Get The App

ચોમાસામાં આરોગ્યપ્રદ ફળો અને શાક-ભાજી

Updated: Jun 12th, 2023

GS TEAM

Google News
Google News
ચોમાસામાં આરોગ્યપ્રદ ફળો અને શાક-ભાજી 1 - image


વર્ષાઋતુમાં ઇમ્યૂનિટી સિસ્ટમ અને પાચનંતંત્ર નબળું પડી જતું હોય છે. તેથી ચામાસામાં રોજિંદા આહાર પર વધુ ધ્યાન આપવું પડતું હોય છે. આ ઋતુમાં ચોક્કસ ફળો અને શાક-ભાજીનું સેવન કરવાથી ફાયદાકારક રહે છે. 

સફરજન

સ્વયંને બીમારીથી દૂર રાખવું હોય તો, રોજ એક  સફરજન પોતાના ડાયટમાં સામેલ કરવું જોઇએ. સફરજન ખાવું એ સ્વાસ્થય માટે ફાયદાકારક છે. સામાન્ય રીતે સફરજન દરેક ઋતુમાં સેવન કરવામાં આવતું હોય છે. તેના સેવનથી પ્રચૂર માત્રામાં એનર્જી મળે છે. તેમજ સફરજનમાં ફાઇબર સમાયેલા હોવાથી પાચનક્રિયા વ્યવસ્થિત કામ કરે છે. 

લીચી

લીચી વર્ષાઋતુનું ફળ છે. તેથી તેને પોતાના ડાયટનો હિસ્સો અવશ્ય બનાવવી જોઇએ. લીચી ખાવાથી ખોરાક જલદી પાચન થાય છે. તેના સેવનથી ઇમ્યૂનિટી વધે છે. લીચીમાં એન્ટીવાયરલ ગુણ હોય છે અન બ્લડ સરક્યુલેશન સારુ થાય છે. મોનસૂનના ડાયટમાં લીચીનો જરૂર સમાવેશ કરવો જોઇએ. લીચીમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે તેમજ એન્ટીઓક્સિડન્ટસ હોવાથી અસ્થમાના દરદીઓને શ્વાસ લેવામાં રાહત થાય છે. તેમાં પ્રચૂર માત્રામાં ફાઇબર હોવાથી આ ફળ ખાવાથી સામાનય શરદી, એન્ટી-એજિંગ, પાચનક્રિયાનમાં રાહત, આપનારું છે. લીચીના સેવનથી ત્વચાને ફાયદો થાય છે. ખીલ અને ત્વચા પરના ડાઘા આછા થાય છે. લીચીમાં વિટામિન સી, કોપર, પોટેશિયમ અને એન્ટીઓક્સીડન્ટસ સમાયેલા હોય છે. 

દાડમ

દાડમ કોઇ પણ સીઝનમાં ખવાતું ફળ છે. તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વરસાદની મોસમમાં દાડમ રોજિંદા આહારમાં અવશ્ય સામેલ કરવું જોઇએ. તેનાથી શરીરમાં ઇમ્યૂનિટી મજબૂત થાય છે. રક્તમાંના લાલ કણના પ્રમાણમાં વધારો થાય છે. તેમજ દાડમમાં ઇન્ફલેમેટરી ગુણ હોય છે અને મેટાબોલિઝમ વધે છે. દાડમમાં વિટામિન બી પ્રચૂર માત્રામા સમયોલુ હોવાથી રક્તસંચાર સુધરે છે. ચોમાસાની સામાન્ય તકલીફ જેવી કે શરદીથી રાહત થાય છે. દાડમનું સેવન બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, ફેંફસા અને કોલન કેન્સરના જોખમને ઓછું કરે છે.

પ્લમ

વર્ષાઋતુનું એક ફળ છે પ્લમ. તેને રોજિંદા આહારમાં સામેલ કરવાથી વિટામિન સી, મિનરલ્સ, વિટામિન અને ફાઇબર પ્રચૂર માત્રામાં મળે છે. તેમાં કેલરીનુ ંપ્રમાણ બહુ ઓછું હોય છે. પ્લમ ખાવાથી ઇમ્યૂનિટી વધે છે અને શરીરમાં ઇલેક્ટોલાઇટસ બેલેન્સ કરવામાં મદદ મળે છે. પ્લમનું સેવન કરવાથી શરીરમાં આર્યનની કમી પૂરી થાય છે. પ્લમમાં લેકેસેટિવ ગુણ સમાયેલા હોવાથી તેના સેવનથી કબજિયાતની તકલીફ દૂર થાય છે. તેમજ વિવિધ પ્રકારના આર્થરાઇટિસમાં પણ પ્લમનું  સેવન રાહત આપે છે. ચોમાસાનું આ ઉત્તમ ફળ કહેવાય છે. 

પપૈયું

પપૈયું દરેક ઋતુમાં મળતું ફળ છે. ચોમાસામાં પપૈયાને ડાયટમાં સામેલ કરવાની નિષ્ણાતો સલાહ આપતા હોય છે. તેમાં એન્ટી ઓક્સીડન્ટ ગુણ હોય છે અને ફાઇબર પ્રચૂરમ ાત્રામાં સમાયેલા હોય છે.પપૈયા પાચનમાં હળવું હોય છે. તેથી વર્ષાઋતુમાં ખાવાથી પાચનક્રિયામાં રાહત થાય છે. તેમાં વિટામિન એ, વિટામિન સી અને ફાઇબર સમાયેલા છે. તેમજ તેમાં પપૈન નામનુંએક એન્જાઇમ હોય છે,જેનાથી પાચનક્રિયામાં સહાયતા મળે છે. 

 બીટ

બીટના સેવનથી રક્તમાં લાલકણનું પ્રમાણ વધે છે. મોનસૂનમાં ઉપયોગમાં લેવાતા ફળ અને શાક-ભાજીમાં  બીટ જ એકએવું ફળ છે હેમોગ્લોબિનનું પ્રમાણ વધારે છે. તેમજ તેમાં મિનર્લસ, મેગનેશ્યમ, ફાઇબર, વિટામિન સી, પોટેશિયમઆર્યન પ્રચુરમ ાત્રામાં જોવા મળે છે. તેમાની હાઇ ઇમ્યુનિટીના કારણે ચોમાસામાં ખાવું સલાહભરેલું છે. 

કાળા જાંબુ

જાંબુમાં કેલશ્યિમનું પ્રમાણ પ્રચૂર માત્રામાં હોવાની સાથેસાથે તે શરીરમાંના શુગરના પ્રમાણને સમતલ રાખવામાં સહાયક છે. તેમજ તેના સેવનથી પેટની સામાન્ય તકલીફો જે ખાસ કરીને વર્ષાઋતુમાં થતી હોય છે તેનાથી રાહત થાય છે.જાંબુના સેવનથી લીવર ફંકશન, બ્લડ સરક્યુલેશન, અને કિડની ફંકશનમાં સુધારો થાય છે. જાંબુમાં વિટામિન સી અન ેફાઇબર અને આર્યન સમાયેલા હોવાથી તેના સેવનથી ઇમ્યુનસિસ્ટમ મજબૂત થાય છે. 

 દૂધી

દૂધી સામાન્ય રીતે સ્વાસ્થ્યવર્ધક શાક ગણવામાં આવે છે. તેનામાં ફાઇબર પ્રચૂર માત્રામાં સમાયેલા હોવાથી તે પાચન માટે હળવી ગણાય છે. તેમાં આર્યન વધુ પ્રમાણણાં હોય છે, તેમજ વિટામિન બી અને વિટામન સી પણ ઊચ્ચન પ્રમાણણાં હોય છે, જે એન્ટીઓક્સિડન્ટસ માટે જાણીતા છે. દૂધીમાં કેલરીનું પ્રમાણ નહીંવત હોય છે. વજન ઘટાડવા માટે દૂધી એક ઉત્તમ વિકલ્પ છે. 

આદુ

આદુ એન્ટીબેકટેરિયલ, એન્ટીસેપ્ટિક અને એન્ટી-ઇન્ફલેમેટરી તત્વો ધરાવે છે. તેમજ તેમાં સમાયેલા એન્ટીઓક્સિડટન્સ ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે. ઘરગત્થુ દવામાં આદુનો વપરાશ વધુ થતો હોય છે. ખાસ કરીને ઋતુના કારણે થતી શરદી, કફ, ગળામાં થતી સામાન્ય તકલીફ,શરીરમાં થતા સમાન્ય દુખાવામાં આદુનું સેન રાહત આપે છે. તેને ચા,સૂપ, કરી, હળદરનું દૂધ, વગેરેમાં ઉમેરવામાં આવે છે. તેમજ ચોમાસામાં થતી શરદીથી રાહત પામવા ઉકળતા પાણીમાં ફુદીનો, તુલસી, આદુ નાખીને તેને ગાળીને ઠંડુ થયે પછી પીવાથી રાહત થાય છે. 

કાકડી

કાકડી વર્ષાઋતુનું ઉત્તમ શાક છે. વરસતા વરસાદનું પાણી અને ઠંડુ હવામાન કાકડીના પાક માટે  લાભદાયક છે. ઇમ્યુનસિસ્ટમને ખાસ કરીને ચોમાસામાં મજબૂત કરવા માટેકાકડીનું સેવન કરવું જોઇએ. કાકડીમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર તેમજ વિટામિન એ, બી, સી અને કે સમાયેલા  છે. 

સૂંઠ

સૂંઠનું સેવન ચોમાસામાં અવશ્ય કરવું જોઇએ. સૂંઠ, ઘી અને ગોળની નાની-નાની ગોળીઓ ખાવાથી ચોમાસમાં પલળવાથી થતી શરદીમા ંરાહત થાય છે. જોકે સૂંઠ ગરમ હોવાથી એક ગોળી ખાઇને તેના પર દૂધ પીવું જરૂરી છે. સૂંઠની ગોળીઓ ચોમાસામાં બનાવી રાખવી અને એક ગોળી રોજ ખાવાથી રાહત થાય છે. 

- મીનાક્ષી તિવારી

Tags :