Get The App

મુખપાક-ટોન્સિલ્સ-સારવાર

Updated: Oct 25th, 2021

GS TEAM


Google News
Google News
મુખપાક-ટોન્સિલ્સ-સારવાર 1 - image


- આરોગ્ય સંજીવની- જહાનવીબેન ભટ્ટ

આજે આપણે જે રોગ વિશે ચર્ચા કરવાનાં છીએ તેનું નામ છે. ''મુખપાક'' જેને એલોપેથીમાં 'ટોન્સિલ્સ' કહેવામાં આવે છે.

'મુખપાક' અને ''ટોન્સિલ્સ''આ બંને બહુ પ્રચલિત રોગ છે. જે બાળકોથી માંડીને મોટેરાઓ સુધી જોવા મળતા હોય છે. મુખપાકમાં મોઢું આવી જવાથી જીભ લાલ થઈ જવી, ગાલ-કાકડા કે ગળા સુધી બધું જ લાલ થઈ જવું, હોઠના અંદરના અને ગળા સુધી ગમે ત્યાં ચાંદીઓ પડી જવી, ખાતા-પીતા બળતરા થવી, જીભમાં ચીરા પડી જવા, ફોડલીઓ થઈ જવી, દુ:ખાવો થવો વગેરે તકલીફોમાં વ્યક્તિને ''મુખપાક'' (મોઢું આવી ગયા)નો અનુભવ થાય છે. આવી તકલીફોમાં વાંચકમિત્રોને કેટલાંક સરળ અને ઘરગથ્થુ ઉપચારો સૂચવું છું. જેમાંથી જે અનુકૂળ પડે તે ઉપાય દ્વારા મુખપાકની સમસ્યામાંથી છૂટકારો મેળવી શકાશે.

* શુદ્ધ ટંકણખાર ને મધમાં મેળવી ચાંદી ઉપર લગાવી, તેની લાળ નીતારવી, તેનાથી મુખપાકમાં ખૂબ ફાયદો જણાશે.

* તાજી મોળી છાશનું સેવન કરવાથી પણ મોં ના ચાંદા માં ખૂબ લાભ થાય છે.

* જે દર્દીને મુખપાકની સમસ્યા વારંવાર રહેતી હોય તેણે પોતાનું પેટ હંમેશા સાફ રાખવું અને કબજિયાતથી દૂર રહેવું. તે માટે પોતાની પ્રકૃતિને અનુકૂળ ચા કે ગરમ દૂધમાં વહેલી સવારે જરૂર મુજબ એરંડા તેલ દિવેલ લેવું જે દર્દીઓને દીવેલ અનુકૂળ ન હોય તેમણે ૧/૨ તોલો માખણ પીગળે તેટલું ગરમ કરી દૂધમાં સવારે નરણે કોઠે પીવું. 

હીમેજ મોઢામાં રાખી ચૂસવી, તેનાથી પેટ પણ સાફ આવે છે, અને મોંઢાની ચાંદીઓ પણ રુઝાય છે. હરડે, ત્રિફળા અને સોનામુખીના પાન અને કાળી દ્રાક્ષનું પાણી પીવું. મુખપાકમાં જ્યારે મોઢામાં ખૂબ બળતરા થતી હોય ત્યારે પાણીમાં મધ મેળવી તેનાથી વારંવાર કોગળા કરવા, જેથી મુખની બળતરા અને દાહ શાંત થાય છે.

* મુખપાકમાં બળતરાની સાથે સાથે મોઢામાંથી વાસ પણ આવતી હોય છે, જેથી તેનાં નિવારણ માટે તુલસીનાં પાનના ઉકાળાના કોગળા કરવા, જેથી મુખપાક અને મોંઢાની દુર્ગંધ પણ મટે છે.

* દ્રાક્ષ ને સારી રીતે લસોટી તેમાંથી અને મધ મેળવી ચાટણ બનાવવું, આ ચાટણ જીભ ઉપર લગાવવાથી જીભનાં ચીરા મટી જાય છે.

* મુખપાક થયો હોય તે સમય દરમિયાન વરિયાળી અને સાંકરનું શરબત બનાવી દિવસમાં બે વાર પીવું અને ફૂલાવેલી ફટકડી પાણીમાં મેળવી તેનાં કોગળા કરવા.

* જો મુખપાકનાં ચાંદા ખૂબ મોટાં અને લાલાશયુક્ત હોય તો ગાયનું ચોખ્ખું ઘી આ ચાંદા ઉપર લગાવવું.

* બોરડીની છાલ, વડની છાલ, લીમડાની આંતરછાલ અને પીપળાની છાલ આ બધાં વૃક્ષોની છાલ ભેગી કરી તેનો ઉકાળો બનાવી કોગળા કરવાં, અથવા આ બધી છાલોનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ચાંદી ઉપર ભભરાવવું, અને પછી લાળ નિતારવી જેથી મુખપાકમાં થતી દાહ-બળતરા શાંત થશે.

* ખાવાનું જીરૂ અને સાંકરનું ચૂર્ણ મોઢામાં રાખીને તેનો રસ ગળામાં ઉતર્યા કરવાથી પણ આ સમસ્યામાં ખૂબ ફાયદો જણાશે.

''ટોન્સીલ્સ''ને વ્યવહારું ભાષામાં આપણે ''કાકડા'' તરીકે ઓળખીએ છીએ, આ બિમારી ખાસ કરીને બાળપણથી કિશોરાવસ્થા દરમિયાન વધારે થતી જોવા મળે છે. આ ઉપરાંત વારંવાર શરદી રહેવાથી, વધારે પડતાં ગળ્યાં પદાર્થો કે ચોકલેટ લેવાથી કે ઠંડા પદાર્થોનાં અતિઉપયોગથી મોટાભાગે ''કાકડા''ની ફરિયાદ જોવા મળતી હોય છે.

અહીંTonsils (કાકડા) માટે કેટલાંક ઘરગથ્થું છતાં ખૂબ સરળ ઉપાયો સૂચવું છું, જે આ સમસ્યામાં ખૂબ ફાયદો કરાવશે. જેમાં,

(૧) હળદર અને મધ મેળવી કાકડા ઉપર લગાવવું, ઉપર કંઈ જ ખાવું-પીવું નહીં, આ રીતે દિવસમાં બે કે ત્રણ વખત લગાવવાથી કાકડા ઉપરનો સોજો ઉતરી જાય છે અને કાકડા બેસી જાય છે.

(૨) ૧ ચમચી હળદર અને ૧ ચમચી બુરૂ ખાંડ મિક્સ કરી તેમાં બરાબર મિશ્રણ થાય તેટલું ગાયનું ઘી ગરમ કરી મેળવવું, આ ઘી એટલું ગરમ હોવું જોઈએ કે હળદર અને ખાંડ ગરમ થઈ જાય પછી તેને ગરમ-ગરમ ચાટી જવું અને ૧૫-૨૦ મિનિટ સુધી કંઈ જ ખાવું-પીવું નહીં.

(૩) Tonsils જ્યારે વધે છે, ત્યારે બહારની બાજુ ગળા ઉપર પણ સોજો થઈ જાય છે, આવા વખતે હળદર અને મીઠું પાણી સાથે વાટીને સુખોષ્ણ કરીને તેનો લેપ કરવો. જેથી તુરંત જ ફાયદો થવા લાગશે.

(૪) Tonsils  ની પીડાના શમન માટે નવશેકા ગરમ મીઠાનાં પાણીનાં કોગળા દિવસમાં ૩ થી ૪ વખત કરવા.

(૫) મોટાભાગે કાકડા શરદીથી થાય છે, તેથી ગરમ દૂધમાં દીવેલ અને આદુનો રસ બંને મળી ૧ ચમચી નાખી પીવડાવી દેવાથી કાકડામાં ખૂબ જ ફાયદો થાય છે, દિવેલમાં આદુનો રસ ૧/૪ ચમચીથી વધારે ભેળવવો.

જો કાકડા પાકી ગયા હોય તો પાણીમાં તેનો રંગ ગુલાબી થાય તેટલું જ પોટેશિયમ પરમેંગેનેટ નાખી તેનાં ખૂબ કોગળાં કરવાં જેથી કાકડાનો સોજો ઉતરી જશે અને તે બેસી જશે.

ઉપર બતાવેલા પ્રયોગોમાંથી જે સરળ અને પ્રકૃતિને અનુકૂળ લાગે તે પ્રયોગ કરી શકાય છે.

Tags :