Get The App

ચમત્કારિક અને વંદનીય પૌરાણિક પક્ષીઓ

Updated: Feb 15th, 2021

GS TEAM

Google News
Google News
ચમત્કારિક અને વંદનીય પૌરાણિક પક્ષીઓ 1 - image


- સંવેદના મેનકા ગાંધી

- Gandaberunda (ગાંડા બેરૂંડા) એ બે માથાવાળું પક્ષી છે. તે લાંબી પૂંછડી ધરાવતું પૌરાણિક પક્ષી છે

જો હુમાં બર્ડ કોઇના માથા પરથી ઉડે અને તેનો પડછાયો તેના પર પડે તો તે વ્યક્તિ બહુ મોટો અને શક્તિશાળી રાજા બને છે. એટલેતો મૈસુરના ટિપુ સુલતાને તેમના મુગટમાંના સોનામાં મઢેલા છત્ર પર હુમાં પક્ષીનું ચિત્ર રાખ્યું હતું

મહાભારતમાં કથા છે કે જ્યારે કુચેલા (દક્ષિણના રાજ્યમાં જેને કુચેલા કહે છે તે આપણે ત્યાં સુદામા તરીકે ઓળખાય છે) ભગવાન કૃષ્ણને મળવા જાય છેે ત્યારે તે રસ્તામાં ચકોરાને જુવે છે . તે ઘેર પાછા ફરે છે ત્યારે તે પૈસાદાર થઇ ગયા હોય છે. ચકોરા નસીબ બદલી નાખે છે

પૌરાણીક પ્રણીઓની અનેક દેશોમાં પૂજા થાય છે  અને માન અપાય છે.  જેમકે ગરૂડ આમ તો, ભારતનું છે પરંતુ ઇન્ડોનેશિયાનું રાષ્ટ્રીય પક્ષી છે અને ઇન્ડોનેશિયાનું પ્રતિક પણ છે. ફીનિક્સ કે હોમા (લાંબી ચાંચ વાળા પક્ષી) પક્ષીને ઇરાનમાં માન આપવામાં આવે છે. અહીં આવા કેટલાક પક્ષીઓ પર નજર કરીયે. જે આપણે જાણવું જરૂરી પણ છે. 

બાયંગોમા-બાયંગામી બંગાળના સુપ્રસિધ્ધ પક્ષીઓ છે. તે જન્મથીજ અંધ હોય છે . તેમની આંખો ખોલવા કેટલાક ટીપાં લોહીની જરૂર પડે છે. તેનામાં જાદુઇ શક્તિ હોય છે. તે કોઇનું ભાવિ કહે છે ત્યારે અચાનક તે સોંગ ગાવા લાગે છે તેનો અર્થ એ થાય છે કે ટૂંક સમયમાં કંઇક થવાનું છે.

Gandaberunda (ગાંડા બેરૂંડા) એ બે માથાવાળું પક્ષી છે. તે લાંબી પૂંછડી ધરાવતું પૌરાણીક પક્ષી છે. તેની ચાંચમાં હાથીને પકડયો હોય એવા ચિત્રો જોવા મળે છે. મદુરાઇના પ્રાચીન સિક્કાઓમાં પણ તે ચાંચમાં સાપ પકડયો હોય એમ જોવા મળે છે. ચેન્નાકસવા મંદિરમાંં વિનાશની સાંકળનું નિરૂપણ દર્શાવાયું છે. જેેમકે હરણને અજગર ખાઇ જાય છે, અજગરનો ખાત્મો હાથી બોલાવી દે છે, હાથી પર સિંહ હુમલો કરે છે, તેને ભગવાન શિવ તેમના સરભા અવતારમાં મારી નાખે છે. ત્યાર પછી તેનો નાશ નરસિંહા કરે છે. તે ગાંડા બેરૂંડા છે. 

કથા કંઇક આવી છે. હિરણ્યક્શ્યપ નામના રાક્ષસને ભગવાન વિષ્ણુ નરસિંહ અવતારમાં મારી નાખે છે. પરંતુ લોહી ચાખ્યા પછી તે ફરી વિષ્ણુમાં પરત જવા તૈયાર નહોતા. તેણે ઉત્પાત મચાવવો શરૂ કર્યો હતો. ઇશ્વરનો દરબાર તેનાથી ડરવા લાગ્યો હતો એટલે તેમણે ભગવાન શિવને વિનંતી કરી કે તમે કંઇક કરો.

નરસિંહાને નાથવા  ભગવાને શરભા અવતાર લીધો હતો. જેમાં માણસ, સિંહ અને પક્ષી ત્રણેયનું કંબાઇન રૂપ હતું. પરંતુ નરસિંહા બે મોંઢાવાળા, લાંબા દાંત સાથેના મ્હોં વાળા , મોટી પાંખો વાળા, કાળા કલરવાળા Gandaberunda (ગાંડા બેરૂંડા)માં પરિવર્તીત થઇ ગયો હતો. તે શિવ-શરભા સાથે૧૮ દિવસ લડયોે હતો અને અંતે મોતને ભેટયો હતો. તેનામાં એટલી બધી એનર્જી હતીકે તે ધડાકા સાથે મૃત્યુ પામ્યો હતો.  

ગાંડા બેરૂંડાને  સૌ પ્રથમ વિજ્યાનાગરા સામ્રાજ્યએ ૧૫૧૦માં આવકાર્યો હતો. તેના ૫૦૦ વર્ષ પહેલાંતે વોડિયાર શાસકોના શાહી ચિન્હ તરીકે વપરાતો હતો. અચ્યૂત દેવા રેયાએ પ્રથમવાર કરંસીમાં ગાંડા બેરૂંડાનો ઉપયોગ કર્યો હતો. કર્ણાટકના અનેક મંદિરોની કલાકૃતીમાં તે જોવા મળે છે. વૈદિક સંસ્કૃતિના સમયકાળથી  હોમા બર્ડ જોવા મળતું હતું. તેની ખાસિયત જોઇને ચોંકી જવાશે. જે હવામાંજ બ્રિડિંગ કરે છે , હવામાંજ ઇંડા મુકે છે, હવામાંજ તેને સેવે છે અને ઇંડા પૃથ્વી પર પડે તે પહેલાંજ તે ફાટી જાય છે અને બચ્ચું ઉપર તરફ ઉડીને તેના મા સાથે જોડાઇ જાય છે. આ પક્ષીઓ ક્યારેય પૃથ્વીને સ્પર્શ નથી કરતા. પર્શિયન, તૂર્કિસ્તાન અને સૂફી કવિઓ તેને સ્વર્ગનું પક્ષી અને ચમત્કારીક પક્ષી તરીકે નવાજતા હતા.   

સિંધુ રિવર પર રહેતા લોકોની ઓળખ  હિંદુ તરીકે થતી હતી . ગ્રીકમાં સિક્સ ને હેક્સા કહેવાતું હતું. આમ સોમા પક્ષીને હોમા બર્ડ તરીકે ઓળખાતું હતું.  પર્શિયન પૌરાણિક શાસ્ત્રોમાં એવી માન્યતાનો ઉલ્લેખ છે કે જો હુમાં બર્ડ કોઇના માથા પરથી ઉડે અને તેનો પડછાયો તેના પર પડે તો તે વ્યક્તિ બહુ મોટો અને શક્તિશાળી રાજા બને છે. એટલેતો મૈસુરના ટિપુ સુલતાને તેમના મગુટમાંના છત્ર પર સોનામાં મઢેલા છત્ર પર હુમાં પક્ષીનું ચિત્ર રાખ્યું હતું.

આપણે પૌરાણિક શાસ્ત્રોમાં જેને હંસ કહીએ છીએ તે સ્વચ્છતા અને સંપૂર્ર્ણ સુંદરતાનું પ્રતિક છે. હંસને આર્યન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે હિમાલયના માનસરોવરમાં રહે છે. તેમને વરસાદ પસંદ નથી હોતો. એટલે જ્યારે તેમની ગુફામાં વરસાદ પડે છે ત્યારે તે બહાર આવે છે અને જ્યારે બહાર વરસાદ પડે છે ત્યારે તે પાછા ફરે છે. વાલ્મિકી રામાયણ અનુસાર તે કશ્યપ અને તામરાની દિકરી ધૃતરાષ્ટ્રીના સંતાનો હતા. 

આ હંસ પહેલાં બ્લેક એન્ડ વ્હાઇટ હતા પરંતુ પછી વરૂણના આશિર્વાદથી બંને સફેદ-વ્હાઇટ થઇ ગયા હતા. જ્યારે રાવણથી બચવા વરૂણ ગુફામાં સંતાયો હતો ત્યારે તે હંસાના સંપર્કમાં આવ્યો હતો અને તેમને આશિર્વાદ આપ્યા હતા. રાવણના હુમલાથી બચવા ભગવાને કેટલાક પક્ષીઓના બેઝિક ફોર્મમાં ફેરફાર કર્યા હતા. હંસની ખાસિયત એ હતી કે તે દૂધમાંથી પાણી છૂટા પાડી શકતા હતા. તે મોતી ખાતા હતા. નળ અને દમયંતિની કથામાં પણ  હંસનો મહત્વનો ફાળો રહેલો છે. હિન્દુ મહા કાવ્ય મહાભારતમાં વિવિધ પ્રકારના પક્ષીઓ અને પ્રાણીઓનો ઉલ્લેખ છે. નવગુંજારના નવ વિવિધ પક્ષીઓ અને પ્રાણીઓના બનેલા છે. તેમનું માથું રૂસ્ટરનું, તે ત્રણ પગે ઉભા રહી શકે  છે જે હાથી, વાઘ અને હરણના પગ ધરાવે છે અને તેનો એક હાથ મનુષ્યનો છે તેમાં તે કમળ રાખે છે. તેનું ગળું મોરનું પીઠ બળદની અને છાતી  સિંહનું અને પૂંછડી સાપની જોવા મળતી હતી. એક વાર અર્જુન પર્વત પર ધ્યાન ધરતો હતો ત્યારે અચાનક નવગુજાક તેની સામે આવી ગયો હતો. તે ડરી ગયો હતો.તરત તેણે તેને મારવા બાણ ચઢાવ્યું હતું પરંતુ તરત તેને ખ્યાલ આવી ગયો હતો કે  તે વિષ્ણુનું રૂપ છે એટલે તરતજ તેને પગે લાગ્યો હતો. 

ચકોરા પક્ષી અમર મનાય છે તે મુનબીમ પર રહે છે. જ્યારે ચંન્દ્ર પૂર્ણ પણે ખીલેલો હોય છે ત્યારે ચકોરા મુન તરફ જોઇને સતત રડીને પોતાના મૂન તરફનો પ્રેમ બતાવે છે. મહાભારતમાં કથા છે કે જ્યારે કુચેલા ( દક્ષિણના રાજ્યમાં જેને કુચેલા કહે છે તે આપણે ત્યાં સુદામા તરીકે ઓળખાય છે) ભગવાન કૃષ્ણને મળવા જાય છેે ત્યારે તે રસ્તામાં ચકોરાને જુવે છે. તે ઘેર પાછા ફરે છે ત્યારે તે પૈસાદાર થઇ ગયા હોય છે. ચકોરા નસીબ બદલી નાખે છે. ભારતમાં ચકોરા અને ચંન્દ્ર પરની ્અનેક લવ સ્ટોરી જોવા મળે છે. 

ચાતક પક્ષીને પૌરાણીક કથામાં કૂકો તરીકે ઓળખ આપી છે. તે પૃથ્વી પરનું પાણી પીવા તૈયાર નથી એટલે આકાશમાંથી પડતા પાણીને સીધુંજ પોતાના મોંમા લઇને પીવે છે. તેનો અવાજ તીણો હોય છે. 

હિન્દુ મહાકાવ્ય મહાભારતમાં વિવિધ પ્રકારના પક્ષીઓ અને પ્રાણીઓનો ઉલ્લેખ છે. નવગુંજારના નવ વિવિધ પક્ષીઓ અને પ્રાણીઓના બનેલા છે. તેમનું માથું રૂસ્ટરનું, તે ત્રણ પગે ઉભા રહી શકે છે જે હાથી, વાઘ અને હરણના પગ ધરાવે છે અને તેનો એેક હાથ  મનુષ્યનો છે તેમાં તે કમળ રાખે છે. તેનું ગળું મોરનું પીઠ બળદની અને છાતી  સિંહનું અને પૂંછડી સાપની જોવા મળતી હતી.આ પક્ષીઓની વાતો તમારે તમારા સંતાનોને કહેવી જોઇએ.


Tags :