Get The App

આરોગ્ય માટે ફાયદાકારક સરગવાની શીંગ

Updated: Jul 25th, 2022

GS TEAM


Google News
Google News
આરોગ્ય માટે ફાયદાકારક સરગવાની શીંગ 1 - image


સરગવાની શીંગને આયુર્વેદમાં અમૃત સમાન માનવામાં આવી છે.તેને સુપરફૂડ પણ કહેવામાં આવે છે. તે બ્લડ સુગરનું પ્રમાણ ઓછું કરવા માટે ગુણકારી છે. અંગ્રેજીમાં તેને ડ્રમસ્ટિક કહેવામાં  આવે છે. 

સરગવાની શીંગમાં વિટામિન-ઓ, બી૧,બી૨, બી૩ અને બી ૬ સમાયેલું હોય છે. તેમાં કેલ્શિયમ, આર્યન, પોટેશિયમ અને મેગ્નેશિયમની માત્રા પણ જોવા મળે છે. સરગવાની શીંગના સેવનથી શરીરમાં ઇમ્યૂનિટી વધે છે. 

સરગવાની શીંગના બિયાં, પાન, ફળ અને જડ પણ દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. 

ફાયદા

સરગવાની શીંગનું સેવન ડાયાબિટીઝ,અસ્થમા, મેદસ્વી લોકો માટે ફાયદાકારક છે. 

તેમાં વિટામિન એ સમાયેલું હોવાથી  આંખની રોશની અને રેટિનાથી જોડાયેલી સમસ્યાઓ માટે ગુણકારી છે. 

તેના સેવનથી કોલેસ્ટ્રોલ કાબુમાં રહે છે. 

સરગવાની શીંગમાં નિયાજિમિસિન તત્વ સમાયેલું હોય છે. જે કેન્સર સેલ્સને બનતા અટકાવે  છે. 

તેમાં સમાયેલ કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકાને મજબૂત કરે છે. તેમજ સાઇટિકા, સંધિવામાં ફાયદાકારક છે. 

પેટનો દુખાવો તેમજ અપચો, ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓમાં તેનું શાક લાભદાયી છે. તેને દાળમાં નાખીને ખાવાથી પણ ગુણકારી છે. 

ડ્રમસ્ટિકમાં ફાઇબરની અધિકમ ાત્રા સમાયેલી છે જેથી તેના સેવનથી વારંવાર ભૂખ નથી લાગતી. 

શરીરમાં આયર્નની ઊણપ થતા પાલકના સ્થાને તેનું સેવન કરી શકાય છે. તે રક્ત પણ સાફ રાખે છે. 

સરગવાની શીંગ ડિપ્રેશન, ગભરામણ અને થાકથી રાહત અપાવે છે. 

તેમાં સમાયેલા વિટામિન બી પાચનક્રિયાને સુધારે છે. 

તેમાં સમાયેલા તત્વો સ્કિનને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. 

તેના સેવનથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. 

પથરીની સમસ્યા હોય તે વ્યક્તિએ સરગવાની શીંગનું શાક અને સૂપ જરૂર પીવું જોઇએ. તેનાથી પથરી મૂત્ર વાટે બહાર ફેંકાઇ જાય છે. 

મોચ આવી જઇ હોય તો સરગવાની શીંગના પાનની પેસ્ટ બનાીને તેને સરસવના તેલમાં નાખી ધીમા તાપ પર મુકવી. આ પેસ્ટને મોચ પર લગાડવાથી રાહત થાય છે. 

પ્રચુર માત્રામાં ફાઇબર સમાયેલું હોવાથી તે પેટ માટે ફાયદાકારક છે. તેના સેવનથી કબજિયાતની તકલીફ દૂર થાય છે. હરસની તકલીફમાં પણ રાહત થાય છે. 

લાલકણનું પ્રમાણ શરીરમાં ઓછુ ંહોય તો સરગવાની શીંગનું સેવન કરવું જોઇએ. જે હેમોગ્લોબિનનું પ્રમાણ વધારવામાં સહાયક બને છે.  મગજની બીમારીઓ જેવી કે અલ્ઝાઇમર, પાર્કિસંસ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને એવી ઘણી સામાન્ય સમસ્યાઓ છે જેમાં તેનું સેવન ગુણકારી માનવામાં આવે છે. મગજ સંબંધી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. તે અલ્ઝાઇમરના રોગીઓ એટલે જે જેમની યાદશક્તિ નબળી થઇ ગઇ છે તેને   સુધારવામાં મદદ કરે છે. 

વધુ પડતા તળેલા, મસાલેદાર અને જંકફૂડના સેવનથી લિવરને હાનિ પહોંચે છે. તેવામાં આહાર સુધારવાની સાથેસાથે ડ્રમસ્ટિકને ડાયટમાં સામેલ કરવાથી ફાયદો થાય છે. તેમાં ક્વોરસેટિન નામનો ફ્લેલનોલ હોય છે  જે હેપ્ટો-પ્રોટેકટિવ તરીકે કામ કરે છે. એટલે કે લિવરની દરેક પ્રકારની ક્ષતિને બચાવીને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. 

ફક્ત સ્વાસ્થય માટે જ નહીં ત્વચાને પણ સ્વસ્થ રાખવામાં ડ્રમસ્ટિકનું સેવન ઉપયોગી છે. તેમાં સમાયેલા એન્ટીબેકટેરિયલ, એન્ટીવાયરલ તેમજ એન્ટીફંગલ ગુણ ત્વચા પરના રેશિષ, ત્વચા પર અન્ય ઇન્ફેકશન અથવા ત્વચા રોગના જોખમને ઓછું કરે છે. 

વધતી વયની અસર પહેલા ચહેરા પર જોવા મળે છે. ચહેરો નિસ્તેજ થતો જાય છે અને કરચલી વધતી જાય છે. તેવામાં મોટા ભાગના લોકો એન્ટી-એજિંગ ક્રીમનો પણ સહારો લેતા હોય છે, જેની અસર ટૂંકી હોય છે. તેથી તેનો ઉપયોગ વારંવાર કરવો પડતો હોય છે. તેથી આહારમાં સરગવાની શીંગને અવશ્ય સામેલ કરવાથી ત્વચા ચમકીલી થાય છે અને વધતી વયનો પ્રભાવ ચહેરા પર ઓછો દેખાય છે. 

- સુરેખા મહેતા

Tags :