* આમળા-અરીઠાનો પાવડર વાળમાં લગાડી શેમ્પૂ કરવાથી વાળ મજબૂત તેમજ ચમકીલા થાય છે.
* સ્ટીલના વાસણો પરથી ડાઘા દૂર કરવા સફેદ વિનેગાર વાપરવો.
- બ્રેડ સુકાઇ ગયો હોય તો તેનો ભૂક્કો બનાવી રાખી દેવો. ગ્રેવી બનાવતી વખતે તેમાં એક ચમચો ભૂક્કો નાખવાથી ગ્રેવી ઘાટ્ટી બનશે.
- પાલક બાફતી વખતે તેમાં એક ટી સ્પૂન સાકર નાખવી તેમજ રાંધતી વખતે એક ટેબલસ્પૂન લીંબુનો રસ નાખવાથી પાલકનો રંગ લીલોછમ રહેશે.
- ઇડલીનો આથો પાતળો થઇ ગયો હોય તો તેમાં શેકેલો રવો થોડો ભેળવી દેવો.
- રીંગણાનો ઓળો બનાવતી વખતે તેમાં થોડું દહીં ભેળવવાથી ઓળાનો સ્વાદ તથા રંગ બને સારા થશે.
- દાળમાં આદુનો ટુકડો અથવા રિફાઇન્ડ તેલ નાખવાથી ગેસ થતો નથી.
- દાળ-ચોખામાં લસણની કળી રાખવાથી જીવાત પડતી નથી.
- રસોડાની દિવાલ પાસે કપૂરની ગોળીઓ રાખવાથી કીડીનો ઉપદ્રવ નહીં થાય.
- સૂપમાં નાખવા માટે ક્રિમ ન હોય તો માખણ અને દૂધ મિક્સ કરી નાખવું.
- હોઠ ઘેરા રંગના થઇ ગયા હોય તો મૂંઝાશો નહીં.એક ચમચી લીંબુનો રસ અને બે-ત્રણ ટીપાં ગ્લિસરીનનું મિશ્રણ હોઠ પર એક મહિનો લગાડવું
- શરદીથી નાક બંધ થઇ ગયું હોય તો નાક પર રાઇનું તેલ લગાડવાથી રાહત થશે.
- મીનાક્ષી તિવારી


