- હોઠ પર સવાર-સાંજ શુદ્ધ ઘી હળવા હાથે લગાડવાથી હોઠ ફાટશે નહીં તેમજ હોઠ ખૂૂબસૂરત લાગશે.
ચકરીમાં મલાઇ નાખવાથી ચકરી મુલાયમબને છે.
- લીલા મરચાંના ડિંટિયા તોડીને રાખવાથી લાંબા સમય સુધી તાજા રહે છે.
- વાસી નૂડલ્સને સ્વચ્છ પાણીથી ધોઇ તેને ચારણામાં નાખી પાણી નીતારવું અને તેલ લગાડી સૂપ અથવા સ્પ્રિંગ રોલ બનાવવામાં ઉપયોગમાં લઇ શકાય છે.
- ભાત બરાબર રંધાયા ન હોય અને પાણી નાખી ફરી રાંધવાનો સમય ન હોય તો મૂંઝાશો નહીં. ભાતમાં થોડું દૂધ ઉમેરી વરાળ આપવાથી ભાત ખાવાલાયક થઇ જશે.
- કઠોળને બાફતી વખતે તેમાં ત્રણ-ચાર ટીંપા કોપરેલના નાખવાથી કઠોળ બરાબર તેમજ જલદી બફાઇ જાય છે.
- સફરજનનો રસ કાઢી તેમાં થોડો ખાવાનો સોડા ભેળવી સવાર-સાંજ દાંતે ઘસવાથી પાયોરિયા, દાંતમાંથી નીકળતું રક્ત બંધ થઇ જાય છે.દાંત પર જામેલી છારી દૂર થઇ દાંત સ્વચ્છ ચમકીલા થાય છે.
- રાતના સૂતી વખતે એક-બે સંતરા ખાવાથી કબજિયાત દૂર થાય છે તથા પેટમાંના વાયુનું શમન થાય છે. સંતરામાં અપચો દૂર કરવાના ગુણ છે.
- લીલી હળદર શિયાળામાં નિયમિત ખાવાથી રક્તશુદ્ધિ થાય છે.
- ફણસીના શાકમાં અજમાનો વઘાર કરવાથી શાક સ્વાદિષ્ટ લાગે છે ઉપરાંત ગેસ નથી થતો.
- અપચામાં આદુનો રસ મધમાં ભેળવી પીવાથી ફાયદો થાય છે.
- ભોજન બાદ વરિયાળી ચાવવાથી મુખ દુર્ગંધ દૂર થાય છે.
- મીનાક્ષી તિવારી


