સુશાસનના સરતાજ - મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી
- 'મારી પ્રજાનું કલ્યાણ થજો'
- અંતર - રક્ષા શુક્લ
શુક્રનીતિમાં કહેવાયું છે કે અધિકારિગણોરાજાસદવુ્રત્તૌયત્રતિષ્ઠતઃ જેનો અધિકારીગણ અને રાજા સદાચારી હોય તેની ધર્મથી મેળવેલી લક્ષ્મી કદી તેને છોડીને જતી નથી અને કદી નાશ પામતી નથી. આ જ વાત મહાભારતના ઉદ્યોગ પર્વમાં વિદૂરનીતિ કહે છે કે ધર્મમૂલાંશ્રિયંપ્રાપ્ય, નજહાતિનહીયતે. ધર્મથી રાજ્ય મેળવવું અને ધર્મથી તેનું પાલન-સંવર્ધન કરવું એ ઉત્તમ રાજાના લક્ષણો છે. એટલે જ રાજકોશમાં લક્ષ્મીનું હોવું જરૂરી છે જેનાથી રાજા પ્રજાનું પાલન અને સંવર્ધન પણ ધર્મ અનુસાર કરી શકે અને પ્રજાને રોજગારી ઉપરાંત ન્યાયી રીતે સમૃદ્ધિ મેળવવા માટે અવકાશ મળે. રાજા પ્રજાની સુખાકારી માટે તેમની મુશ્કેલીઓ સમજે, લોકમત ધ્યાનમાં લે, પ્રજાને સરળ, ઝડપી અને સાચો ન્યાય મળે તેવી વ્યવસ્થા કરે.
માનભાઈ ભટ્ટ પર આરોપ લગાવાયો કે રાજ્યની જગ્યા તેમણે ગેરકાયદેસર પચાવી પાડી છે એટલે કાયદેસર પગલા લેવાશે. ત્યારે આ વાત મહારાજા કૃષ્ણકુમારસિંહ સુધી પહોંચતા તેમણે માનભાઈ ભટ્ટ પાસેથી બધી વાત વિગતે જાણી. આગળનું આયોજન વગેરે જાણી લીધું અને 'શિશુવિહાર'ને એ જમીન દાનમાં આપી અને આ માટે વધુ જમીન જોઈએ તો આપવાની ખાતરી આપી. આ પછી તો રાજ્યે શિશુવિહાર સંસ્થાને એટલી મોટી જગ્યા આપી કે તેની ફરતે વાડ કરવાના પૈસા પણ આ સંસ્થા પાસે ખૂટી પડયા.
પિતા ભાવસિંહજીના અવસાન બાદ માત્ર ૭ વર્ષની ઉંમરે મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલે ભાવનગરની ગાદી સંભાળી હતી. બાર તેર વર્ષની ઉંમરે રાજકુમારની મુલાકાત ભાવનગર આવેલા ગાંધીજી સાથે યોજાઈ, જેમનાથી તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા. વળી બાળપણમાં જ માતાપિતા ગુમાવી ચૂકેલા મહારાજા એકાંતપ્રિય અને વિચારશીલ બન્યા હતા. કુશળ રાજનીતિજ્ઞા, અભ્યાસી અને દૂરંદેશી ધરાવનાર પ્રભાશંકર પટ્ટણી દ્વારા તેમનું ઘડતર થયું હતું. પ્રભાશંકર પટ્ટણીના સાનિધ્ય અને માર્ગદર્શન તેમનું ઘડતર બળ બની રહ્યા. વિશાળ વાચન, સરળ જીવન, કુદરતપ્રેમ અને સ્વતંત્ર દ્રષ્ટિના કારણે ભારતના બદલાઈ રહેલા ઇતિહાસનાં પગરણ તેઓ પિછાણી શક્યા. આવી દૂરંદેશી અને વાસ્તવની સમજ બહુ ઓછા રાજવીઓમાં હતી. આથી સૌરાષ્ટ્રના રાજવીઓમાં તો તેમનું વ્યક્તિત્વ અનેક રીતે જુદું પડતું હતું.
હિન્દુસ્તાનને આઝાદી બાદ અખંડ રાષ્ટ્ર તરીકે જોવાના સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્નને સાકાર કરવામાં ભાવનગરના સુધારાવાદી, પરિવર્તનોને પારખનારા, દીર્ઘદ્રષ્ટા અને પ્રાતઃસ્મરણિય મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌપ્રથમ અપ્રતિમ યોગદાન આપ્યું જેમાં તેમણે ૧૫મી જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ પોતાની સઘળી સંપત્તિ તુલસીપત્ર પર લખી આપી આખું ભાવનગર રાજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ચરણે ધરી દઈ સૌ પ્રથમ પુનિત આહૂતિ આપી. તો આઝાદી બાદ ૧૯૪૮માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી નવા અસ્તિત્વમાં આવેલા મદ્રાસ રાજ્યના ગવર્નર તરીકે નિમાયા ત્યારે માસિકપ્રતિક રૂપે એક રૂપિયાનું માનદ વેતન સ્વીકારી પ્રજા સેવાનો અને ત્યાગનો ઉત્તમ દાખલો બેસાડયો. તેઓ પ્રજા વત્સલ તથા સારા રાજનીતિજ્ઞા હતા તો લોકલાડીલા પણ એટલા જ હતા. બ્રાઝીલને ગીર ગાયની ઓલાદ એટલી બધી માફક આવી ગઈ કે, ક્રમે ક્રમે ગીરની ગાયો બ્રાઝિલના પશુ પ્રદર્શનમાં ઈનામો મેળવતી થઈ. આખા બ્રાઝિલ દેશમાં ભાવનગર અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ ગૂંજવા લાગ્યું 'ભાવનગર' નામે એક વસાહત, કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા અને ગીર ગાયની સ્મૃતિમાં ચલણી સિક્કાઓ બહાર પડયા.
૧૯૩૧માં કૃષ્ણકુમારસિંહજી પુખ્ત વયનાં થતાં રાજ્ય વહીવટની ધૂરા સંભાળી લીધી. તે જ વરસે ગોંડલના રાજા ભોજરાજનાં પુત્રી વિજયાબા સાથે તેમનાં લગ્ન લેવાયા. ૧૯૩૧માં મહારાજાના લગ્ન ગોંડલનાં મહારાજા ભોજરાજસિંહના પુત્રી અને મહારાજા ભગવતસિંહજીના પૌત્રી વિજયાબા કુંવરબા સાથે થયા. આ લગ્નથી એમને બે પુત્રો અને ત્રણ પુત્રીઓ મળીને પાંચ સંતાનો થયા. ભાવનગર સ્ટેટના રાજકુંવર મહારાજા કૃષ્ણકુમારસિંહજી માટે રાજકવિ પીંગળશી પાતાભાઈએ હાલરડું લખ્યું હતું. જેની પ્રથમ પંક્તિ આ પ્રમાણે છે,
ગોહિલજીનું હાલરડું હું ગાજ, હેતે હેતેથી હીંચકાવું.. ગોહિલ (ટેક),
સોના રૂપાનુ પારણું સુંદર, મુખડું કુમારનું મરમાળું, ચિતડાલિએ છે ચોરી.. ગોહિલ
કૃષ્ણકુમારસિંહએ પોતાના પિતા અને દાદા દ્વારા શરૂ કરાયેલા સુધારાના કામો, જેવા કે રાજ્યમાં વેરા વસૂલાતની પદ્ધતિમાં સુધારા, ગ્રામ-પંચાયતોની અને ભાવનગર રાજ્યની 'ધારાસભા'ની રચના વગેરે આગળ ધપાવ્યા. પ્રગતિમય શાસનને લીધે એમને ઈ.સ. ૧૯૩૮ના વર્ષમાં કે. સી. એસ. આઈ.ના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા હતા. મહારાજા સાહેબના જન્મ પહેલાં ભાવનગર રાજ્યના કૂવાઓમાં ખારા પાણી આવતા હતા. કારણ કે, દરિયા કિનારે જ આખું શહેર વસેલું હોવાથી ભાગ્યે જ કોઈ કૂવામાં મીઠું પાણી જોઈ શકાતું. પરંતુ મહારાજ સાહેબના જન્મ સમયથી મીઠા પાણી આવવાના શરૂ થયા. ત્યારથી લોકોએ તે નાનકડા યુવરાજને 'દેવપુરુષ'ની ઉપાધિ આપી દીધેલી. કોઈને ખબર નહોતી કે, આ જ દેવપુરુષ ભાવનગરની પ્રજાના હૃદયમાં ઊંડી છાપ ઊભી કરશે.
ભાવનગરના રાજવી પરિવારે કોઈપણ નદી કે નાળા પર આધારિત નહીં પરંતુ માળનાથના ડુંગરામાંથી ભીકડા કેનાલ દ્વારા વરસાદી પાણી લાવીને ઊભું કરેલું અજોડ ગૌરીશંકર તળાવ મહારાજા અને સમગ્ર રાજવી પરિવારની અનમોલ ભેટ અને મહારાજાની દીર્ઘદ્રષ્ટિનો ઉમદા નમૂનો ગણવામાં આવે છે. એટલે જ અપાર લોકચાહના ધરાવતા મહારાજાના નામની આગળ માત્ર મહારાજા કે રાજવી નહીં પરંતુ પ્રાતઃસ્મરણીય એવું બિરૂદ લગાડવામાં આવે છે. ખરા અર્થમાં પ્રજા હૃદયસમ્રાટ એટલે મહારાજા કૃષ્ણકુમારસિંહજી. એટલે તો ઉદ્યોગપર્વમાં લખ્યું છે કે...
ચક્ષુષા મનસા વાચા કર્મણા ચ ચતુર્વિધમ્ ।
પ્રસાદયતિ યો લોકં તં લોકોઅનુપ્રસીદતિ ।।
ભાવનગર રાજ્યના તમામ મહારાજાઓએ અનેક પ્રજાલક્ષી કાર્યો કર્યાં છે. આથી મહારાજા કૃષ્ણકુમારસિંહજીને પ્રજા આજે પણ પોતાના માને છે. તે સમયે રજવાડાના રાજવીઓને તુંકારો કરીને બોલાવવા ગુનો ગણાતો હતો. પરંતુ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને વૃદ્ધ મહિલાઓ લાડમાં 'મારો મા'રાજ' કહીને પણ બોલાવતા હતા. ભાવનગર રાજ્યના દિવાન પ્રભાશંકર પટ્ટણીના સાનિધ્ય અને માર્ગદર્શન હેઠળ તેમણે 'મારી પ્રજાનું કલ્યાણ થાઓ' સૂત્ર પર પ્રજાલક્ષી કાર્યો ઉપરાંત ભાવનગર રાજ્યની ધારાસભા, ગ્રામ પંચાયતની રચના અને રાજ્ય વેરા વસૂલાત પધ્ધિતમાં સુધારા કર્યા હતા. ભાવનગર રાજ્યને વિકસિત બનાવવા માટે પણ અનેક સુધારા કર્યા હતા.. ડામરના રસ્તા અને વીજળીની વ્યવસ્થા, તળાવો બંધાવવા જેવા અનેક પ્રકલ્પો અને યોજનાઓને કારણે તેઓ 'પ્રજાવત્સલ' રાજવી તરીકે ખ્યાતિ પામ્યા હતા.
આપણે સૌ જાણીએ છીએ કે ભાવનગર યુનિવસટી હવે 'મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવસટી' તરીકે ઓળખાય છે. મહારાજાએ કરેલા અભુતપૂર્વ ધામક - સાહિત્યિક - શૈક્ષણિક - સામાજિક પ્રદાન બદલ તેઓને માનાંજલી અર્પવા માટે આ યુનિવસટીની એક્ઝિક્યુટીવ કાઉન્સિલ દ્વારા આ નામાભિધાન અંગેનો ઠરાવ કર્યો હતો. દેર આયે દૂરસ્ત આયે.
ભાવનગરનાં નેત્રહિન બાળકોએ કૌશલ્યવર્ધન માટે બોમ્બે જવું પડતું હતું. કૃષ્ણકુમારસિંહ જ્યારે ભારતભ્રમણ કરી રહ્યા હતા, ત્યારે આ વાત તેમના ધ્યાને આવી હતી. પછી તેમણે ભાવનગરમાં આવી જ એક સંસ્થા ઊભી કરવાનો નિર્ધાર કર્યો હતો. આ સંસ્થા એટલે 'શ્રી કૃષ્ણકુમાર અંધ ઉદ્યોગશાળા.' રાજ દ્વારા ચાલતા પ્રકલ્પો નિષ્ફળ થઈ શકે, પરંતુ તેમાં જો જનભાગીદારી હોય તો તે ચોક્કસથી સફળ થાય એવું તેઓ માનતા. એટલે તેમના આહ્વાનથી નગર શ્રેષ્ઠીઓએ અડધો ખર્ચ ઉપાડયો, જ્યારે બાકીનો ખર્ચ તત્કાલીન ભાવનગર સ્ટેટ આપતું હતું. નવા બંદર ખાતે નવી જેટી બંધાવી, ગોદામો સાથે તેને જોડતી રેલવે લાઇન નખાવી, આ સિવાય ભાવનગર-મહુવા વચ્ચે ટ્રામ-વે સેવા શરૂ કરી જે પછીથી 'બાપુ ગાડી' તરીકે પ્રચલિત થઈ. તખ્તસિંહ હોસ્પિટલમાં (આજના સમયની સર ટી હોસ્પિટલ) નવાં સાધનો તથા નવી ઇમારતો બંધાવી.
કૃષ્ણકુમારસિંહના લગ્ન માટે બાંધવામાં આવેલો પાક્કી બાંધણીનો મંડપ ભાવનગરની પ્રજાને 'ટાઉન હોલ' તરીકે ભેટ આપ્યો. ખેડૂતો માટે ગ્રામ સુધારણા ફંડ શરૂ કર્યું અને ખેડૂતો ઉપરનું રાજ તથા શાહુકારોનું દેવું માફ કર્યું. શામળદાસ કોલેજ (જ્યાં મોહનદાસ ગાંધીએ અભ્યાસ કર્યો હતો) માટે વાઘાવાડી રોડ ઉપર મોટી ઇમારત બંધાવી આપી. રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત આપવાનો ઠરાવ, પિતાના વારસા હક્કમાં પુરુષની સાથે સ્ત્રીને પણ અમુક અંશે ભાગ મળે તે માટે પણ તેમણે ઠરાવ પસાર કર્યો હતો. ગામડાંઓમાં બાળઉછેરનો પ્રચાર થાય અને કેળવણીનો ઉત્સાહ થાય તેવા શિક્ષકો તથા વૈદકીય જ્ઞાાન ધરાવતા ઉત્સાહક ભાષણ આપનારાઓની વ્યવસ્થા પણ કરાવી હતી. આ સાથે જ અજ્ઞાાન વર્ગમાંથી વહેમો દૂર થાય તો સામાજિક પ્રવૃત્તિઓ આગળ વધી શકે તેવો પ્રબંધ પણ કરાવ્યો હતો. તેમણે જાતિગત ભેદભાવોને દૂર કરવા માટે બધા માટે દરબારનાં દ્વાર ખુલ્લાં રાખ્યાં હતાં.
તેમના ઘણા અધિકારીઓ પણ તે સમયના કથિત અસ્પૃશ્યો હતા. ઉપરાંત સંસ્કૃતની પાઠશાળાઓ અને અન્ય ધર્મના લોકો માટે તેમના પંથની ધામક સંસ્થાઓ પણ તેમણે બનાવી હતી. ભાવનગર રાજ્યમાં એક કાયદો એવો હતો કે, જો કોઈના ઘરે ચોરી થાય અને રાજ્યના અધિકારીઓ ચોરી ન પકડી શકે તો તે ચોરીની ભરપાઈ રાજ્ય દ્વારા કરવામાં આવતી હતી.
રાજાની ઉદારતાના તો અનેક કિસ્સા સામે આવે. મહેલના બગીચામાં બેઠેલા મહારાજને કોઈ માણસે કેરી પાડવા ફેંકેલો પથ્થર વાગતા રાજાએ સજા કરવાને બદલે એવું કહી પોતાનાં પહેરેલા આભૂષણો ઉતારી તે વ્યક્તિના હાથમાં મૂકીને કહ્યું કે, 'જો એક વૃક્ષ પથ્થર ખાવાથી મીઠા ફળ આપતું હોય, તો હું તો ૧૮૦૦ પાદરનો ધણી છું.'
ભાવનગરના ટાણા ગામના વતની ઝવેર પટેલની બળદની જોડ ચોરાઈ ગઈ. ત્યારે તેણે નીલમબાગ ખાતે ભરાતા કૃષ્ણકુમારસિંહના દરબારમાં ફરિયાદ કરવાની હઠ પકડી. લોકોએ તેને સમજાવ્યું કે પોલીસને ફરિયાદ કરો હવે આઝાદી આવી ગઈ છે અને તેમનું રાજ નથી રહ્યું. તેઓ તો મદ્રાસના ગવર્નર બની ગયા છે.
'ઝવેર પટેલ હિંમત હાર્યા નહીં અને મદ્રાસના રાજભવનના દરવાજે પહોંચી રાજાની વાટ જોવા લાગ્યા. કોઈક કામસર બહાર નીકળતી વખતે કૃષ્ણકુમારસિંહજી પહેરવેશ તથા જૂની ઓળખાણને કારણે ઝવેરભાઈને ઓળખી ગયા. તેમણે કાફલો અટકાવ્યો. ઝવેરભાઈએ તેમને ફરિયાદ કરવા માટે આવ્યા હોવાનું જણાવ્યું. કૃષ્ણકુમારસિંહે તેમના સ્ટાફને ઝવેરભાઈને જમાડવાની તથા રહેવાની વ્યવસ્થા કરી આપવાની સૂચના આપી અને સાંજે મળવાનું કહીને નીકળી ગયા.'
'સાંજે આવીને તેમણે ઝવેરભાઈની સાથે વાત આરંભી ત્યારે કૃષ્ણકુમારસિંહે પૂછયું, 'બળદની ચોરી કેવી રીતે થઈ?' ત્યારે ઝવેરભાઈએ જવાબ આપ્યો, 'હું સૂતો હતો.' ત્યારે મજાકમાં કહ્યું, 'પટેલ, હું તો જાગતો હતો અને ૯૦૦ ગામનું રાજ જતું રહ્યું.'
કૃષ્ણકુમારે ભાવનગરના આંગતુકને ત્રણ દિવસ મદ્રાસ રોક્યા અને ડ્રાઇવર મારફત મદ્રાસ ફેરવ્યા. વળતા જવાના તથા બળદના પૈસા પણ આપ્યા.
૧૯૬૫ના દિવસે ૫૨ વર્ષની ઉંમરે અને ૪૬ વર્ષના શાસનકાળ પછી એમનું ભાવનગરમાં જ અવસાન થયું. લોકવાયકા છે કે, તેમના અવસાન સમયે તેમના અંતિમ શબ્દો હતા, 'મારી પ્રજાનું કલ્યાણ થજો.'