બ્રેકઅપ પછી જીંદગી પાટે ચઢાવવાની ટિપ્સ
બ્રેકઅપ અને છૂટાછેડા એક એવી ઘટના છે, જે વ્યક્તિને માનસિક રીતે ભાંગી નાખે છે. જે આ પરિસ્થિતિમાંથી પસાર થાય છે, તેમના માટેનો આ સમય જીવનનો સૌથી ખરાબ સમય હોય તેવી તેમને લાગણી થતી હોય છે. તેમનું સઘળું જ લૂંટાઇ ગયું છે અને હવે તેમની પાસે કાંઇ રહ્યું નથી, તેવી અનુભૂતિ પણ થતી હોય છે. બસ, વારંવાર તેણે જેને અખૂટ પ્રેમ કર્યો અને એ જ વ્યક્તિથી તેના જીવનનો હિસ્સો નથી રહી તે જ વિચાર તેને માનસિક રીતે પંગુ કરી નાખે છે, અને તે દરેક બાબતે નકારાત્મક થઇ જાય છે.
બ્રેકઅપ થનાર વ્યક્તિના પેરન્ટસ, નજીકના સંબંધીઓ અને મિત્રોએ પણ એ વ્યક્તિને પૂરતો સહકાર આપવો જરૂરી છે. તારા જ કારણે આમ થયું છે, કે તું સંબંધ સાચવી ન શક્યા જેવા મહેણાં-ટોણાં મારવાની બદલે એક વખત બ્રેકઅપ થનાર વ્યક્તિને ફરી ઊભા થવા માટે ટેકો તો તેની નજીકના લોકોએ જ આપવો પડશે.
એક સાચી ઘટના પર નજર કરીએ. અમારા પાડોસમા ંરહેતી યુવતીલગ્નના બે મહિનામાં જ પતિના ત્રાસથી કંટાળીગઇ. પતિએ તો પત્નીને કહી દીધુ ંકે, સમાજને ધ્યાનમાં રાખીને તેણે તે યુવતી સાથે લગ્ન કર્યા હતા,તેને પોતાને લગ્ન કરવામાં કોઇ રસ જ નહોતો. આ પછી યુવતીને સાસરિયામાંથી રસ ઊડી ગયો. તે પતિના પરિવાર સાથે તાળમેળ કરી શકી નહીં. યુવતી અનાથ હતી, પરંતુ ઊચ્ચ કંપનીમાં સારા પગારે નોકરી કરતીહતી. તેથી તેને પોતાના જીવન નિર્વાહની સમસ્યા નહોતી. તેનો પોતાનો ફ્લેટ વગેરે સર્વ વ્યવસ્થિત હતું. તે કોઇ પણ હિસાબે લાચાર નહોતી. હા, તેને પરિવાર નહોતો. તેથી તે એક સારા પરિવારમાં ગઇ અને ભણેલ-ગણેલ સારું કમાતા પતિને મેળવીને ખુશ થઇ ગઇ હતી. પરંતુ પતિનું વર્તન નવોઢા પત્ની સાથે હોય તેવું નહોતું. તે પોતાની પત્નીથી દૂર રહેતો હતો. અને સારી રીતે વાતચીત પણ નહોતો કરતો. યુવતીએ પોતાના ખાસ સંબંધીઓને આ વાત કરી. તેના નજીકના ગણાતા સંબંધીઓએ તેને પછીથી સારું થઇ જશે તેમ કહી નિભાવી લેવાની સલાહ આપતા હતા. પરંતુ દિવસે દિવસે વાત બગડતી જતી હતી. યુવતી આટલું બધુ સહન કરવા માનસિક રીતે તૈયાર નહોતી. ત્યારે તેની નજીકની એક વ્યક્તિએ તેને સહારો,હિંંમત અને સાથઆપીને પાછી પિયરે બોલાવી દીધી. આ યુવતી પાછી આવી ત્યારે તેને જોઇને લોકો અચંબામાં પડી ગયા. સુખી ઘરની વહુ કહેવાતી યુવતીનુ ંબે મહિનામાં ખાસ્સું વજન ઊતરી ગયું હતું. ચહેરાપરનવોઢા જેવો કોઇ લુક નહોતો. પતંગિયા જેવી હસતી-રમતી યુવતી સાવ બિચારી બની ગઇ હતી. તેના સંબંધીઓ તેને સાથ આપનારી મહિલાથી પણ થોડા નારાજ થયા કે છોકરી પાછી આવે તો સમાજમાં નાક કપાઇ જાય. તો તે સાથ આપનારીએ કહી દીધું કે લોકો તો પોતાની દીકરીને વૈશ્યાવાડેથી પણ પાછી લઇ આવે છે, આ તો આપણી નાતની જ વ્યક્તિએ તેની સાથે દગો કર્યો છો, તો નિભાવી લેવાનું ?આટલી લાચારી શા માટે ? તેના પતિને એક પત્નીની જરૂર જ નથી તો પછી શા માટે તે સમયની રાહ જોવી જોઇએ ? તમે તેને સાથ નહીં આપો તો હું તેની સાથે જ છું તેવો આડકતરો ઇશારો કરીને તે યુવતીને ફરી પહેલા જેવી હસતી-રમતી કરી દીધી.જોકે એ યુવતીના મનમાંથી તેની સાથે દગો થયો છે તે લાંબા સમય પછી પણ નીકળતું નથી. પરંતુ તે પોતાના રોજિંદા કાર્યમાં સામાન્ય થઇ ગઇ છે.
કહેવાનું તાત્પર્ય એટલું જ કે,પરિવારની નજીકની વ્યક્તિએ દરેક સંજોગોમાં પોતાનો દીકરો હોયકે દીકરી તેને સાથ આપવો જોઇએ. તેની ખરાબ સ્થિતિમાં તેને એકલા છોડી દેવું સલાહભરેલું નથી. જ્યારે બ્રેકઅપ થનાર વ્યક્તિને નજીકના લોકો છોડી દે છે, ત્યારે જ આત્મહત્યા જેવા કિસ્સાઓ બની જતા હોય છે. બ્રેકઅપ થાય એટલે , દુ:ખ થાય તે વાસ્તવિકતાને નકારી શકાય નહીં. પરંતુ પડયા પછી ઊભા થઇ જવાની હિંમત કરવી જરૂરી છે. બ્રેકઅપ અને છૂટાછેડા પછી પણ જિંદગી તમારી જ છે. તેને ફરી નવા રંગોથી ભરી શકાય છે. ડિપ્રેશનની આ પળોમાંથી નીકળીને ફરી તાજગીસભર જીવન જીવનના એ વ્યક્તિએ પોતે જ પ્રયાસ કરવા જોઇએ.
સ્વયં પર ધ્યાન આપવું
પોતાના પર ધ્યાન આપવાનું શરૂ કરવું. હૃદયભંગ થયા પછી લોકો ખાવા-પીવાનું છોડી દેવાથી લઇને પોતાના લુક પ્રત્યે પણ લાપરવાહ બની જતા હોય છે. જે વધુ ડ્રિપેશનમાં નાખી શકે છે. તેમજ આવું વર્તન આત્મવિશ્વાસને ભાંગવા માટે પૂરતું છે. પ્રેમભંગ અને છૂટાછેડાની સ્થિતિમાંથી બહાર આવવા માટે સૌથી વધુ મદદ પોતાએ પોતાને જ કરવી પડે છે. આ માટે પોતાને વધુ પ્રેમ કરવો જોઇએ અને ધ્યાન આપવું જોઇએ. આ તેની જિંદગીમાં ફરી ખુશીઓ લાવવા માટેનું પ્રથમ સોપાન છે.
કારકિર્દી
પોતાની સાથેસાથે કારકિર્દી પ્રત્યે વધુ ગંભીર થવું જરૂરી છે. કામ વ્યક્તિના મગજના નકારાત્મક વિચારોને આવવા નથી દેતો. પ્રેમમાં નિષ્ફળ જવાથી નિરાશા આવે તે સ્વાભાવિક છે, પરંતુ તેનો મતલબ એ નથી કે કારકિર્દી પ્રત્યે લાપરવાહ બની જવું. કામ પ્રત્યે વધુ ગંભીર બનવું અને જીવનમાં કારકિર્દીને જ લક્ષ્ય બનાવવું. આ પોઝિટિવિટી જ વ્યક્તિને નેગેટિવ થોટ્સ સામે લડવા માટે મદદ કરે છે.
શોખ પૂરા કરો
ઘણી વખત એવું બનતું હોય છે કે, વ્યક્તિ રિલેશિનસિફમાં હોય ત્યારે પોતાના શોખ અથવા તો હોબી પ્રત્યે ધ્યાન નથી આપી શકતો. પરંતુ પાર્ટનરથી છૂટા થયા પછી ડિપ્રેશનમાં સરી જવાની બદલે પોતાની હોબી ફરી શરૂ કરી દઇને પોતાને વ્યસ્ત કરી દેવાથી અન્ય નકારાત્મક વિચારો મગજમાં આવી શકતા નથી.
નવી નવી ચીજો શીખવાના પ્રયાસ
જીવનના નવા અધ્યાયને શરૂ કરવા માટે નવી ચીજો શીખવાના પ્રયાસ કરવા જોઇએ. ઉદાહરણ તરીકે જોઇએ તો, કુકિંગની શોખીન વ્યક્તિએ નવી નવી વિવિધ વાનગીઓ પર હાથ અજમાવવા. આ ઉપરાંત સોલો ટ્રિપ, એડવેન્ચર ટ્રિપને પણ સામેલ કરી શકાય.
પ્રેમથી ભાગવું નહીં
પ્રેમમાં નિષ્ફળ થયાનો મતલબ એ નથી કે પ્રેમ પરથી વિશ્વાસ જ ગુમાવી દેવો. જિંદગીમાં આવેલી વ્યક્તિ તે તમારા યોગ્ય નહોતી તેમ દ્રઢ પણે માની લઇને અન્ય કોઇ મિ. રાઇટ કે મિસ રાઇટ ચોક્કસ ફરી મળશે તેવો આત્મવિશ્વાસ રાખવો.
મદદરૂપ લોકો સાથે વધુ સમય પસાર કરો
એવા લોકોની સાથેવધુ સમય પસાર કરો જેના વિચારો સકારાત્મક હોયઅને તેમને ડિપ્રેશનમાંથી બહાર કાઢવા મદદરૂપ થતા હોય. જેને તમારા પર વધ ુપડતી લાગણી અને સકારાત્મક વિચાર ધરાવતી વ્યક્તિ સાથે વધુ નજીક રહેવું. આ જ વ્યક્તિઓ તમને માનસિક તાણમાંથી દૂર કરશે.
જરૂર પડે તો થેરપિસ્ટની મદદ લેતા સંકોચ ન કરવો
ડિપ્રેશન વધુ પડતું હોય અને અનેક પ્રયાસો પછી પણ માનસિક તાણ દૂર નતી હોય તો થેરપિસ્ટનો સંપર્ક કરતાં સંકોચ કરવો નહીં.
- સુરેખા મહેતા