અજમાવી જૂઓ-મીનાક્ષી તિવારી
- મલાઇમાં એક ચમચો સફરજનનો રસ ભેળવી ફીણી લઇ ચહેરા પર લગાડવું. ઝાંય હળવી થાય છે તથા રંગ પણ નિખરે છે.
- પકોડા-ભજિયા બનાવતી વખતે ચણાના લોટમાં થોડો કોર્નફ્લોર ભેળવવાથી તેલ તો ઓછું બળશે સાથેસાથે ક્રિસ્પી બનશે.
- જીરુ નાખી ઉકાળેલા પાણીથી કોગળા કરવાથી મુખ દુર્ઘંધ દૂર થાય છે.
- મૂળાના પરોઠા બનાવવાનું પૂરણ ઢીલું થઇ ગયું હોય તો થોડો ચણાનો લોટ ભેળવવો.
- રક્તમાં હેમોગ્લોબિનનું પ્રમાણ વધારવા નિયમિત સવાર-સાંજ ૧૦૦થી ૨૦૦ ગ્રામ જેટલો બીટનો રસ પીવો. તેમાં સપ્રમાણ ગાજરનો રસ ભેળવવાથી વધુ લાભ થાય છે.
- શેરડીના ટુકડા ચાવવાથી કમળામાં ફાયદો થાય છે.
- પેઢામાંથી રક્ત તથા પસ નીકળતું હોય તો લીંબુનો રસ ઘસવો.
- કાંદા સાંતળતી વખતે તેમાં મીઠું ઉમેરવાથી કાંદા જલદી સંતળાઇ જાય છે.