Get The App

અજમાવી જૂઓ .

Updated: Oct 27th, 2025

GS TEAM

Google News
Google News
અજમાવી જૂઓ                                                  . 1 - image

મલાઇ-હળદરનું મિશ્રણ ચહેરા પર નિયમિત લગાડવાથી ત્વચા સ્નિગ્ધ થાય છે. રૂક્ષ ત્વચા માટે ફાયદાકારક છે.

વાળને ખરતા અટકાવવા ગરમ ઓલિવ ઓઇલમાં એ ટેબલસ્પૂન મધ અને એક ચમચી તજ પાવડર ભેળવી વાળમાં મસાજ કરી 30 મિનિટ બાદ વાળ ધોવા.

-  કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા ડાઘાયુક્ત ભાગને ગરમ દૂધમાં ૩૦ મિનિટ ડૂબાડી રાખી બ્રશથી ઘસવું.

- સંતળાઇ રહેલા કાંદાની તીવ્ર ગંધ સહન ન થતી હોય તો તેમાં ચપટી સાકર ભેળવવી.

- આર્ટિફિશિયલ જ્વેલરી પર નેલ વૉર્નિશનો એક કોટ લગાડવાથી તે કાળી નહીં પડે.

- કેળાને કાચની બરણીમાં રાખી રેફ્રિજરેટરમાં મૂકવાથી કાળા નથી પડતા.

- લીમડાને કાચની શીશીમાં રાખવાથી જલદી ખરાબ નથી થતો.

- ચોખામાં એરંડિયાના બે-ત્રણ ટીપાં નાખવાથી તેમાં જીવાત નથી પડતી.

- રવાને સેકીને હવાચૂસ્ત ડબ્બામાં રાખી રેફ્રિજરેટરમાં રાખવાથી તેમાં જીવાત નથી થતી.

- ફૂદીનાના પાનને તોડી હવાચૂસ્ત ડબામાં રાખવાથી લાંબા સમય સુધી તાજા રાખી શકાય છે.

- ફૂદીનો, કોથમીર, તથા લીમડાને સુકાઇ જતા બચાવવા ભીના કપડામાં વીંટાળીને રાખવા.

- રોટલીના ડબ્બાને ગરમ તવા પર રાખવાથી તેમાં રાખેલી રોટલી ગરમ રહે  છે. 

- મીનાક્ષી તિવારી