Get The App

અજમાવી જૂઓ .

Updated: Mar 30th, 2026

GS TEAM

Google News
Google News
અજમાવી જૂઓ                                                  . 1 - image

બથુઆ (એક ભાજી)ને પાણીમાં ઉકાળી તેનાથી વાળ ધોવાથી વાળમાંથી ખોડો દૂર થાય છે.

નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા વરિયાળીનો રસ પીવડાવવો.

- શિકાકાઈ તથા આંબળાનાં મિશ્રણથી અઠવાડિયામાં બે વખત વાળ ધોવાથી વાળ કાળા રહે છે. ઉપરાંત તેની લંબાઈ વધે છે.

- નખ પર તિરાડ પડી ગઈ હોય તો હુંફાળા સરસવમાં નખ ડૂબાડવા અઠવાડિયે એક વખત કરવું. જૈતુનનું તેલ લગાડવાથી પણ નખ મજબૂત રહેશે.

- રાંધતી વખતે તેલનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખવું તે વધુ ગરમ ન થાય તેલ વધુ પ્રમાણમાં ગરમ થવાથી તેમાંની ચીકાશ દૂર થાય છે.

- દહીંને કાંચ અથવા માટીના વાસણમાં જમાવવાથી દહીં ખાટું નહીં થાય તેમ જ તેમાંથી પાણી નહીં છૂટે.

- ભોજન બાદ આદુનો ટુકડો ખાવાથી પેટની તકલીફ થશે નહીં. ઊલટી જેવું થતું હોય તો મીઠાવાળું સુકું આદું ખાવું રાહત થશે.

- ખજૂરના સૂકા બિયાં એન્ટિસેપ્ટિક છે. તેનો પાઉડર બનાવી તેમાં પાણી ભેળવી પેસ્ટ બનાવી ઉપયોગમાં લઈ શકાય.

- મુખમાંના ચાંદાથી રાહત પામવા ત્રણ-ચાર વખત ચમેલીના પાન ચાવવા.

- પૂરીનો લોટ બાંધતી વખતે તેમાં થોડો રવો ભેળવવાથી પૂરી ફૂલેલી રહે છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે.

- અડધો કપ કાચા દૂધમાં એક નાનકડી ચમચી મીઠું ભેળવી ત્વચા પર લગાડવાથી ત્વચા નિખરે છે.

- ભોજન બાદ વરિયાળી ખાવાથી ભોજન સરળતાથી પચે છે. વરિયાળી ચાવવાથી પેટ હળવું રહે છે.

- મીનાક્ષી તિવારી