Get The App

ઉધરસ-શરદીના દેશી ઈલાજ

Updated: Nov 24th, 2025

GS TEAM

Google News
Google News
ઉધરસ-શરદીના દેશી ઈલાજ 1 - image

કાંદાના રસમાં મધ ભેળવીને પીવાથી ગમે તેવી ઉધરસથી છુટકારો મળે છે.

* કાંદાનો ઉકાળો પીવાથી કફ દૂર થાય છે.

* લીંબુના રસમાં તેનાથી ચાર ગણું મધ ભેળવી ચાટવાથી રાહત થાય છે.

* લવિંગને મોઢામાં રાખી  ચૂસવાથી   ફાયદો થાય છે.

*  મરીનું ચૂરણ દૂધમાં ઉકાળી પીવાથી લાભ થાય છે.

* મરીનું ચૂરણ, સાકર, ઘી સાથે ભેળવી ચાટવાથી ઉધરસ મટે છે.

* એક ચમચી મધ અને બે ચમચી આદુનો રસ પીવાથી ખાંસીમાં રાહત થાય છે.

* થોડી હીંગ શેકી ગરમ પાણીમાં ભેળવીને પીવાથી લાભ થાય છે.

* દ્રાક્ષ અને સાકર મોમાં રાખી ચુસવાથી ફાયદો થાય છે.

* લસણની કળીઓને કચરી પોટલી બનાવી તેની વાસ લેવાથી મળી ઉધરસ મટે છે.

* દાડમની છાલનો ટુકડો મોમાં રાખી ચૂસવાથી ફાયદો થાય છે.

* આમળીના ચીંચોડાને શેકી તેના છોતરાં કાઢી નાખવા ચીંંચોડાનું બારીક  ચુરણ  બનાવી મધ અને ઘીમાં મેળવી પીવાથી ઉધરસના કફમાં લોહી પડતું હોય તો રાહત થાય છે.

* બે-ત્રણ પેશી બિયા મઢેલું ખજૂર ખાઈ ઉપરથી થોડું ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને નીકળી  જાય છે. ઉધરસ તથા દમ માટે ગુણકારી છે.

* રાતના મીઠાની કાંકરી મોઢામાં રાખી મુકવાથી ઉધરસ ઓછી આવે છે.

* ગરમ કરેલા દૂધમાં હળદર-ઘી મેળવી પીવાથી ઉધરસ-કફ દૂર થાય છે.

* ફૂદીનાનો રસ પીવાથી રાહત થાય છે.

* અડધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ છૂટાં પડે છે.

* એક મુઠ્ઠી ચણામાં હળદર-મીઠું ચોપડી તાજા શેકીને સવારે તેમજ રાતના સુતી વખતે ખાવા (ખાધા પછી પાણી ન પીવું) કાયમી શરદી અને ઉધરસમાં રાહત થાય છે.

* હળદર-સૂઠ સવાર સાંજ મધમાં ચાટવાથી ખાંસીમાં રાહત થાય છે.

* સૂકી હળદરને તાવડીમાં શેકી તેની ગાંગડી મોમાં રાખી ચૂસવાથી કફની ખાંસી દૂર થાય છે.

* નવશેકા પાણી સાથે અજમો ખાવાથી કફની ઉધરસમાં રાહત થાય છે.

* તુલસીનો રસ સાકર સાથે પીવાથી ખાંસી તથા તેનાથી થતા છાતીનાં દુખાવામાં રાહત થાય છે.

- જયવિકા આશર