Get The App

ડોગ સાથે જીવો અને જીવવા દો વાળો કોન્સેપ્ટ અપનાવો

- પ્રાણીઓ ખુશી લાવે છે. એનિમલ શબ્દ એનિમા પરથી આવ્યો છે. એનિમા એટલેે આત્મા...

Updated: Dec 21st, 2020

GS TEAM


Google News
Google News
ડોગ સાથે જીવો અને જીવવા દો વાળો કોન્સેપ્ટ અપનાવો 1 - image


- વિશ્વ આરોગ્ય સંસ્થાએ કરેલા અભ્યાસ અનુસાર શહેરી પ્રાણીઓની સંખ્યા નિયંત્રણમાં રાખવી હોય તો તેમને મારી નાખવાના બદલે સ્ટરીલાઇઝેશન કે વેક્સિનેશનનો ઉપયોગ કરવો જોઇએ

અંગ્રેજોના શાસન કાળમાં કેટલીક નામાંકીત જગ્યાઓ પર ડોગ્સ અને ઇન્ડિયનોના પ્રવેશ પર પ્રતિબંધના પાટીયાં ઝૂલતા હતા. ત્યારે કૂતરાઓને સફાઇના એક ભાગ રૂપે મારી નખાતા હતા. આઝાદી  પહેલાં અને પછી પણ કોઇ કૂતરાઓની સંખ્યા ઘટાડી શક્યું નથી. ૧૯૮૦માં દિલ્હીમાં આંઠ લાખ કૂતરાઓ હતા. શહેરને કૂતરાઓથી મુક્ત કરવા માટે દર મહીને હજારો કૂતરાઓને મારી નખાય છે. ૧૯૮૭માં દિલ્હી કોર્પોરેશને કૂતરાઓનો સર્વે કરાયો ત્યારે ખબર પડીકે હજુ દિલ્હીમાં આંઠ લાખ કૂતરાઓ છે. સર્વેમાં એમ જણાયું હતું કે જેમ જેમ કૂતરા મારવાની સંખ્યા વધી એમ એમ કૂતરા કરડવાની સંખ્યા પણ વધી હતી.

વિકસીત દેશોમાં કૂતરાઓની સંખ્યા વધવા પાછળનું કારણ એ છે કે ત્યાં તેમને એંઠું ખાવાનું મળી રહે છે. એંઠું નાખવાની સિસ્ટમ વૈજ્ઞાાનિક રીતે અને માનવીય રીતે થવી જોઇએ નહીંતર ૧૯૯૪માં સુરતમાં થયું હતું એવું થાય.૧૯૯૪માં જ્યારે શહેરમાંથી કૂતરાઓનો સફાયો કરાયો ત્યારે તેમનું સ્થાન ઉંદરોએ લઇ લીધું હતું. જેના કારણે પ્લેગનો ડર ઉભો  થયો હતો. મને યાદ છે કે ત્યારે દેશભરમાં ડરનું વાતાવરણ ઉભું થયું હતું. 

૧૯૯૦ના દાયકામાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ કરેલા અભ્યાસ અનુસાર શહેરી પ્રાણીઓની સંખ્યા નિયંત્રણમાં રાખવી હોય તો તેમની મારી નાખવાના બદલે સ્ટરીલાઇઝેશન કે વેક્સિનેશનનો ઉપયોગ કરવો જોઇએ. આ અભ્યાસને ટાંકીને દિલ્હીની નીચલી કોર્ટે કૂતરાને મારી નાંખવાના બદલે વેક્સિન આપવા જણાવ્યું હતું. 

૨૦૦૧માં કેન્દ્રએ  એનિમલ બર્થ કન્ટ્રોલ માટેના કાયદા બહાર પાડયા હતા. જ્યારે સ્થાનિક નગરપાલિકાઓ  સ્ટરીલાઇઝેશનના પ્રોગ્રામ કરે ત્યારે તેમને આર્થિક સહાય આપવાનો પણ તેમાં સમાવેશ કરાયો હતો. આવી ડ્રાઇવ પર નજર રાખવા એનિમલ વેલફેર બોર્ડને સૂચના અપાઇ હતી. 

પરંતુ કમનસીબે સ્ટરીલાઇઝેશન કરનાર કોઇને પણ સરકારે કોઇ સહાય ના આપી. કેટલીક મ્યુનિસિપલ કોર્પોરેશનોએેે પોતાના ખર્ચે સફળતા પૂર્વક સ્ટરીલાઇઝેશન પાર પાડયું હતું. ખાસ કરીને દિલ્હીની વાત કરીએ તો ત્યાં કૂતરાની વસ્તી એક લાખ થઇ ગઇ છે.  તેના કારણે ડોગ બાઇટની સંખ્યા પણ  ૨૦૦૦ના વર્ષમાં વર્ષે ૭૨,૦૦૦ પરથી ૧૨,૦૦૦ પર દિલ્હીમાં એન્ટી રેબીસ વેક્સીન (હડકવા વિરોધી રસી) આપનાર એજંસીઓ કહે છે કે ડોગ બાઇટના બનાવોમાં મોટા ભાગે  પાળેલા  વિદેશી કૂતરાઓ કરડતા હોય છે. આવા ડોગ એમ માનતા હોય છે કે પોતાના માલિકનું રક્ષણ કરવા કરડવું  જોઇએ. બીજી તરફ ગાજીયાબાદ, ફરીદાબાદ અને નોઇડામાં એનિમલ બર્થ કંટ્રોલ બાબતનો કોઇ પ્રોગ્રામ નથી ચાલતો. જ્યારે ગુરગાંવમાં આવા પ્રોગ્રામ અનિયમિત ચાલે છે. આવી અનિયમિતતાનો કોઇ અર્થ નથી તેનાથી પૈસા વેડફાય છે. 

મૂંઝવણ એ વાતની છે કે ડોગ સ્ટરીલાઇઝન બાબતે ક્યું મંત્રાલય લખે? હેલ્થનો પ્રોગ્રામ હોય તો આરોગ્ય મંત્રાલય લખે શહેરોનો કોઇ પ્રોગ્રામ હોય તો અર્બન ડેવલોપમેન્ટ મંત્રાલય લખે, એનિમલ હસબંડરી વાળા લખે કે પર્યાવરણ મંત્રાલય વાળા લખે તે અંગે મૂંઝવણ ચાલે છે. 

છઉમ્ૈં હવે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ હસ્તક છે. એનિમલ હસબંડરી અને ડેરી માટેની આર્થિક સહાયમાં કાપ મુકાઇ રહ્યો છે.  છ વર્ષ પહેલાં સમગ્ર ભારત માટે એક  કરોડ રૂપિયાની ફાળવણી થતી હતી આજે તે ઝીરો છે. 

૨૦૦૯ના વર્ષથી કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને મહારાષ્ટ્રની કોર્ટો ડોગનો સફાયો કરવા તેમને મારી નાખવાનું સૂચવતી હતી પરંતુ સુપ્રિમ કોર્ટે આવા આક્રમક પગલાં લેવા પર પ્રતિબંધ મુક્યો હતો. 

ન્યાયતંત્રએ જ્યારે એ નોંધ્યું કે ડોગ સ્ટરીલાઇઝેશન બાબતે સરકાર પાછી પાની કરી રહી છે ત્યારે સુપ્રિમ કોર્ટે પોતે ૨૦૧૬માં દરેક રાજ્ય પ્રમાણેનો પ્લાન નક્કી કર્યો હતો અને તેના અમલીકરણ માટે જણાવ્યું હતું. એેક દાયકા પહેલાંની વાત કરીએ તો દિલ્હીની શેરીઓ રોગીષ્ઠ ડોગથી છલકાતી જોવા મળતી હતી. જ્યારથી દિલ્હી કોર્પોરેશને સ્ટરીલાઇઝેશન શરૂ કર્યું ત્યારથી ડોગ બાઇટની સંખ્યા ઘટવા લાગી હતી. શેરીના કૂતરાઓની સંભાળ રાખતા લોકોએ ખસીકરણ માટે મદદ કરી હતી. પરિણામ એ આવ્યું કે ડોગ વધુ ફ્રેન્ડલી બનવા લાગ્યા. એટલેજ સ્ટરીલાઇઝનની ઝુંબેશ ચલાવનારાઓનેા આભાર માનવો જોઇએ. 

આખો પ્રોગ્રામ રાજ્યોમાંની  એનિમલ બર્થ કંટ્રોલ કમિટી મારફતે ચલાવવાનો હતો. કમનસીબે આવી કમિટી મળતી નહોતી અને તેને કોઇ બજેટ પણ ફાળવાયું નહોતું. ઉત્તરાખંડની સરકારે એનિમલ બર્થ કંટ્રોલ કેમ્પસ ઉભા કરીને તેને હોસ્પિટલની પૂરતી સવલતો આપીને અન્ય રાજ્યોને ઉદાહરણ પુરું પાડયું હતું. બે વર્ષ બાદ તેની અસર દેખાઇ હતી અને કૂતરાની સંખ્યા ધટવા લાગી હતી. ઉત્તર પ્રદેશમાં પણ લખનૌ ખાતે આવોજ પ્રોગ્રામ શરૂ કરાઇ રહ્યો છે. 

કેન્દ્ર સરકારે લાયસન્સ વિના પ્રાણીઓ વેચતા લોકો તેમજ બ્રીડર્સ પર પ્રતિબંધ મુકી દીધો છે. જો કે તેનું કોઇ અમલીકરણ થતું નથી. પરંતુ સમસ્યા નિવારવા માટે તે લાંબા ગાળે ઉપયોગી બને એવું પગલું છે. ભારતમાં ડોગને એડોપ્ટ કરવાનો આઇડયા પણ ઉપયોગી બની શકે છે. પર્યાવરણ માટે પણ તે જરૂરી છે, ડોગ ફ્રેન્ડલી હોઇ તેમજ પ્રોટેક્શન માટે પણ જરૂરી હોય તેને એડોપ્ટ કરી શકાય. જો ૧૦૦ લોકોમાંથી માત્ર બે ડોગ એડોપ્ટ કરવાના શરૂ કરે તો રોડ પર કોઇ કૂતરૂં રખડતું જોવા ના મળે. આમ થાય તોજ આપણી સાથે રહેતા પ્રાણીઓ ફ્રેન્ડલી અને તંદુરસ્ત રહી શકે.

જે લોકો ડોગ માટે ફરીયાદ કરે છે તે પૈકી મોટા ભાગના લોકોના ઘેર ફોરેન નસલના ડોગ હોય છે. આવા કેટલાક ડોગ ગેરકાયદે લાવેલા હોય છે. તેમને ફોરેન ડોગ કરડયા હોય છે પણ તેની દાઝ શેરીના કૂતરા પર ઉતારતા હોય છે. હડકાયા કૂતરાં પગ પર વધુ કરડતા હોય છે.  કૂમી કપૂરે એક વાર તેમના લેખમાં તાલિમ નહીં આપેલા પાળેલા કૂતરા કરડે છે એમ લખીને ઉમેર્યું હતું કે આવા કૂતરાના માલિકોને સજા થવી જોઇએ. 

સામાન્ય રીતે કૂતરાં કારણ વિના કોઇને કરડતાં નથી. દરેક કોલોની અને શેરીઓમાં કુતરાં સાથે જીવો અને જીવવા દો વાળો કોન્સેપ્ટ અપનાવવો જોઇએ. કૂતરાંઓને ખવડાવતા લોકોનેે કેટલાક વગદાર લોકો પરેશાન કરતા હોય છે. આવા કૂતરા પ્રેમીઓ મારી પાસે ફરિયાદ લઇને આવે છે. વર્તમાન સંસદમાં હું સૌથી વધુ આંઠવાર ચૂંટાઇને આવેલી સંસદસભ્ય છું. હું જે પણ કરું છું તે સાયન્સના અભ્યાસ આધારીત હોય છે. 

હું નથી ઇચ્છતી કે ફરી સુરત જેવું થાય. પ્રાણીઓ સામે હિંસક અત્યાચારના થાય એમ પણ હું ઇચ્છું છું. કેમકે ત્યારપછીનું સ્ટેપ માનવ જાત સામે હિંસા શરૂ થઇ શકે છે. લોકડાઉન દરમ્યાન હજારો સેવાભાવીઓએ પ્રાણીઓની સેવા કરી છે. પ્રાણીઓ ખુશી લાવે છે. એનિમલ શબ્દ એનિમા પરથી આવ્યો છે. એનિમા એટલે આત્મા. આપણે જેમ વિચારીએ છીએ અને જેમ સપનાં જોઇએ છીએ એમ પ્રાણીઓ પણ કરે છે. આપણી આજુ બાજુની દુનિયા તરફ દયાળુ બનીએ. એમ કરવાથી ભારતને લાભ થશે...

Tags :