ટેન્શન વધારશો તો જાતીય જીવનમાં ખલેલ પડશે
બ્લડપ્રેશર કાબૂમાં લેવા માટે મોડર્ન મેડેસિનમાં અનેક દવાઓ શોધાઈ છે. દવા લીધી અને તરત પ્રેશર કાબૂમાં. જોકે આ મેન્ટાલિટી માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં, સેક્સલાઈફ માટે પણ જોખમી છે. અલબત્ત એનો મતલબ એ જરાય નથી કે પ્રેશર કાબુમાં લેવા માટે દવા ન જ લેવી. વધુ સારો વિકલ્પ એ છે કે આ જોખમ ઘટાડવા માટે દરદીએ દવા પર સંપૂર્ણપણે નિર્ભર રહેવા કરતાં જીવનશૈલીના બદલાવો લાવવા પર વધુ ભાર મૂકવો જોઈએ.
હાઈપરટેન્શન હોય અને દવા ન લેવામાં આવે તો પણ લાંબા ગાળે સેક્સલાઈફને નુકસાન થાય છે. હાઈપરટેન્શન હોય અને માત્ર દવાઓ લેવામાં આવે તોય લાંબા ગાળે સેક્સલાઈફને અસર થાય છે અને કેટલીક હાઈપરટેન્શનની દવાઓ તો એવી હોય છે કે જો એમાં નાઈટ્રેટ કમ્પાઉન્ડ હોય તો શિશ્નોત્થાન માટેની દવા સિલ્ડેનાફિલ સાઈટ્રેટ પણ લઈ શકાતી નથી. આટલું જાણ્યા પછી એટલું તો સમજાયું જ હશે કે સેક્સલાઈફ સારી ટકાવી રાખવી હોય તો હાઈપરટેન્શન ન આવે એમાં જ ભલું છે. અને જો ધારો કે બ્લડપ્રેશર આવી ગયું હોય તો બને એટલી ઓછી દવાઓ લઈને કુદરતી રીતે જ કન્ટ્રોલમાં રહે એવી જીવનશૈલી કેળવવામાં આવે એ શ્રેષ્ઠ વિકલ્પ છે.
બ્લડપ્રેશરને ઈરેક્ટાઈલ ડિસફંક્શન
અનેક અભ્યાસોમાં પણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે શિશ્નોત્થાનની સમસ્યા અને બ્લડપ્રેશરને ચોક્કસ સંબંધ છે જ, ભલે એ લાંબા ગાળાનો સંબંધ હોય. એ બન્ને વચ્ચે શું અને કેવો સંબંધ છે એ સમજવા માટે જરાક સમજવું જરૂરી છે કે શિશ્નોત્થાન વખતે ઈન્દ્રિયમાં શું થાય છે. પેનિસ એ હાડકાં વિનાનો સ્નાયુઓનો બનેલો અવયવ છે. જ્યારે પુરુષ ઉત્તેજિત થાય ત્યારે કરોડરજ્જુ મારફત ઉત્તેજનાની સંવેદના પેનિસ સુધી પહોંચે છે અને ઈન્દ્રિયમાં લોહીનો ભરાવો થાય છે. આ જ સમયગાળા દરમ્યાન ઁઘઈજી નામનો એન્ઝાઈમ પણ પેદા થાય છે જે ઉત્તેજના દરમ્યાન લોહીને શિશ્નની મુખ્ય રક્તવાહિનીઓમાં બ્લોક કરી દે છે. એને કારણે જ્યાં સુધી ઉત્તેજનના ઓસરતી નથી ત્યાં સુધી શિશ્નમાં લોહીના ધસારાને કારણે કડકપણુ રહે છે.
હવે સમજીએ હાઈ બ્લડપ્રેશરને કારણે શિશ્નોત્થાનની સમસ્યા કેમ થાય એ જ્યારે રક્તવાહિનીઓ સાંકડી થાય અથવા તો હૃદયની પમ્પ કરવાની ક્ષમતામાં ઓટ આવે ત્યારે બ્લડપ્રેશર વધે છે. જો શરીરનાં અન્ય ભાગની રક્તવાહિનીઓમાં બ્લડ સર્ક્યુલેશનમાં અવરોધ આવે તો એની અસર ઉત્તેજના દરમ્યાન પેનિસની રક્તવાહિનીઓમાં પણ પડી જ શકે છે. બીજું, બ્લડપ્રેશર માટેની મોટા ભાગની દવાઓ લોહીનું ભ્રમણ બરાબર કરવા માટે રક્તવાહિનીઓને વિસ્ફારિત કરે છે. મતલબ કે સાંકડી થયેલી અથવા તો પ્લાક જમા થઈને સંકોચાયેલી રક્તવાહિનીઓને અંદરથી પહોળી કરે છે. પહોળી રક્તવાહિનીઓમાં લોહીને બ્લોક કરી રાખવા માટે વધુ ઁઘઈજી એન્ઝાઈમની જરૂર ઊભી થાય છે.
બ્લડપ્રેશર વધવાને કારણે ઈન્દ્રિયમાં લોહીના ધસારામાં ઓટ આવે છે એટલું જ નહીં, લોહીને ઈન્દ્રિયમાં બ્લોક કરી રાખવા માટે ઁઘઈજી એન્ઝાઈમને વધુ અવરોધ નડે છે અને ઉત્તેજનામાં ઘટાડો વર્તાય છે અથવા તો ઉત્તેજના ટકાવી રાખવામાં તકલીફ પડે છે.
મહિલાઓમાં પણ આડઅસરો
હાઈપરટેન્શન ધરાવતી મહિલાઓમાં મહદઅંશે લુબ્રિકેશનમાં કમી જોવા મળી છે. લુબ્રિકેશન ઘટવાથી પેનિટ્રેશન વખતે પીડા વધી શકે છે. બીજું, હાઈ બ્લડપ્રેશરને કારણે મહિલાઓમાં સતત થાક, સુસ્તી રહ્યા કરે છે જેની આડઅસર કામેચ્છા પર પડે છે.
રક્તવાહિનીમાંથી પસાર થતી વખતે લોહીનું વહન કરતી નળીઓની આભ્યંતર દીવાલ પર જે ફોર્સ થાય છે એને બ્લડપ્રેશર કહે છે. આખા શરીરને લોહી થકી ઓક્સિજન પહોંચે એ કામ હૃદયનું છે અને એટલે રક્તવાહિનીઓ થકી લોહી આખા શરીરમાં પહોંચે એટલો ફોર્સ હૃદય દ્વારા આપવામાં આવે છે. હૃદયના સંકોચન સાથે ધમનીમાં જે પ્રેશર ઉત્પન્ન થાય એને સિસ્ટોલિક બ્લડપ્રેશર અને હૃદયના વિસ્તરણ સાથે ધમનીમાં પ્રેશર ઓછું થાય એ આંક ડાયસ્ટોલિક બ્લડપ્રેશર કહેવાય. ઉપરનો આંક (સિસ્ટોલિક આંક) ૧૨૦ અને નીચેનો આંક (ડાયસ્ટોલિક આંક) ૮૦ હોય એ આદર્શ ગણાય.
પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર
હાઈટના પ્રમાણમાં વેઈટ કન્ટ્રોલમાં રાખવું. પેટ પર વધારાની ચરબીનો થર જમા ન થવા દેવો.
ગુટકા, સ્મોકિંગ અને આલ્કોહોલની આદત હોય તો તાત્કાલિક છોડવી.
હૃદયની કાર્યક્ષમતા જાળવી રાખવા માટે નિયમિત કસરત કરવી. બેઠાડું જીવનશૈલી બદલીને ચાલવા અને દોડવા જેવી કાર્ડિયોવેસ્ક્યુલર એક્સરસાઈઝ કરવી.