Get The App

જગત જનની જગદંબાની આરાધના, ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રી

Updated: Oct 4th, 2021

GS TEAM


Google News
Google News
જગત જનની જગદંબાની આરાધના, ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રી 1 - image


- જગત જનનીમા, મહામાયા, મહાશક્તિ કહો કે આદ્યશક્તિ  કે મા ભગવતી એ અંબિકાની સ્તુતી સાક્ષાત  બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે કરી અને તેના દિવ્ય તેજના અંશમાંથી ભગવતી જગદંબાનું મંગલ પ્રાગ્ટ થયું.

પ્રાતર્ભજામિ ભજતામભિલાષ દાત્રીં

ધાત્રીં સમસ્ત જગતાં દુરિતાપ હન્ત્રીમ્ ।

માયાં પરાં સમધિ ગમ્ય પરસ્ય વિષ્ણો :।।

હું  પ્રાત:કાળે વિષ્ણુની  માયાને ભજું છું. તમે ભજનારની ઈચ્છા  પૂરી કરો છો.  તમે જગતની ધાત્રી છો, દુષ્ટને હણનાર  અને સંસારના બંધનમાંથી મુક્તિ આપનાર છો. 

દર વર્ષે આસો માસની સુદ એકમથી  શરૂ થઈને નવ દિવસ સુધી સમગ્ર ભારતમાં ઉજવાતું નવરાત્રિ  પર્વ એટલે શક્તિની ઉપાસનાનું પર્વ   

 ક્લોં  ચંડી  વિનાયકો  એ વિધાન અનુસાર કલયુગમાં ચંડી દગદંબા અને રિદ્ધિ સિદ્ધિના દાતા ભગવાન ગણપતિની આરાધનાનું  મહાત્મ્ય છે. આપણા આદિ ગ્રંથોમાં નિરાકાર અને સાકાર રૂપે મા જગદંબાના મહિમાનું ગાન અને સ્તુતી મળે છે. શક્તિ ઉપાસના પ્રાચીન કાલથી પ્રવર્તે છે. વેદ પુરાણ ઉપનિષદમાં પણ એના દ્રષ્ટાંત વાંચવામાં આવે છે. શક્તિ વિના કોઈ કાર્ય સંભવ જ નથી.

નવરાત્રીના નવ દિવસોમાં જગત જનની જગદંબાની આરાધના કે ઉપાસના ને  વિશેષ ફળદાયી ગણવામાં આવે છે. નવરાત્રીના નવલા દિવસો વર્ષમાં ચાર વખત એટલે કે મહામાષ, ચૈત્રમાષ, અષાઢ માસ અને આષોમાસ માં સુદ પક્ષમાં એકમથી નોમ સુધી ઉજવવામાં આવે છે. નવરાત્રી દરમિયાન કરવામાં આવેલા શક્તિપૂજાનું  અનેરુ મહત્ત્વ છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘટસ્થાપન કરી આઠમ સુધી એ કુંભની અને આસપાસ ઉગાડેલા જ્વારાની પુજા થાય છે. નવરાત્રી દરમિયાન વિશ્વંભરી, ચંડીપાઠ, દેવી અનુષ્ઠાન, વ્રત, ઉપવાસ, માતાજીના ગરબા વગેરે થાય છે.

સમગ્ર ભારતમાં દેવીની ઉપાસના આરાધનાનું  મહાત્મ્ય ધરાવતા અનેક ધામ છે. ગુજરાતમાં આવેલ અંબાજી, બંગાળમાં  આવેલ કાલીમાતા, આસામમાં આવેલ કામાખ્યા મંદિર, મહારાષ્ટ્રમાં કોલ્હાપુરમાં આવેલ મહાલક્ષ્મીનું મંદિર જેનું વર્ણન દેવી ભાગવતમાં છે. મદ્રાસમાં  આવેલ માતા કુડિકા મુંદરનું મંદિર, હરિદ્વારમાં આવેલ માતા મનસાદેવીનું મંદિર, જમ્મુમાં આવેલ માતા વૈષ્ણોદેવીનું ધામ અને આવું જ એક શક્તિ, ભક્તિની ઉપાસનાનું ધામ એટલે મુંબઈ, બોરીવલી  (પૂર્વ) માં આવેલ જગત જનની દગદંબાનું અનેરુ મોટા અંબાજીનું મંદિર સૌંદર્ય, લલિત ભાવપ્રધાન અને આંખોમાંથી અમી ઝરાવતી, સાક્ષાત દુર્ગા, લલિતા, ચામુંડા, ભૈરવી, અન્નપૂર્ણા  અને  શક્તિ જેનો મહિમા અપરંપાર છે, એવી અનંત સૌંદર્ય રાશિનું ધામ એટલે બોરીવલી પૂર્વમાં આવેલ મોટા  અંબાજી મંદિર.

આજથી ૫૪ વર્ષ પહેલાં બોરીવલી જંગલમાં વસેલ એક નાનું ગામ હતું. ત્યાં સ્વ. શ્રી રણછોડલાલ ટી. જાની (ગુરુદેવ) ના શુભ હસ્તે મોટા અંબાજી મંદિરની સ્થાપના થઈ હતી અને આજે એ મોટા અંબાજી મંદિરના મહિમાની કીર્તિની  સુવાસ દશે દીશાઓમાં ફેલાઈ છે.

બોરીવલી (પૂર્વ)નું મોટા અંબાજીનું મંદિર એટલે ઉત્સવનું ધામ અહિં વર્ષ દરમિયાન ઉજવાતા દરેક તહેવાર એક ઉત્સવ સમા હોય છે. દર  પૂનમના દિવસે અહીં હજારો ભક્તો પગપાળા માંના દર્શન કરવા આવે છે, અને માં ના દર્શન માત્રથી તેમનો થાક દૂર થાય છે. એમાં પણ ભાદરવી પૂનમના તો લાખોે માંઈ ભક્તોના સંઘ  અહીં માંના જય જયકાર કરતા આવે છે. સમગ્ર  વાતાવરણમાંના  જયજયકારથી ગુંજી ઉઠે છે. નવરાત્રી દરમિયાન અહીં પારંપરિક રીતે માતાજીના ગરબા ગવાય છે, એ જોવાનો એક વિશિષ્ટ લ્હાવો છે.

અષ્ટમીના હવનને દિવસે લાખો ભક્તો અહીં આવે છે.  અને સમગ્ર વાતાવરણ જયભવાની જય અંબેના નાદથી ગુંજી ઉઠે છે. કાંચી પીઠના જગદ્ગુરુ શંકરાચાર્ય અને દ્વારીકા શારદા પીઠના જગતગુરુ શંકરા ચાર્યનું  જ્યારે પણ આગમન થાય ત્યારે અહીં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. નવરાત્રિના તહેવાર હોય કે કોઈપણ ઉત્સવ કે પછી ઈતર સામાજીક પ્રવૃત્તિ મોટા અંબાજી મંદિર યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા આ બધાનું સુંદર અને શિસ્તબદ્ધ આયોજન થાય છે.

 માં  તારો ગરબો ઝાકમઝોળ....

દેવ્યા યયા તતમિંદ જગતાત્મશક્ત્યા।

નિ:શેષદેવ ગણશક્તિ સમૂહમૂર્ત્યા ।।

તામમ્બિકામખિલ દેવમહર્ષિ પૂજ્યાં ।

ભક્ત્યા નતા:સ્મ વિધ્ધાતુ શુભાનિસાન : ।।

હે માં!  તમે સર્વ દેવોની શક્તિના સમૂહરૂપ છો. પોતાની શક્તિથી આખા જગતને તમે વ્યાપ્ત કર્યું છે. બધા દેવો અને મહર્ષિઓની જે જગદંબા  પૂજ્ય છે તેને અમે નમસ્કાર કરીએ છીએ. માં! અમારુ કલ્યાણ કરો. જગત જનનીમા, મહામાયા, મહાશક્તિ કહો કે આદ્યશક્તિ  કે મા ભગવતી એ અંબિકાની સ્તુતી સાક્ષાત  બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે કરી અને તેના દિવ્ય તેજના અંશમાંથી ભગવતી જગદંબાનું મંગલ પ્રાગ્ટ થયું.  શક્તિ અંબિકાના  ચાર મુખ્ય સ્વરૂપો એટલે મહેશ્વરી- દુર્ગા, મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી એક વખત દેવ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું  અને મહિષાસૂર નામના એક દૈત્ય રાજાએ દેવોને પણ હેરાન પરેશાન કરી મૂકે એવું અમોધ  બળ પ્રાપ્ત કરવા મેરુ પર્વત ઉપર ઉગ્ર તપ કર્યું હતું અને તેના ઉગ્ર તપથી બ્રહ્માએ  પ્રસન્ન થઈને તેને વરદાન  માંગવા કહ્યું અને  મહિષાસૂરે કહ્યું કે  હે બ્રહ્મા મારુ મૃત્યુ દેવ, દૈત્ય, મનુષ્ય કે કોઈ પુરુષથી ન થાય અને સ્ત્રીમાં મને મારવાની કોઈ તાકાત નથી એવું અમરત્વ વરદાન આપો. બ્રહ્માએ  કહ્યું તથાસ્તુ પરંતુ  તારુ મૃત્યુ સ્ત્રી દ્વારા જ થશે.

અને વરદાન મળ્યા પછી આ દાનવે સમગ્ર  પૃથ્વી ઉપર કાળો કેર વર્તાવી દીધો અને  અભિમાની અને અહંકારી દૈત્ય એ સ્વર્ગને પણ પોતાના વશમાં લાવવાની મનોકામના સેવવા લાગ્યો. આ દાનવના ત્રાસથી  સહુ દેવો એકત્ર થઈને ભગવાન વિષ્ણુ  પાસે ગયા અને દાનવના ત્રાસમાંથી મુક્ત કરવા પ્રાર્થના  કરી અને તદપશ્ચાત સર્વ દેવોના તેજથી એક દૈદિપ્યમાન, સ્વરૂપવાન સ્ત્રીનો  પ્રાદુર્ભાવ થયો એ તેજ એટલે એજ મહામાયા, ભવાની, જગદંબિકા અને આ જગત જનની જગદંબાના હાથે મહિષાસૂરનું મૃત્યુ થયું અને તે મોક્ષ ગતીને પામ્યો. 

દર વર્ષે આસો માસની સુદ એકમથી શરૂ થઈને નવ દિવસ સુધી પુરા ભારતમાં ઉજવાતું નવરાત્રી પર્વ એટલે શક્તિ ભક્તિ ઉપાસનાનું પર્વ નવરાત્રિના પ્રથમ દિવસે શુભ મુહુર્તે  ઘટસ્થાપન એટલે કે કુંભ સ્થાપન કરી એ કુંભની આસપાસ જ્વારા ઉગાડાય  છે. અને દરરોજ એ કુભ અને જ્વારાની પુજા કરાય છે. આરતી થાળ, પ્રસાદ, વગેરે થાય છે. નવરાત્રીના દિવસોમાં કરાયેલી જગતજનની જગદંબાની ઉપાસનાનું મહાત્મ્ય અનેરુ છે.

આ સમય દરમિયાન, ચંડીપાઠ, વિશ્વંભરી સ્તુતિ દુર્ગા ચાલીસા વગેરેના પાઠ, જાપ થાય છે. નવ દિવસ સુધી માંઈ ભક્તો જગતજનની અંબિકાનું અનુષ્ઠાન, વ્રત, ઉપવાસ, ફલાહાર વગેરે  કરે છે. આઠમના દિવસે માતાજી સમક્ષ હોમ હવન  કરાય છે. અને નોમના દિવસે માતાજીને નૈવેદ્ય ધરાવીને ઉપવાસના પારણાં કરાય છે.

ગુજરાતનું અંબાજીનું ધામ હોય કે પાવાગઢની મહાકાલી કે બંગાળની મહાકાલી કે જમ્મુની વૈષ્ણોદેવી માંનો મહિમા સર્વ વ્યાપક છે. એના ગુંણલા અપરંપાર છે. મહારાષ્ટ્ર મુંબઈ-બોેરીવલી (પૂર્વ) માં વિરાજમાન સાક્ષાત પ્રગટેલા ભવાની ભુવનેશ્વરી જગદંબિકા મોટા અંબાજી મંદિર  અંબાજી આશ્રમ જેનો મહિમા અપરંપાર છે.

આજથી ૫૪  વર્ષ પહેલા મુંબઈ બોરીવલી એક જંગલ હતું ત્યાં પૂજ્ય  સ્વ શ્રી રણછોડલાલ ટી. જાનીના શુભ હસ્તે આ મોટા અંબાજી મંદિરની સ્થાપના થઈ હતી. એ મોટા અંબાજી મંદિર જેની સુવાસ આજે દશે દિશાઓમાં  ફેલાઈ છે.

અષ્ટભૂજાળી  સિંહવાહિની  અને આંખોમાંથી અમી ઝરાવતી માં જેના દર્શન માત્રથી સર્વ દુ:ખ દૂર થાય છે. મોટા અંબાજી મંદિરમાં  સમગ્ર  વર્ષ દરમિયાન  સર્વ તહેવારો એક ઉત્સવ સમા હોય છે. નુતન વર્ષની મંગળા આરતી હોય કે શ્રાવણ માસમાં કૃષ્ણ  જન્મઉત્સવ કે પછી શ્રાવણના દર સોમવારે લાડુનું બ્રહ્મ ભોજન સર્વ પ્રસંગ આનંદ અને  હર્ષોે ઉલ્લાસથી  મનાવાય છે. દૂર દૂરથી અહિં દર પૂનમના  પગપાળા આવતા યાત્રિકોના સંઘો જય ભવાની જય અંબાના નાદથી માંનો  જય જયકાર કરતા હોય છે અને ખાસ તો ભાદરવી પૂનમના સમગ્ર વાતાવરણમાં મય બની જાય છે. માંના દ્વારે જે પણ શ્રધ્ધા અને  ભક્તિભાવથી આવે છે, તે ખાલી હાથે કદી નથી જાતા. દયાળુ માં તેના સર્વ મનોરથ  પુરા કરે છે.

વર્ષ દરમિયાન ઉજવાતા ચાર નવરાત્રિ  દરમિયાન આસો માસમાં આવતા નવરાત્રિમાં મોટા અંબાજી મંદિરમાં માંઈ ભક્તોનો મહેરામણ ઉમટે છે. પરંપરાગત તાળીઓના તાલે બહેનો  અહીં ગરબા  ગાય છે. તે જોવાનો એક લ્હાવો  છે. અષ્ટમીના હવન દરમિયાન અહીં લાખો માઈ ભક્તો  અહીં દર્શનાર્થે આવે છે. અને હવનના બીજા દિવસે ભંડારા પ્રસાદનો લાભ લે છે. દશેરાના અહીં અસંખ્ય મંડળો અને માંઈ ભક્તો ગરબા ગાતા અહીં ગરબા પધરાવવા આવે છે. વર્ષ દરમિયાન આવતા નવરાત્રિના  દિવસ  શ્રધ્ધા અને ભક્તિભાવથી મા જગદંબાને પૂજી મનુષ્ય ચંડીપાઠનું   વાંચન અને  શ્રાવણ કરે તો જગદંબા દેવી તેની સર્વ કામનાઓ  પુરી કરે છે. એમાં પણ આસો માસમાં  કરેલી ભક્તિ ઉપાસનાનું  ફલ અનેક ગણું છે.

Tags :