Get The App

ખાદ્ય પદાર્થોનાં પોષક તત્વો જાળવવાની તકેદારી

Updated: Oct 27th, 2025

GS TEAM

Google News
Google News
ખાદ્ય પદાર્થોનાં પોષક તત્વો જાળવવાની તકેદારી 1 - image

લીલાં શાકભાજી કાયમ ધોઈને જ સમારવા, કારણ કે એનાથી  વિટામિન અને ખનીજ તત્ત્વો નષ્ટ નથી થતાં :

* સલાડ કે શાકભાજી બહુ નાનાં નાનાં સમારવાથી એમાં રહેલાં પોષકતત્ત્વો ઓછાં થઈ જાય છે.

*  બાફેલાં શાકભાજીનું અથવા દાળમાંનું વધારાનું પાણી ફેંકી દેવાના બદલે શાકભાજી કે સૂપ વગેરેમાં વાપરી શકાય છે.

*  લીલાં શાકભાજીને ચડાવતી વખતે એના પર ઢાંકણું ઢાંકી દેવું જોઈએ, જેથી વરાળ મારફતે વિટામિન ઊડી ન જાય.

*  ભાત કૂકરમાં જ બનાવો. ઓસામણ કાઢીને બનાવવાથી તેમાંનાં પોષકતત્ત્વો નષ્ટ થઈ જાય છે.

*  લોટ ચળામણ સાથે જ બાંધો.

*  બટાકાંને છાલ સહિત બાફવા જોઈએ.

*  ખાવાના સોડાનો રસોઈ બનાવવામાં ઉપયોગ ન કરો. એનાથી વિટામિન 'બી' થોડાક પ્રમાણમાં નાશ પામે છે.

*  રસોઈને વારંવાર ગરમ કરવાથી પોષકતત્ત્વો નાશ પામે છે.

*  રસોઈ બનાવતી વખતે તેલ કે ઘી બહુ ગરમ કરવાથી વિટામિન 'ઈ' નાશ પામે છે.

*  ચણા, રાજમા, વટાણા, ચોળા જેવા કઠોળને બરોબર ધોયા પછી એ પાણીમાં જ બાફવાં. વધારાનું પાણી ફેંકવાને બદલે શાક બનાવતી વખતે અથવા લોટ બાંધવામાં વાપરી શકાય છે.

*  રોટલી બનાવવા માટે ૧ કલાક પહેલાં લોટ બાંધી દો. એમ કરવાથી રોટલી સુપાચ્ચ અને પૌષ્ટિક બને છે.

*  શાકભાજી હંમેશાં તાજાં જ ખરીદો. સસ્તું ખરીદવાના લોભમાં જરૂર કરતાં વધારે ખરીદી સ્વાસ્થ્ય સાથે ચેડાં ન કરો.

*  રસોઈ બનાવતી વખતે રસોડાનાં વાસણ, નેપ્કિન અને પાણી ચોખ્ખું હોય તેનું ખાસ ધ્યાન રાખો.

*  બને ત્યાં સુધી રસોઈ જાતે જ બનાવો અથવા તમારી સૂચના મુજબ તમારું ધ્યાન ન રહે તે રીતે રસોઈ બનાવડાવો.