For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બકરી ઇદ પર થતી કતલ ચિંતાજનક

Updated: May 17th, 2021

Article Content Image

- સંવેદના : મેનકા ગાંધી

- બલિદાન આપવા બાબતનો વિરોધ કરવા હવે સાચા મુસ્લિમોને જાહેરમાં આવવાની જરૂર છે..

- કુરાનમાં ક્યાંય લખ્યું નથી કે બકરા કાપીને બલિદાન આપો જ્યારે ઇદ આવે છે ત્યારે ઇસ્લામ ધર્મ માટેની તમામ સંસ્કૃતિની માન્યતા પર પાણી ફરી વળે છે અને ધર્મ જંગલીયત ભરી હિંસાને વરેલો છે એવું જણાય છે. પૃથ્વી પરના જે જીવ તેમની સાથે સંવાદ કરી શકતા નથી તેમની હિંસા થાય છે  ઇસ્લામ એ વિશ્વનો સૌથી મોટો ધર્મ છે. અન્ય ધર્મની જેમ તેમાં પણ એક પ્રકારની જટિલતાનો પડછાયો જોવા મળે છે. તેમ છતાં તેના પર લઘુમતી વસ્તીનું લેબલ લાગેલું છે

- ઇસ્લામ એ કોઇ પ્રાચીન સંસ્કૃતિ કે આધ્યાત્મિકતા નથી. તે ઇસ્લામની સંસ્કૃતિ છે. જેણે માણસના જ્ઞાાનમાં ધણો વધારો કર્યો છે. હવે તો તે સંસ્કૃતિનો પર્યાય બની ગયો છે. ભારતમાંના મુસ્લિમોએ ધર્મ સાથે સંકળાયેલી કળા, હસ્ત કળા અને ભાષાને જીવંત રાખી છે. સંવાદ માટે ઉર્દુ ભાષા નમ્ર અને સંસ્કારી માધ્યમ સાબિત થયું છે. પરંતુ જ્યારે ઇદ આવે છે ત્યારે ઇસ્લામ ધર્મ માટેની તમામ સંસ્કૃતિની માન્યતા પર પાણી ફરી વળે છે અને ધર્મ જંગલીયત ભરી હિંસાને વરેલો છે એવું જણાય છે. પૃથ્વી પરના જે જીવ તેમની સાથે સંવાદ કરી શકતા નથી તેમની હિંસા થાય છે.

ઇસ્લામ એ વિશ્વનો સૌથી મોટો ધર્મ છે. અન્ય ધર્મની જેમ તેમાં પણ એક પ્રકારની જટિલતાનો પડછાયો જોવા મળે છે. તેમ છતાં તેના પર લઘુમતી વસ્તીનું લેબલ વાગેલું છે. તેમના માટે લોકોનો ઓપિનીયન પછાત અને આક્રમક હોવાનો છે. વિશ્વના લોકો ઓપિનીયન બદલે તેનાથી કશું નહીં થાય પણ મુસ્લિમોએ પોતેજ તે માટે પ્રયાસ કરવો પડશે. એક બીજાને માન આપવું અને સહકાર ભર્યા વલણથીજ તે શક્ય બની શકે છે. મુસ્લિમ દેશો પાસે ઓઇલ છે માટે દરેક તેમને માન આપે છે પરંતુ પછી શું તે વિશે પણ વિચારવા જેવું છે. ઇસ્લામનું ધાર્મિક નેતૃત્વ કરનારાઓને વિશ્વના લોકો ધ્યાન દોરવા માંગે છે કે ધાર્મિક દિવસની ઉજવણી માટે કરાતી પ્રાણીઓની કતલ એ ચિંતાનો વિષય છે. પ્રાણીઓનું બલિદાન એ ઇસ્લામનો આધાર સ્તંભ નથી. તે હજ યાત્રા દરમ્યાન પણ ફરજીયાત નથી. બલિદાન માટે પ્રાણીઓની કતલ એ ઇદના દિવસ સાથે જોડાયેલો છે.

બકરી ઇદ પર થતા સંહારથી મને બહુ દુખ થાય છે. ઇસ્લામ મારા માટે એ માનવું  બીજા લોકોને પણ આવું દુખ થતું હશે. ઇદના દિવસે જે સંહાર થાય છે તે આઘાત જનક  હોય છે. 

અહીં એ જોઇએ કે ઇસ્લામના સ્કોલર શહીદ અલી મુત્તક્કી શું કહે છે.

૧...તે કહે છે કે કુરાનમાં લખેલી વાતો માનવ જાત માટે કોઇ બલ્યૂ પ્રિન્ટ સમાન મોકલેલો સંદેશો નથી. યુટોપિયન વર્લ્ડમાં તેનું અમલીકરણ આશ્ચર્ય જનક રીતે થયું છે. કુરાનની કેટલીક આયાતો રૂપાત્મક અર્થ હોવાનો ઉલ્લેખ કરે છે.

૨...પ્રી-ઇસ્લામિક કાળમાં આરબ લોકો તેમના ભગવાનને વિવિધ ભોગ ચઢાવતા હતા. એવીજ રીતે જ્યૂસ લોકો પણ ભોગ ધરાવતા હતા. ક્રિષ્ચન કોમ્ઘુનિટી પણ ઘેટાના બચ્ચાંને બલિદાન સાથે જોડતા હતા. આમ એવું સાબિત કરાતું હતું કે બલિદાન અગાઉ પણ અપાતા હતા પરંતુ પોતાના પાપ બીજાના લોહીથી કેવી રીતે ધોઇ શકાય?

૩...ભગવાનને ખુશ કરવા બલિદાન આપવાની પ્રથા ગણાઇ હતી પરંતુ તેમાં અલ્લાહમાં સમાઇ જવાની વાત પણ હતી. જોકે બીજાનું લોહી રેડવાની વાત કુરાનમાં ક્યાંય નથી. તેમાં પોતાના ઇગોનું બલિદાન આપવું એવો અર્થ હોવાનું મનાય છે.  અલ્લાહ લોહીના બલિદાનથી ખુશ થાય છે કેમ કે તેનો પણ ઉલ્લેખ જોવા મળતો નથી. કુરાન બલિદાન બાબતે કોઇ ઉલ્લેખ કરતું નથી.

જે ઇબ્રાહમનો ઉલ્લેખ છે તે બલિદાન સાથે સંકળાયેલો છે. જેને મહા બલિદાન કહેવાયું છે પરંતુ કુરાનમાં ક્યાંય એમ નથી કહેવાયું કે ઇબ્રાહમ તેના પુત્રનું બલિદાન આપે. કહે છે કે ઇબ્રાહમને સપનું આવ્યું હતું કે તેના પુત્રનું તે બલિદાન આપે. જ્યારે તે મોટો થાય છે ત્યારે તેના પિતા ઇબ્રાહીમ તેના બલિદાનની વાત કરે છે. ત્યારે પુત્ર કહે છે કે તેમને જે આદેશ મળ્યો છે તે પ્રમાણે કરો. ઇસ્લામ જો અલ્લાહની એવી ઇચ્છા હોય તો મને શું વાંધો હોઇ શકે. જ્યારે બંનેએ અલ્લાહની ઇચ્છા પ્રમાણે આગળ વધવાનું નક્કી કર્યું ત્યારે તેનું માથું બલિદાન આપવા નીચું કર્યું હતું. તે સ્થિતિને ઓહ ઇબ્રાહમથી ઓળખાય છે. તે ક્ષણીક બલિદાન કહેવાય છે. 

અહીં ઉલ્લેખનીય છેકે કુરાનમાં ક્યાંય એમ નથી કહ્યું કે ઇબ્રાહમ તેના પુત્રનું બલિદાન આપે. ટૂંકમાં ઇબ્રાહમને સપનું આવ્યું કે પોતાના પુત્રનું બલિદાન આપી રહ્યો છે પરંતુ કુરાન નથી કહેતું કે તે સપનું કુરાનનું છે.

 કુરાન ક્યારેય કોઇ પિતાને એમ કહે ખરૂં કે તું તારા પુત્રનું બલિદાન આપ. આવી વાતો પાયા વિનાની છે. અહીં જ્યારે પ્રાણીઓના બલિદાન આપવાની વાત આવે ત્યારે તે ક્યા આધારે આપવામાં આવે છે તે પણ જાણવું જરૂરી છે. ધાર્મિક બલિદાન-કતલ મોટા પાયે થાય છે. કોઇનું લોહી બતાવીને  અલ્લાહને ખુશ ના કરી શકાય. કેટલાક કહે છે કે અલ્લાહનો આભાર માનવા માટે બલિદાન અપાય છે. પરંતુ આવી કોઇ વાતનો ઉલ્લેખ કુરાનમાં જોવા મળતો નથી.

બલિદાન વિશે કુરાન કશું કહેતું નથી પરંતુ અલ્લાહને ખુશ કરવાની પ્રથા ચાલી આવે છે જેમાં માણસ પોતાની કોઇ પ્રિય વસ્તુ અલ્લાહને આપે છે અને આભાર માનવા માટે શું વપરાયું  તે પોતાના સમાજના લોકોને સાથે રાખીને તે કામ કરે છે. આ પ્રથા એ સમયે શરૂ થઇ કે જ્યારે માનવજાત સાથે પ્રેમીઓ રહેતા હતા અને તેમના જીવન સાથે વણાઇ જતા હતા. જે તેમના પ્રિય બની જતા હતા.

આ પ્રિય પ્રાણીનું પોતાની કોમ્યુનિટીના લોકોને સાથે રાખીને  બલિદાન અપાતું હતું. પરંતુ તેનો અર્થ એવો નથી કે કાયમ તે બલિદાનને પરંપરા બનાવી દેવી. દરેક મુસ્લીમના હૃદયમાં અલ્લાહ એક જ છે. પરંતુ બલિદાન આપેલા પ્રાણીનું મીટ ખાવું તેવું કુરાનમાં ક્યાંય લખેલું નથી તે સાથે સ્કોલરો પણ સંમત થાય છે.

બલિદાન આપવા બાબતનો વિરોધ કરવા હવે સાચા મુસ્લિમોેને જાહેરમાં આવવાની જરૂર છે. પછી તે શિયા હોય, સુન્ની હોય સૂફી હોય કે અન્ય કોઇ હોય પણ દરેકે બલિદાન નામે થતી મૂંગા જીવોની કતલ અટકાવવા આગળ આવવું પડશે.

Gujarat