તમારા ભાવિનો સંકેત આપતા શરીર પરના તલ
સ્ત્રીના ચહેરા પર રહેલો એક નાનકડો તલ કવિની શક્તિ ખીલવવા પૂરતો છે. પ્રેમિકાના ચહેરા પર શોભતા એક તલ પર સમરકંદ બુખારા ઓવારી જનારા પાગલ પ્રેમીઓથી આ વિશ્વ ભરપૂર છે.
પ્રેમીઓના દિલને ઘાયલ કરી મૂકનારા તલ, મસા સદીઓથી લોકોના કૌતુકનો વિષય બન્યા છે. સ્ત્રી-પુરુષના શરીર પર રહેલા તલના લક્ષણો અંગે જાણકારી મેળવવાનો પ્રયાસ પણ વર્ષોથી થતો રહે છે. અવારનવાર આ અંગેના લેખ પણ પ્રગટ થાય છે. આજે આ અંગેનો એક વધુ લેખ પણ વાંચી લઈએ.
સૌપ્રથમ પુરુષોના શરીર પર તલનો પ્રભાવ જોઈએ. પુરુષોની જમણી હથેળીમાં તલ હોય તો તેની ભાગ્યોન્નતિ થાય છે. પગના તળિયે રહેલો તલ રાજયોગ હોવાનું સૂચવે છે. આજકાલ તો રાજા-રજવાડા નામશેષ થઈ ગયા છે એટલે વર્તમાનમાં આ સ્થાનેતલ હોય તે વ્યક્તિ સૌથી ઊંચા પદ પર બિરાજમાન થાય છે. તેમ જ તેને વિવિધ પ્રકારના ભૌતિક સુખો પ્રાપ્ત થાય છે. માથાની જમણી બાજુ તલ હોય તે વ્યક્તિ ધનવાન હોય છેે. ભ્રમર પર તલ હોય તો તેને ગુણવાન પત્ની પ્રાપ્ત થાય છે. આંખના ખૂણે રહેલો તલ શાંત, વિનમ્ર તેમ જ ઉધમી સ્વભાવનો સૂચક છે.
ડાબા ગાલ પર તલ હોય તે પુરુષને સફળતા આસાનીથી મળતી નથી. અથાગ પરિશ્રમ પછી તેને સફળતાનું ફળ ચાખવા મળે છે. જ્યારે જમણા ગાલપર તલ ધરાવતી વ્યક્તિ જરા નસીબદાર છે. તેનું દાંપત્ય જીવન સુખથી ભરપૂર હોય છે. કાન અને ગળા પર તલ હશે એ પુરુષ ગમે તેટલો પ્રયત્ન કરશે પરંતુ તેનો ભાગ્યોદય તેના લગ્ન પૂર્વે થશે નહીં. લગ્નબાદ આ વ્યક્તિનું ભાગ્ય ચમકશે. આ વાત સત્ય છે કે નહીં તે તો રામ જ જાણે પરંતુ તલ શાસ્ત્રનો અભ્યાસ કરનારાઓનું કહેવું છે કે કોઈપણ પુરુષને જમણી છાતી પર તલ હશે તો તેને ઘેર પુત્રીઓની સંખ્યા વધુ હશે. જમણી જાંઘ પર તલ ધરાવતો પુરુષ ધનવાન હશે તો જમણા પગ પર તલ હશે તો તે વ્યક્તિ વિદ્વાન હશે. જમણી ભૂજામાં તલ હશે તો તે પુરુષ ધૈર્યવાન હશે.
હવે જરા સ્ત્રીઓના શરીર પર તલના પ્રભાવને જાણીએ. જે સ્ત્રીના ડાબા કાન, ગાલ, ગળા અથવા હાથમાં તલ હશે તો તે પ્રથમ પ્રસવમાં પુત્રને જ જન્મ આપશે. બગલમાં તલ હશે તો તે પતિપ્રિય અને પુત્રવતી હશે. જમણાં ઘૂંટણ પર તલ ધરાવતી નારી આકર્ષકને પુરુષને પામે છે. જમણી ભૂજામાં તલ હશેતો તે પતિ માટે ભાગ્યશાળી સાબિત થશે. પીઠમાં તલ ધરાવતી સ્ત્રી ઉત્તમ લક્ષણોેથી યુક્ત અને પતિપરાયણ હશે. તો ડાબા સ્તનની નીચે તલ હશે તો તે નારીને પ્રસવમાં મુશ્કેલી થતી નથી. તેમ જ તે બુદ્ધિમાન અને ખુશમિજાજી હોય છે.
નાભિના જમણા ભાગમાં રહેલો તલ સૌભાગ્યનું સૂચક છે. જમણા સ્તન પર લાલ રંગનો તલ ધરાવતી સ્ત્રીને સાત સંતાનો જન્મે છે. જેમાં ચાર કન્યા અને ત્રણ પુત્ર હોય છે. જો કે આજના 'હમ દો હમારે દો'ના જમાનામાં આ વાત શક્ય નથી. આથી ગભરાવાની જરૂર નથી. ઉપરના હોઠ પર તલ હોય તો તે ધનવાન અને ભાગ્યશાળી હોય છે. તેમ જ નીચલા હોઠ પર તલ હોય તે સ્ત્રી પોતાના પતિને વિશેષ પ્રેમ કરે છે. જમણા નિતંબ પરનો તેલ વાહન સુખ દર્શાવે છે.
જ્યોતિષ વિજ્ઞાાન અનુસાર સ્ત્રીના ડાબા અંગો તેમ જ પુરુષના જમણા અંગો પર તલ શુભ ગણવામાં આવે છે. જો કે આમાં કેટલાક અપવાદ પણ હોઈ શકે છે.
ગુલાબી રંગના તેમ જ લાલ છાંય ધરાવતા તલ અશુભ હોતા નથી. તે સદૈવ અનુકૂળ ફળ જ આપે છે. કાળા રંગના તલ અશુભ હોય છે. જાંબુડી તલ મધ્યમ ફળદાયક જ્યારે સફેદ તલ રક્તની ઉણપ તેમ જ શારીરિક વિકૃતિઓ બતાવે છે. આકાશી ભૂરા તેમ જ લીલા રંગના તલ અશુભ માનવામાં આવે છે. આ શરીરના કોઈપણ અંગમાં હોય તો અનિષ્ટકારક માનવામાં આવે છે. આનોે પ્રભાવ કાળા રંગના તલની સરખામણીમાં વધુ ઝડપી દેખાઈ આવે છે. તલના આકાર પણ શુભ-અશુભ હોય છે. લાંબા તેમ જ પાતળા, લાંબા તેમ જ પહોળા તેમ જ ત્વચા પર ઉભારવાના તલ શુભ તેમ જ ફળદાયી હોય છે. અનિયમિત આકારના મોટા તલ વાંકા તેમ જ મોટા અને શાખા યુક્ત તલ ચોરસ તલ ઋણાત્મક હોય છે. બાકીના આકારવાળા તલ મધ્યમ ફળદાયી હોય છે.
માથા પર તલ માનસિક તાણ દર્શાવે છે. આવા વ્યક્તિઓની જન્મકુંડળીઓમાં રાહુ-કેતુની સ્થિતિ ઠીક હોતી નથી. નાભિની ઉપર જમણી બાજુ કાળા રંગનો તલ પાચન અંગોની દુર્બળતા દર્શાવે છે. આવા વ્યક્તિઓની પાચન શક્તિ નબળી હોય છે. અંગુઠાના બહારના છેડા પર રહેલો મોટો કાળો તલ કફની તકલીફ દર્શાવે છે. પરંતુ આજ તલ અંગુઠાની શરૂઆતમાં હોય તો સંધિવાની બીમારી સૂચવે છે. આવા લોકોની ગરદનનો પાછળનો ભાગ દોષપૂર્ણ હોય છે. તર્જની પરનો તલ તેના માલિકની અદ્વિતિય તાર્કિક શક્તિનું સૂચન કરે છે. આવા વ્યક્તિઓ ધર્મભીરું હોય છે.
મધ્યમા પરનો તલ હિંસાત્મક વૃત્તિનું સૂચન કરે છે. અનામિકા પરનો તલ આધ્યાત્મ પ્રવૃત્તિનું સૂચન કરે છે. જમણા પગમાં ઘૂંટણની નીચેનો તલ ગુદામાં વિકૃતિ દર્શાવે છે. એડી ઉપરનો કાળો તલ બે નંબરની કમાણીથી વધુ ધન મેળવતો હોવાનું દર્શાવે છે. પરંતુ વાનો રોગી હોય છે. ઘૂંટણ ઉપર જાંઘની નીચે રહેલો તલ ગુપ્તાંગોની બિમારી સૂચવે છે.જાંઘ પરનો તલ દૈહિક સ્વાસ્થ્યનો સૂચક છે.
ગળા પર તલનું નિશાન લીવરની બિમારી દર્શાવે છે, ગળાની જમણી બાજુનો તલ કરોડરજ્જુની નબળાઈ દર્શાવે છે. આ વ્યક્તિઓ નાની ઉંમરમાં જ વાંકા વળીને ચાલે છે. ગળાની નીચેનો તલ શ્વાસ રોગની તકલીફ દર્શાવે છે.
જમણા પગની એડી નીચેનો તલ ધાર્મિક, વ્યવહારું સ્વભાવનો સૂચક છે તેમ જ એ વ્યક્તિ કોઈનેકોઈ કારણસર પ્રવાસ કરતો રહેશે, આમાં તળિયા તરફનો તલ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ તેમને ગળાની તકલીફ સહન કરવી પડે છે. કેડ પરનો તલ હૃદયરોગની સંભાવના વ્યક્ત કરે છે. કમરની નીચેના ભાગનો તલ ફેફસામાં વિકૃતિ દર્શાવે છે.
ભૂજામાંનો તલ શક્તિ દ્યોતક છે. આવી વ્યક્તિ પરિશ્રમ દ્વારા ધન મેળવવામાં સફળ થાય છે. તેમ જ સુખી જીવન વ્યતીત કરે છે. આજ તલ વિપરીત હોય તો જાતકને એનિમિયાની સમસ્યા થાય છે. જમણા પગની મધ્યમા આંગળીની નીચે પર્વત ક્ષેત્રમાં તલનું નિશાન આંખના ઓપરેશનની સંભાવના વ્યક્ત કરે છે. પરંતુ મધ્યમ તળવાના તલ મંદ પાચનશક્તિ સૂચવે છે. તળિયાના આગળના ભાગમાંના તલ યકૃતની બીમારી તેમ જ બહારના કિનારાના તલ અશુભકારક હોય છે.
પીઠના મધ્યમ ભાગના તલ આંતરડાના રોગ દર્શાવે છે. આ વ્યક્તિને અલ્સરની બીમારી થાય તો નવાઈ નહીં. હાથની કોણીની વચ્ચેનો તલ કિડનીની ખરાબી દર્શાવે છે. કોેણી અને કાંડા વચ્ચેનો તલ નિતંબની તકલીફ દર્શાવે છે. એટલે કે નિતંબનો દુ:ખાવો રહે છે. હાથની જમણી હથેળીના મધ્યમ ભાગમાં આ તલ લાલ આભાયુક્ત હોય તો તે વ્યક્તિ નિશ્ચિત ઉચ્ચ પદ પ્રાપ્ત કરકે છે. સ્ત્રીઓના ડાબા હાથમાં રહેલોે આ તલ સૌંદર્ય, પ્રેમ તથા પ્રસન્નતાનું પ્રતીક છે. આવા લોકો પૂર્ણ સ્વસ્થ આયુષ્ય ભોગવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આપણા ચહેરા પર મળતા તલનો જોડીદાર તલ પણ શરીરના અન્ય ભાગમાં હોય છે. શાસ્ત્રોમાં ચહેરા પર જોવા મળતા તલના ૧૦૦ થી વધુ તલોનું વિવેચન કરવામાં આવ્યું છે.
તલનો પ્રભાવ ક્યારે કેવું ફળ આપે છે તેનો ઉલ્લેખ સ્કન્ધ પુરાણ, સામુદ્રિક તિલક, ગર્ગસંહિતા, ગરુડ પુરાણ વગેરે પૌરાણિક ગ્રંથોમાં મળે છે.
- હિમાની