ જેની અનેક પેરડક્ટ કે છાણ અને કપુરની ગોળીઓ સળગાવીને અમે મચ્છરોને ભગાડીએ છીએ.
પક્ષીઓને પીવાના પાણીના વાસણોમાં અમે ગુમ્બુસીયા પ્રકારની માછલીઓ રાખીએ છીએ. જ્ને આપણે અમદાવાદમાં ગપ્પી માછલાઓ કહીએ છીએ. જે મચ્છરના ઇંડા તમજ પાણીમાંના લાર્વા ખાઇ જાય છે.
મચ્છરો એ પૃથ્વી પરનું સોથી મોટું માણસ જેટલુંજ જોખમી પ્રાણી છે ( આ વાત ઘણંબધું કહી જાય છે). મચ્છરો મેલેરીયા,ડેનગ્યૂ,યલોેફીવર,વેસ્ટ નાઇલ ફીવર , રીફ્ટ વેલી ફીવરને પ્રસરાવે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે ૨૦૧૫માં મેલેરીયાને કારણે ૪૩૮,૦૦૦ લોકો મોતને ભેટયા હતા. જ્યારે યલોફીવરના કારણે ૩૦,૦૦૦ અને ડેનગ્યૂના કારણે ૨૨,૦૦૦ના મોત થયા હતા. અહીં ઉલ્લેખનીય એ છે કે જેટલા લોકો યુધ્ધમાં મરે છે તેના કરતાં વધુ મચ્છર કરડવાથી મરે છે.
એ પણ હકીકત છે કે યુધ્ધના સમય દરમ્યાન બુલેટથી મરતા સૈલિકોની સંખ્યા કરતાં મચ્છર કરડવાથી વધુ મોત થાય છે. હવે ઝીકા વાયરસ આવ્યા છે તેણે આખા ઉપખંડને ઘૂંટણીએ લાવી દીઘો છે. વિચારો કે કોઇ મહિલા પ્રેગનન્ટ હોય અને તેને મચ્છર કરડે તો બાળક નાના માથા સાથે અને નાના બ્રેન સાથ જન્મે છે.
આવા રોગમાટે જે મચ્છરો જવાબદાર છે તે એઇડસ અજેપત્તી તેમજ એઇડસ અલ્બોપીક્ટસ તરીકે ઓળખાય છે. રાત્રે કરડતા મચ્છરો કરતાં દિવસે કરડતા મચ્છરો વધુ જોખમી હોય છે કેમકે દિવસમાં આપણી પાસે મચ્છરથી બચવા માટેનું કોઇ પ્રોટેક્શન નથી હોતું.
માત્ર માનવ જાત મચ્છરોથી પરેશાન છે એવું નથી પ્રાણી જગત પણ મચ્છરોનો સામનો કરી શકતા નથી. મચ્છરોથી બચવા પ્રાણીઓ અહીં તહીં દોડતા જોવા મળે છે. ૧૮મી સદીમાં મચ્છરો હવાિ ટાપુઓ પર નહોતા.
એટલે પ્રાણીઓ માં જે મચ્છર સામે કુદરતી રીતે પ્રતિકાર શક્તિ ઉભી થવી જોઇએ તે થઇ નહોતી. ત્યારબાદ વહાણોની ફેરી સાથે મચ્છરો ટાપુઓમાં ઘૂસ્યા હતા. જેના કારણે ટાપુઓ પરના પક્ષીઓમાં એવીયન પોક્સ વાયરસ જોવા મળ્યા હતા. એમ ટાપુઓ પર મચ્છરો ફેલાયા હતા.
જે મચ્છરો મોટા હોય તો તેમને મારવા આસાન બને છે. આમ પણ, માણસ ને વિશાળકાય પ્રાણીઓનો ખાત્મો બોલાવવો ગમે છે. જો મચ્છરો જમીન પર રહેતા હોત તો તેમને મારવા આસાન હતા કેમકે માણસે ઝેરી રાસાયણીક ખાતરોનો ઉપયોગ કરીને જમીન પરના અળસીયા જેવી જાતિએઓ ખાત્મો બોલાવી દીધો છે.
પરંતુ મચ્છર ેક એવું જીવાણું છે કે જે નાના અમથા ભરાયેલા પાણીમાં પણ ઉછરી શકે છે. જુના ટાયરોમાં ભરાયેલા પાણી, ભીના ઉકરડામાં, જ્યાં પણ થોડું ભરાયેલું પાણી હોય ત્યાં તે ઉછરી શકે છે. તે પ્રવાસ કરે છે. જેમ ગરમી વધે છે એમ તે ઠંડા પ્રદેશની દિશામાં આગળ વધે છે કમકે તે ઓછી ગરમીમાં રહેવા ટેવાયેલા હોય છે.
આ ટચુકડા કીલીંગ મશીનને કોણ અટકાવી શકશે? છાશવારે કોઇને કોઇ દેશ મચ્છરો સામે યુધ્ધ જાહેર કરે છે. જ્યારે આવું થાય ત્યારે મચ્છરો મારવાના કેમીકલ બનાવનારાઓનું વેચાણ વધે છે. જો કે તેનું કોઇ પરિણામ નથી આવતું. વિશ્વમાં ભારતજ એક એવો દેશ છે કે જે મચ્છર મારવા ડીડીટીનો ઉપયોગ કરે છે.
કમનસીબી એ છે કે આ ડીડીટીથી મચ્છરો કરતાં વધુ માણસો અને પક્ષીઓ મર્યા છે. કેમકે મચ્છરો હવે ડીડીટીથી ઇમ્યુન(અસર ના થવી)થઇ ગયા છે. હવે ભારત એમ કહે છે કે મચ્છર સમગ્ર વિશ્વની સમસ્યા છે. જેમ ચકલી કે ગીધ અદ્રશ્ય થઇ ગયા એમ મચ્છરો માટે થાય તો કેવું ? મચ્છરોની મુખ્ય ત્રણ જાતોમાંની એક એનોફીલીસ સૌથી જોખમી છે.
મચ્છરોની કુલ ૩૫૦૦ જાત છે કુદરતમાં તેમનો પણ એક મહત્વનો રેાલ છે. મેલ મચ્છર કેટલાક ફુલો અને પાકની પરાગરજ લઇને ખાસ કરીને મોટા પાંદડાવાળા ફુલોને પ્રસરાવવાનું કામ કરે છે. પ્લાંટ પરની જીવાતને તે ખાય છે. કોવાયેલાં પાન, ઉકરડાની જીવાત, માઇક્રોબ્સ વગેરે તે ખોરાક તરીકે લે છે.
મચ્છરના લાર્વા પણ પાણીમાં રહેલી જીવાતને ખાય છે. લાર્વા લીલ ખાઇને તેમાંથી પોતાના શરીરની પેશીઓ બનાવે છે. ત્યારબાદ તેને ફીશ ખાઇ જાય છે. પાણી પર તરતી જીવાત કે કચરો એ લાર્વાનો ખોરાક હોય છે.
જો તેને આ ખોરાક ના મળે તો તે મોતને ભેટે છે. મચ્છરોના લાર્વા અન્ય જીવો માટે પોષણયુક્ત આહાર હોય છે..મચ્છર મોટું થયા પછી પણ પક્ષીઓ, નાના જીવો વગેરેનો ખોરાક બને છે. તે ગરોળી, દેડકા, ચામાચીડીયા, સોંગ બર્ડ.ડ્રેગોન ફલાઇસ વગરેનો પ્રિય ખોરાક બની રહે છે.
એક વાત એ પણ છે કે શું મચ્છરોનો નાશ થઇ જાય તો તેના પર નભતા ચામાચીડીયાનો પણ અંત આવી જાય એમ બને ખરું? તેનો જવાબ કદાચ નામાં આપી શકાય કેમકે ચામચાડીચા બીજી જીવાત પણ ખાતા હોય છે. પરંતુ માત્ર લાર્વા પર નભતા ઘણા જીવો અદ્રશ્ય થઇ શકે છે. ઇકો સિસ્ટમ પર પણ લાંબે ગાળે અસર થાય છે.
જો કે મચ્છરો નાબૂદ થાય તો તેની અસર કેવી પડશે તે અંગેનો કોઇ અભ્યાસ નથી થયો પરંતુ કેટલાક સમયબાદ તેના પર અભ્યાસ કરવો જોઇએ તો હકીકતની ખબર પડે.
ફૂડ ચેઇન એટલેકે ફૂડના ઉત્પાદનથી માંડીને ખોરાક ખાવા સુધીની કોઇ પ્રોસેસમાં મચ્છરો બંધ બેસતા આવતા નથી. સંશોધન કરનારાઓએ નોંધ્યું છે કે મોટા પ્રાણીઓ દેખાઇ આવે છે પણ મચ્છરોને જોઇ શકાતા નથી એટલે એની અસર વિશે જાણી શકાતું નથી.
માણસે પૃથ્વી પર બગાડ કર્યો તે પહેલાંજ મચ્છરોએ સ્થાન જમાવી દીધું હતું. એમ માની લેવામાં આવે છે કે મોટા પ્રાણીઓમાંથી નાના જીવાણુઓ પોષણ મેળવતા હતા. આ લોકો પોષણનાનામે લોહી પીવા લાગ્યા હતા. મચ્ચરોએ પણ આ સિસ્ટમ અપનાવી લીધી હોવાનું મનાય છે.
આ મચ્છરોનો સંપૂર્ણ રીતે સફાયો થાય તો ઇકોસિસ્ટમને મોટું નુકશાન થઇ શકે છે. જો કે માનવ જાતને મોટોફાયદો થાય એમ છે. મચ્છરજન્ય ઘણાં રોગોનો નાશ થાય અને લોકો શાંતિથી ઉંઘી શકે. કેમીકલ યુક્ત શ્વાસ લીધા વીના માણસ ઉંધી શકે છે.
જ્યાં સુધી વિશ્વનું અસ્તિત્વ છે ત્યાં સુધી મચ્છરો છે એમ સમજી લેવું જોઇએ. જો આપણે વધુ રસાયણો વાપરીશું તો પર્યાવરણને ગંભીર નુકસાન થશે. આ રસાયણિક ખાતરોથી તો લાખો લોકોને કેન્સર થયું છે.
અને કેન્સર થાય એના બદલે મેલેરીયા થાય તે ગમે છે. જો તમે ટેવ બદલશો તો જંગલો સાફ રહેશે. તમે પાણીના સોર્સ ના શોધ્યા એટલે રણ ઊભા થયા. જો તમે મચ્છરો ખાય એવી ફીશ કે ડ્રેગોન ફ્લાઇસ ઉભી કરો તો મચ્છરોની સંખ્યા ઘટાડી શકાય.
માઈગ્રેટ થઇને આવતા પક્ષીઓ માટે મચ્છરના ઇંડા કે લાર્વા આકર્ષક ખોરાક હોય છે. માઇગ્રેટ થઇને આવતા પક્ષીઓ સાથે લીલોતરી ઝાડના પરાગરજ લેતા આવે છે.મોસક્યુટો (મચ્છર)નો સફાયો કરવો એટલે ઇકોલોજી સિસ્ટમને મોટો ફટકો મારવો કરોળીયા, ગિલોડી, દેડકા જેવા જીવો માટે મચ્છર આસાન અને ઉત્તમ આહાર છે. શું માણસ કુદરત માટે કોઈ મહત્ત્વનું કામ કરે છે ખરો ?