- હળદર અને ચંદન ઘસીને ચહેરા પર લગાડવાથી ચહેરો ચમકીલો બને છે.
- છાશ વડે મોં ધોવાથી ચહેરા પરના ખીલના ડાઘા તથા કાળાશ દૂર થાય છે.
- વાગેલા ઘા પર હળદર દબાવી દેવાથી ઘામાંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી.
- સફેદ ઢોકળાનો આથો આપતી વખતે તેમાં મલાઇ નાખવાથી ઢોકળા મુલાયમ પોચા થાય છે.
- શરદીને લીધે આવતા તાવમાં તુલસીના પાનનો રસ મધ સાથે ચાટવાથી રાહત થાય છે.
- ગ્રીલચીઝ સેન્ડવિચમાં ટામેટા-બટાકાના પૈતાની બદલે ઝીણાં સમારી તેમાં મીઠું તથા સેન્ડવિચ મસાલો ભેળવવાથી સેન્ડવિચનો સ્વાદ સારો આવે છે.
- મેથીના મૂઠિયા બનાવતી વખતે લોટના પ્રમાણ કરતાં મેથીનું પ્રમાણ વધુ હોય તો મૂઠિયાનો સ્વાદ વધે છે. એટલે કે બાંધેલા લોટમાં મેથી સરખી દેખાવી જોઇએ.
- સંતરાની તેમજ લીંબુની સૂકી છાલની તાકીદે જરૂર પડે તો, આ છાલને માઇક્રોવેવ ઓવનમાં હાઇ સ્પીડ પર બે-ત્રણ મિનિટ મૂકવી.
- વાંરવાર મૂત્રત્યાગ કરવાની તકલીફમાંથી રાહત પામવા ત્રણ લીલા આંબળાનો રસ એક ગ્લાસ પાણીમાં ભેળવી સવાર-સાંજ પીવો.
- ઘરમાં કાંદા ન હોય અને ગ્રેવી બનાવવી હોય તો ખમણેલી કોબી નાખી દેવી.ગ્રેવી સ્વાદિષ્ટ બનશે.
- ચણાનો લોટ બગડી ગયો હોય તો તેને ફેંકી ન દેતાં તેનાથી ચીકણા વાસણો સાફ કરવા. ચીકાશ તરત જ શોષાઇ જશે અને વાસણ સાફ થઇ જશે.
- મીનાક્ષી તિવારી


