Get The App

વાયરલ તાવમાં રાહતદાયક ઘરગ્થ્થુ ઉપચાર

Updated: Aug 2nd, 2021

GS TEAM


Google News
Google News
વાયરલ તાવમાં રાહતદાયક ઘરગ્થ્થુ ઉપચાર 1 - image


- નાની પણ મહત્વની વાતો

કોરોના વાયરસની ત્રીજી લહેરની પણ શક્યતા  હોવાનું નિષ્ણાંતો જણાવે છે. આ દરમિયાન ચોમાસાની સામાન્ય તકલીફો જેવા કે તાવ અને વાયરલનો પ્રકોપ પણ ફેલાઇ રહ્યો છે. વર્ષાઋતુમાં સામાન્ય રીતે લોકોની રોહ પ્રતિરોધક ક્ષમતા ઓછી થઇ જતી હોય છે. તેમજ આ ઋતમાં વાતાવરણમાં વધુ પડતો ભેજ રહેતો હોવાથી શરદી, ફ્લુ, તાવ અને ઉધરસ જેવી બીમારી સામાન્ય છે. આ ઋતુમાં બાળકો તેમજ વૃદ્ધો આ તકલીફનો ભોગ જલદી બનતા હોય છે.   અત્યાર સુધી ચોમાસામાં શરદી, ઊધરસ, કફ, તાવ વગેરે જેવા લક્ષણો સામાન્ય લાગતા હતા. પરંતુ કોરોનામાં પણ આ જ લક્ષણો મોટે ભાગે જોવા મળતા હોય છે.  તેથી આવી તકલીફોના સપાટામાં આવતા જ પહેલા કોરોના ટેસ્ટ કરાવી લેવી જરૂરી છે. જો એ નેગેટિવ આવે તો જ ઘરગ્થ્થુ ઇલાજ કરવા જોઇએ. 

સીઝનલ ફ્લુના લક્ષણ

તાવ

ધ્રુજારી

ઠંડી લાગીન ેતાવ આવવો

નાક બંધ થઇ જવું

ગળામાં દુખાવો

હાથ-પગમાં દુખાવો

માંસપેશિઓમાં ખેંચાણ

આ દરેક લક્ષણ કોવિડ-૧૯થી મળતા આવે છે. તેથી તરત જ ડોકટરનો સંપર્ક કરવો. 

ઋતુના કારણે થયેલા ફ્લુના ઇલાજ

ફુદીનો અને અજમાનો શેક

વધુ પડતો કફ, શરદી, ઊધરસ થાય તો ગરમ પાણીમાં ફુદીનાના પાન અથવા અજમાના પાનની વરાળનો શેક લેવાથી આરામ મળે છે. શરદી-ઊધરસથી રાહત પામવા માટે આદુયુક્ત ચા પીવી. તેમમજ ચામાં થઇ શકે તો સાકરની બદલે ગોળ નાખવો.  સાકર કફ માટે નુકસાનકારક હોવાથી ગોળ નાખવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ સામાન્ય રીતે લોકો ચામાં સાકર નાખીને જ પીતા હોય છે. 

હળદરયુક્ત દૂધ

શરદી-ઊધરસ સતત આવતા હોય તો હળદરયુક્ત હુંફાળુ દૂધ પીને સુઇ જવું. હળદર એન્ટીબાયોટિકનું કામ કરે છે. રોજ રાતના અડધો ગ્લાસ હળદરવાળુ દૂધ પીને સૂવું.

મધ અને કાળા મરી

કફ અને ઊધરસની તકલીફ હોય તો મધ અને કાળા મરી રામબાણ ઇલાજ છે. મધ અને કાળા મરીના ભૂક્કાને એક ચમચામાં ભેળવી ખાઇને સુઇ જવું. આ મિશ્રણ ખાધા પછી પાણી પીવું નહીં તેમજ કાંઇ ખાવું પણ નહીં. વાસ્તવમાં મધની અને મરીની તાસીર ગરમ હોવાથી શરીરમાં કુદરતી ગરમાવો ઉત્પન કરતા રાહત થાય છે. 

ચવ્વનપ્રાશ

ચવ્વનપ્રાશમાં ઘણી બધી જડીબુટ્ટીઓ સામેલ હોય છે. તેનું સેવન કરવાથી શરીરનું તાપમાન વ્યવસ્થિત જળવાઇ રહે છે. તેથી પ્રતિદિન દૂધ સાથે એક ચમચો ચવ્વનપ્રાશનું સેવન કરવાથી ફાયદો થાય છે. આયુર્વેદમાં ચવ્વનપ્રાશને એક ઔષધિ તરીકે જોવા મળ્યું છે. 

વરાળનો શેક લેવો

વધુ પડતી શરદી-ઊધરસ હોય તો વરાળનો શેક લેવો.ગરમ પાણીમાં વિક્સ નાખીને નાસ લેવાથી રાહત થાય છે. આ સિવાય ટી ટ્રી ઓઇલ, લેમન ગ્રાસ તેલ, લવિંગનું તેલ પણ પાણીમાં નાખી ઉકાળી શેક લેવાથી ફાયદો થાય છે. 

 મસાલેદાર ચા

આદુ, તુલસી, કાળા મરી, તજ અને એલચી ભેળવીને ચા પીવાથી રાહત થાય છે. ચા ન પીતા હોય તે વ્યક્તિએ દૂધના ઉકાળામાં આ ખાદ્યપદાર્થો ભેળવીને પીવા.

- મીનાક્ષી

Tags :