Get The App

અજમાવી જૂઓ .

Updated: Jan 11th, 2021

GS TEAM

Google News
Google News
અજમાવી જૂઓ                . 1 - image


-    વેજીટેબલ કરી  વધી હોય તો   કરીનો ઉપયોગ બિરીયાની બનાવવામાં કરવો. પ્રેશરકૂકર પેનમાં ઘી લઇ તેમાં લવિંગ-તજ -કાજુ સાંતળી ચોખા નાખી હલાવી તેમાં બિરીયાનીનો મસાલો તથા આદુ-મરચાં મીઠું નાખી દહીં વલોવી કરીમાં ભેળવવું. ચોખા વઘારી તેમાં આ મિશ્રણ નાખી હલાવી પ્રમાણસર પાણી નાખી બે-ત્રણ સીટી મારવી.ભાત ને મુલાયમ , સફેદ તથા દાણેદાર  બનાવવા ચોખાને થોડીવાર મીઠાયુક્ત પાણીમાં પલાળી રાખીને રાંધવા.

-    લસણને થોડી વારગરમ પાણીમાં પલાળી રાખી કપડાથી હળવું રગડવાથી છોતરા આપોઆપ ઉખેડવા લાગે છે.

-    ચોખાને દળતા પહેલા હળવા શેકવાથી આરામથી દળાય છે.

-    જોડાનો ડંખ પડતો હોય તે ભાગ પર રૂ અથવા પાતળું સ્પંજ રાખી જોડો પહેરવાથી ડંખ નહીં પડે.

-    બચેલા સાબુના ટુકડાને  રાતના પાણીમાં પલાળી રાખવાથી સવારે લિક્વિડ શોપ તૈયાર થશે.

-    કેળું છૂંદીન ેચહેરાપર લગાડવાથી ત્વચા ગ્લો મારે છે.

-    લસણ, હળદર તથા ગોળ ત્રણે ખાંડી ગરમ કરી મૂઢ માર પર લેપ કરવાથી ફાયદો થાય છે.

-    આદુ અથવા તુલસીના પાનનો રસ કાઢી તેમાં મધ ભેળવી રોજ પીવાથી શરદી, મંદાગ્નિ તથા અજીર્ણ મટે છે.

-    અંાખમાં ધૂળ, કચરો પડવાથી થતી બળતરાથી છૂટકારો પામવા રોજ દીવેલ આંજવું.

-    ઠંડીમાં શરીરે ખંજવાળ આવે તો નિવિયા ક્રિમ કે મોઇશ્ચરાઇઝર લગાડવું. એ બેમાંથી કાંઇ પણ ન હોય તો તેલ લગાડી દેવાથી રાહત થાય છે.

-    એક બાલદી હુંફાળા  બે ચમચી ખાવાનો સોડા ભેળવી સ્નાન કરવાથી શીળસમાં રાહત થાય છે.

-    ચંદન પાવડર. હળદર અને પાણી ભેળવી પેસ્ટ બનાવી ખીલ પર લગાડવાથી ફાયદો થાય છે.

-    લીંબુનું અડધિયું ચહેરા પર નિયમિત રગડવાથી ત્વચાનો ટોન હળવો થાય છે. લીંબુમાં કુદરતી જ બ્લીચના ગુણધર્મો રહેલા હોવાથી તે ત્વચાને નિખારવામાં ઉપયોગી થાય છે.

- મીનાક્ષી તિવારી

Tags :