Get The App

ઈલાજ એનલ ફિશરનો

કબજિયાતની તકલીફ લાંબે ગાળે 'એનલ ફિશર' ની વ્યાધિ ઉત્પન્ન કરે છે

Updated: Apr 10th, 2018

GS TEAM


Google News
Google News
ઈલાજ એનલ ફિશરનો 1 - image

જ્યારે આપણે ભોજન કરીએ છીએ ત્યારે તેમાનાં પૌષ્ટિક તત્ત્વોને શરીર ગ્રહણ કરે છે. નકામાં પદાર્થોનો નિકાલ મળ અને પેશાબ દ્વારા થાય છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે અને અલગ અલગ વ્યક્તિઓમાં આ અલગ હોય છે.

જેવી રીતે ભૂખ અને ઊંઘનું પ્રમાણ અને આ પ્રમાણ બધાનું એક સરખું નથી હોતું. આમ પણ પેટ સાફ થવાની પ્રક્રિયાનું માપદંડ એકસરખું ન હોય. પરંતુ ઘણાં લોકો એવાં હોય છે જેમની આ બાબત અમુક ધારણા હોય છે. જેમકે  સવારે ઊઠતાંની સાથે પેટ સાફ આવવું જોઈએ. ભલે મળની કુદરતી પ્રક્રિયા થતી હોય કે નહીં પેટ તો સાફ આવવાની કોશિશો કરતાં જ રહે છે.

આ, બીડી-સિગરેટ, તમાકુંનું મંજન, ચૂર્ણ, કબજિયાતની દવા, ઘરગથ્થુ ઉપાયો અને ન જાણે શું શું. આ બધા પ્રયત્નોની સાથે મોડે સુધી શૌચાલયમાં બેસી રહેવું, છાપું વાંચવું અને અસામાન્ય રીતે મળ પ્રક્રિયા માટે જોર કરવું. આ બધાથી તકલીફ દૂર થવાને બદલે મોટો પ્રોબ્લેમ ઊભો થઈ જાય છે.

નિયમિત રીતે પેટ સાફ કરવા માટેનાં ચૂર્ણ અને દવાઓથી ગુદાની માંસપેશીઓમાં શિથિલતા આવે છે. જેને લીધે સંકુચન  ક્ષીણ થઈ જાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિ કબજિયાત દૂર કરવાની દવા ન ખાય તો મળ નથી આવતું. ધીમેધીમે આ સ્થૂળતા રૃપ લઈ લે છે અને પછી 'એનલ ફિશર' નામની દર્દનાક અવસ્થા ઉત્પન્ન થાય છે.

એનલ ફિશર કોને કહેવાય?

ગુદાનાં માર્ગમાં ચીરા પડવાને 'એનલ ફિશર' અથવા 'ગુદા ફાટ' કહેવાય છે. ગુદાની તકલીફોમાં સૌથી વધારે પીડાદાયક અને દર્દનાક અવસ્થા છે એનલ ફિશર. ગુદા માર્ગમાં શ્લેષમળ પડદામાં ચીરા પડવાને લીધે ફાટ ઉત્પન્ન થાય છે. આ પડદો ખૂબ જ સંવેદનશીલ હોય છે. માટે દુ:ખાવો જબરદસ્ત થાય છે. જ્યારે માંસપેશીઓમાં મળ વિસર્જિત થાય છે ત્યારે કડક મળને કારણે ફાટમાં તાણ ઉત્પન્ન થાય છે, ચીરો વધતો જાય છે અને સાથે સાથે લોહીનાં ટીપાં પડવાની શક્યતા વધી જાય છે. તાણ અને કબજિયાત આ ઘાવને રુઝાવા દેતાં નથી.

કઈ વ્યક્તિઓમાં એનલ ફિશરની સંભાવના વધારે હોય છે?

લાંબા સમયથી કબજિયાતથી ત્રસ્ત વ્યક્તિઓમાં 'એનલ ફિશર'ની શક્યતા વધારે હોય છે. આ ગુદાનાં પાછલા ભાગમાં વધારે જણાય છે. સ્ત્રીયોમાં આ તકલીફ ૬૦ ટકા ગુદાની પાછળ તરફ કે ૪૦ ટકા આગળની તરફ હોય છે. સ્ત્રીયોને આ તકલીફ થવાનું એક કારણ  સુવાવડ વખતે શિશુનાં માથા દ્વારા ગુદાનાં આગલા ભાગમાં કરવામાં આવેલી ઈજા છે.

એનલ ફિશરમાં કબજિયાતનો શું યોગદાન હોય છે?

ગુદા માર્ગનો વિશેષ આકાર અને લાંબા સમયથી થઈ રહેલો કબજિયાત બંને એનલ ફિશરને બનાવવા અને સ્થાયી રાખવામાં સહાયક બને છે. ગુદામાર્ગનાં વિશેષ આકારને લીધે જ્યારે કબજિયાતથી પીડિત વ્યક્તિમાં કડક મળ મળાશયથી નીચે એ ઉતરે છે ત્યારે ગુદાનાં વળાંકને લીધે પાછલી સપાટી પર જોરથી ઈજા કરે છે. જેને કારણે સંવેદન શીલ પડદામાં ચીરા પડે છે અને વ્યક્તિ આનો શિકાર થઈ જાય છે. એટલે કબજિયાત એનલ ફિશરનું એક મુખ્ય કારણ છે. આનાથી ફિશરની તકલીફ થાય છે. આ ચક્રવ્યૂહમાંથી વ્યક્તિ બહાર નીકળી શકતો નથી.

એનલ ફિશર અને હરસ શું તફાવત છે?

ફિશરમાં રક્તસ્ત્રાવ ઓછો થાય છે અને દુખાવો વધારે. જ્યારે હરસમાં રક્તસ્ત્રાવનું પ્રમાણ વધારે હોય કે ઘણી વ્યક્તિઓમાં ફિશર અને હરસ બંનેની તકલીફ એકસાથે હોઈ શકે છે. જૂનાં ફિશરની તકલીફમાં ગુદા માર્ગનાં અંત પાસે એક ચામડીનો પાતળો પડદો હોય છે તે ગુદાની બહાર આવી જાય છે જેને 'એનટીનલ પાઈલ્સ' પણ કહેવાય છે.

ફિશરનો સાચો ઉપાય શું છે?

લગભગ એલોપેથિક ચિકિત્સામાં કબજિયાત માટે ઝાડાની દવાઓ ફાટનાં સ્થાને મલમ કે ઈંજેક્શન રૃપે પ્રયોગમાં લેવામાં આવે છે. જૂનાં ન રુઝાય એવાં ફિશર માટે ઓપરેશનની સલાહ આપવામાં આવે છે. કારણ કે ફાટ એ કોઈ બિમારી નથી. જૂનો કબજિયાત, અત્યંત જોર કરવાની પ્રવૃત્તિનું પરિણામ છે. આવામાં આવા ઈલાજ થોડાં સમય માટે રાહત આપે છે. પરંતુ જ્યાં સુધી પૂર્ણ કબજિયાતનો ઈલાજ ન થાય ત્યાં સુધી આ તકલીફ વારંવાર થાય છે.

હોમ્યોપેથિક ચિકિસ્તામાં ફિશરનાં દર્દને દૂર કરવા, ઘાને સહેલાઈથી ભરવા અને કબજિયાતને સંપૂર્ણરૃપે દૂર કરવાની ઘણી અસરકારક દવાઓ છે, જે એનલ ફિશરને તાત્કાલિક સમસ્યા અને તેનાં મૂળ કારણને પૂરી રીતે દૂર કરવામાં સક્ષમ છે. એનલ ફિશરની તકલીફમાં ઘણી મુખ્ય હોમ્યોપેથિક દવાઓ છે, જે આ પ્રમાણે છે. નાઈટ્રિક એસિડ, રેટાઈન, નેટ્રમ-મ્યૂર, મરક, સીપીયા, ફ્લોરિક-એસિડ, ગ્રેફાઈટિસ કેલકેરિયા-ફાંસ, પેટ્રોલિયમ, નકલ વૉમીકા, થાએનિયા વગેરે.

ફિશર માટે યોગમાં ખૂબ જ સાધારણ પ્રયોગ છે. જેનું નિયમિત પાલન કબજિયાત અને તેનાથી ઉત્પન્ન ફિશરને દૂર કરવામાં ઉત્તમ સાબીત થાય છે. સવારે ચાર ગ્લાસ નવશેકા પાણી પીધા પછી થોડાં આસન જેવા કે તાડાસન, ત્રિકોણાસન, યોગમુદ્રા વગેરે કરવા. જમ્યા પછી દસ મિનિટ સુધી વજ્રાસનમાં બેસવું.

હોર્મ્યોપૈથિક દવાની સાથે શક્તિશાળી ચુંબકોથી બનાવેલ ચુંબકીય જળનું નિયમિત સેવન કરબજિયાત દૂર કરવામાં લાભકારી સાબિત થાય છે. કબજિયાતથી છૂટકારો મેળવી એનલ ફિશરથી હમેશા માટે મુક્ત થઈ શકો છો તમે.


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar


 

Tags :